SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૩ જિનમતા–“અંતરંગ રાજા હોય તેજ તેમ કરવા સમર્થ છે.” રાજા–“તે રાજા કેણ છે?” અંતરંગ અને બહિરંગ તંત્રો, જિનમતજ્ઞ–“મહારાજ! તે અંતરંગ રાજાનું નામ કર્મપરિણામ છે. તે કર્મપરિણામ રાજાએ આ શુભ પરિણામ રાજાને ચિત્તસંદર્ય નગર ગરાસમાં આપ્યું છે અને તેમ હોવાથી એ શુભપરિણામ રાજ પોતે કર્મપરિણામને વશ હોય-એને ભાયાત (પટાવત) હોય-તેમ વર્તે છે.” - રાજા–“તે કર્મપરિણામ મહારાજા મારા જેવાની પ્રાર્થના સાંભળે છે ખરો કે પોતાના મનમાં આવે તેમજ કરનારે છે?” જિનમતજ્ઞ–“તે કર્મપરિણામ રાજા કદિ કોઈની પ્રાર્થના સાંભળતો નથી, ઘણે ભાગે તે પોતાના મનમાં આવે તેમજ કરનારો છે અને સારા માણસે એની પ્રાર્થના કરે એવી અપેક્ષા પણ તે રાખતો નથી, તેની પાસે વિવેકના ગમે તેટલા શબ્દો કહેવામાં આવે તેથી તે રીઝી જતો નથી, બીજા પ્રાણીઓને ગમે તેટલી અગવડ થાય તેથી તે લેવાઈ જતો નથી અને માણસને દુઃખમાં આવી પડેલા જોઈ દયા ખાતો નથી. માત્ર જ્યારે કઈ કામ કરવાનું હોય છે ત્યારે તે પોતાની મોટી બહેન ૧લોક સ્થિતિની સલાહ લે છે, પોતાની સ્ત્રી કાળપરિણતિની સાથે તે કામના સંબંધમાં વિચારણું કરે છે અને પિતાના સ્વભાવની સાથે તે સંબંધમાં વાતચીત કરે છે, નંદિવર્ધનની ઘણું ભવથી સ્ત્રી તરીકે સાથે રહેનાર ભવિતવ્યતાને અનુસરે છે અને કઈ કેઈ વખત પોતાના કામના સંબંધમાં તે નંદિવર્ધન કુમારની શક્તિથી જરા જરા બીહે છે. આવી રીતે કર્મપરિણામ મહારાજા એ અંતરંગ લોકોને પૂછીને પોતાની મરજીમાં આવે તે પ્રમાણે કામ કરે છે અને તે પ્રમાણે જ્યારે તે કામ કરવા લાગે છે ત્યારે બહારના લેકે ગમે તેટલા રડે, રડે પાડે કે ચીસો પાડે તેની દરકાર કરતો નથી, તેની મરજીમાં આવે તે પ્રમાણે કામ કરતો ચાલ્યો જાય છે. માટે તેની પ્રાર્થના કરવી કે તેની પાસે માંગણી કરવી તે નકામી છે, પરંતુ જ્યારે તેને યોગ્ય લાગશે ૧ લોકસ્થિતિ નો પરિચય માટે પૃ. ૩૦૩-૪ અને તેની નેટ જુઓ. ૨ અગાઉ જણાવ્યું છે (જુઓ પૃ. ૩૦૮) તેમ કોઇપણ કાર્ય કરવામાં પાંચ સમવાળી કારણની જરૂર રહે છે. ઉદ્યોગ, કર્મ, ભવિતવ્યતા, કાળ અને સ્વભાવ. નંદિવર્ધન જેવા હજુ પોતાની શક્તિનો ઉપયોગ બરાબર કરી શકતા નથી. લોકસ્થિતિ એ કુદરતને કાયદો (Law of Nature) સમજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy