SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ વિભ્રમોને પણ તેણે હસી કાઢવ્યા છે અને તેણે પિતાના પતિ તરફ અપૂર્વ ભક્તિને લીધે અરૂંધતિના માહાસ્યને પણ તિરસ્કારી કાઢયું છે. { દેવતા અસુર અને મનુષ્યની સ્ત્રીઓમાં જે સર્વથી સુંદર હોય તે સર્વ સ્ત્રીઓ સાથે મળીને પિતાનાં શરીર પર સુંદર ઘરેણું અને વસ્ત્રો પહેરીને મોટા સાધુસમુદાયને ચલાવવા માટે એક સાથે પ્રયત્ન આદરી બેસે ત્યારે આ મહાદેવી મુનિઓનાં ચિત્તને બીજી દિશામાં સ્થાપન કરી આપે છે અને તે એવી સુંદર પેજના કરે છે કે તેઓનાં ચિત્ત પેલી સ્ત્રીઓ તરફ ન જતાં આ દેવીમાં જ આસક્ત રહે-આ પ્રમાણે હોવાથી તેણે શરીરની સુંદરતાના વિષયમાં વિજ્યધ્વજ પ્રાપ્ત કરેલ છે એવું વિશેષણ તે દેવીને આપવામાં આવ્યું છે. ઉરૂક, ઇંદ્ર, ઉપદ્ર, ચંદ્ર વિગેરે ત્રણ લોકમાં પ્રસિદ્ધ થયેલા કળાબાજ ગણાય છે. તે અને બીજા પણ જેઓ કળાવાન કહેવાતા હોય તે સર્વ કામ કોઇ વિગેરે ભાવશત્રુથી-ડ્રિપુથી–જીતાયેલા છે-એટલે એવા મોટા કળાબાજોને પણ છ શત્રુઓ હાર ખવરાવી દે છે. આથી જે બરાબર રીતે વિચાર કરીએ તે તેઓ ખરા કળાવાન ન કહેવાય. આ મહાદેવીમાં તો કઈ - પૂર્વ કૌશલ્ય રહેલું છે કે રમત માત્રમાં તે સર્વ શત્રુઓને જીતી ૧ અરૂંધતિઃ પુરાણિક દંતકથા પ્રમાણે કમ પ્રજાપતિની નવ દીકરીઓમાંની તે એક હતી અને તેને વિશિષ્ટઋષિ સાથે પરણાવી હતી. એ ઋષિપર અરૂંધતિની અનન્ય ભક્તિ અને પ્રેમ હતાં. પતિભક્તિરૂપે-સતીત્વના દૃષ્ટાન્તરૂપે-અરૂંધતિનું દૃષ્ટાન્ત અપાય છે. તે પોતાના પતિને તપ હોમ હવન વિગેરે અનુષ્કાનેને અંગે સંપૂર્ણ મદદ કરતી હતી. - ૨ કોઈ પણ બાબતમાં જયદેવજ ત્યારે જ મળે છે કે જ્યારે રણસંગ્રામમાં ઉતરી સામા પક્ષને હરાવી દેવામાં આવે. મુનિહદયનો કબજો મેળવવાના ઇરાદાથી રંભા મેનકા વિગેરે મુનિહદય પર હુમલો કરે ત્યારે આ મહાદેવી તેની સામી લડે છે અને રણક્ષેત્ર મૂકી અપ્સરાઓને પણ નાસી જવું પડે છે અને મુનિહદય નિષ્પકમ્પતાને વશ થાય છે, ચલિત થયા વગરનાં રહે છે. આથી રણમેદાનમાં જયપતાકા નિષ્પકમ્પતાને મળે છે. બહુ સારા આકારમાં આ વાત રજુ કરી છે. ૩ રૂદ્ર ૧૧ છે, તે શંકરના રૂપમય ગણાય છે અને ઘણા ભયંકર કહેવાય છે. ઇંદ્રને નાનો ભાઈ ઉપેદ્ર કહેવાય છે. એ પુરાણોક્તકથાનુસાર પાંચમાં વામન અવતાર વખતે ઇંદ્રની સાથે હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy