SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ આશ્ચનું જન્મસ્થાન છે, ગુણ રોની પેટી છે અને શરીરની વિલક્ષણતાથી મહા મુનિઓનાં મનને પણ પોતાની તરફ ખેંચનારી છે. જે પ્રાણીઓ તે ક્ષાંતિની સેવા-ઉપાસના-કરનારા છે તેઓને તે નિરંતર આનંદ આપનારી છે અને તે એટલી બધી ભલી છે કે તેને યાદ કરવાથી તેનું સ્મરણ માત્ર કરવાથી પણ તે સર્વ દોષોને મૂકાવી દુર ફેંકાવી દે છે. એ વિશાળ ચક્ષુવાળી શાન્તિપુત્રી જે મનુષ્ય તરફ લીલામાત્રમાં પણ જુએ છે તેને લેકે “પંડિતનું નામ આપીને અથવા મહાત્મા’નો ઈલકાબ આપીને તેના સંબંધમાં બહુ વખાણ કરે છે. જે ભાગ્યશાળી પ્રાણી એ સ્ત્રીરવનું આલિંગન (ભેટ) મેળવવાને નશીબવાન થાય છે તે સર્વ મનુષ્યોને ચકવતી થાય છે –રાજાને પણ રાજા થાય છે.' આ પ્રમાણે હોવાથી તે ક્ષાન્તિ પુત્રીથી વધારે સારી કઈ વસ્તુ દુનિયામાં હોય એમ જણાતું નથી અને તેટલા માટેજ વિદ્વાનો તેને “સર્વથી સુંદર વસ્તુઓમાં પણ સુંદર ” નું ઉપનામ આપે છે. (આ લોકમાં આ અને રોદ્ર દુર્થાન છે, ધર્મ અને શુક્લ સદ્દધ્યાન છે, તેમાં પણ શુલ ધ્યાન શ્રેષ્ઠ છે. મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ એ પાંચ જ્ઞાનમાં કેવળજ્ઞાન સર્વોત્કૃષ્ટ છે, કારણ કે તેનાથી સર્વ ભૂત અને ભાવી બનાવો જણાય છે. સર્વ ઋદ્ધિમાં પ્રશમ-સમતાની ઋદ્ધિ વધારે કિંમતી ગણાય છે.) આ સત્કૃષ્ટ શુકલ ધ્યાન, કેવળ જ્ઞાન અને પ્રશમ ઋદ્ધિ વિગેરે સર્વ જીવોને ચમત્કાર ઉત્પન્ન કરે તેવા અદ્ભુત ભાવો આ જગતમાં વિદ્યમાન છે તે સર્વ ક્ષાતિના પ્રસાદથી અને તેની આરાધના કરવાથી અનેક પ્રાણુઓએ અનેકવાર પ્રાપ્ત કર્યા છે, કરે છે અને કરશે તેથી આ ક્ષાન્તિ પુત્રીને “અનેક આશ્ચર્યોનું જન્મસ્થાન” કહેવામાં આવી છે. ત્યાર પછી તે કન્યા ગુણરત્રોની પેટી’ છે એમ કહેવામાં આવ્યું છે તે પણ બરાબર છે. દાન, શીળ, તપ, જ્ઞાન, કુળ, રૂ૫, પરાક્રમ, સત્ય, શૌચ (પવિત્રપણું), સરળતા, અભ, શક્તિ, ઐશ્વર્ય વિગેરે આ લોકમાં જે જે સુંદર ગુણે છે અને જેની કિંમત રત્ન જેવી ગણાય છે તે સર્વને આધાર ક્ષાતિ ૧ જે પ્રાણીઓ સમતાને ભેટે છે એટલે ક્ષમાને ધારણ કરનારા હોય છે તેઓ ગમે તેવા સંગેમાં કેદ કરતા નથી. પ્રાંતે તે કેવળજ્ઞાની અથવા તીર્થંકર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy