SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧] નંદિવર્ધન અને વૈશ્વાનર ૩૫૯ પડીને તેને પિતાની ઉપર મોટે ઉપકાર કરનાર હોય એમ ગણે છે. કુમારનું પ્રશમરૂપ અમૃત એ પાપી મિત્રે નાશ કરેલું હોવાથી તેનામાં બીજા ગમે તેટલા ગુણો હોય તો પણ તે સર્વ નિષ્ફળ છે.” વિશ્વાનર-સંગમુક્તિ-ઉપાય-ચંતવનઆ પ્રમાણે કળાચાર્યની હકીકત સાંભળીને ઝાટકે વાગે હોય તેમ પદ્મ રાજાને મહાદુઃખ થયું. ત્યાર પછી થોડો વખત જવા દઈ મહારાજાએ વિદુરને કહ્યું “ આ ચંદન રસના છાંટણાથી શીતળ લાગતો પંખો તું બંધ કર, કારણકે મને બહારની ગરમી કઈ પણ પ્રકારની પીડા કરતી નથી. તું અહીંથી જા અને કુમારને બોલાવી લાવ. કુમારને અહીં સ્પષ્ટ રીતે કહી દઉં કે હવે પછી તેણે તેના પાપી મિત્ર વિશ્વાનરની જરા પણ સોબત કરવી નહિ અને તેમ કરીને મારા મનમાં જે તાપ થયો છે તેનું હું નિવારણ કરું.” વિદરે તે જ વખતે પંખો બાજુ ઉપર મૂકી દીધો અને જમીન સુધી પોતાનું માથું અને હાથ લંબાવી નમન કરી જવાબ આપ્યો “જેવી મહારાજા સાહેબની આજ્ઞા ! પરંતુ આપે જે મોટું કામ મને સોંપ્યું છે તે ધ્યાનમાં લઈને જે કે એક અમલદાર તરીકે આપના હુકમના સંબંધમાં બોલવાનો મારો અધિકાર નથી તોપણ વગર નીમેલ તમારો સલાહકાર થઈ જઈને જરા મારે વિચાર બતાવું છું તે આપ ધ્યાનમાં લેવા કૃપા કરશે અને એ પ્રમાણે હું મારા વિચારે બતાવું તે તે સંબંધમાં દેવે કોપ ન કરો.” પધરાજા–“ભદ્ર! હિતની બાબત બેલનાર ઉપર કપ કેણ કરે ? તારે આ સંબંધમાં કહેવાનું હોય તે ખુશીથી કહે.” - વિદુર—“આપ કુમારશ્રીને અત્રે બોલાવી શિખામણ આપવાનું અને વિશ્વાનરનો સંગ મૂકાવવાનું ધારો છો; પણ મેં તો કુમાર નંદિવર્ધન સાથેના થોડા પરિચય ઉપરથી જોઈ લીધું છે કે કુમાર વૈશ્વાનરનો અંતરનો જીવ જાન દોસ્ત થઈ ગયો છે અને તેની સેબત મૂકાવવાને કઈ પણ શક્તિમાન નથી. વાત એટલે સુધી વધી પડી છે કે કુમાર ૧ સમતા-શાંતિ (પ્રથમ) ને અમૃત સાથે પણ સરખાવી શકાય. અમૃત શાંતિ અને દીર્ધ આયુષ્ય આપે છે તેમ પ્રશમ પણ તે બન્ને વસ્તુ આપે છે. ૨ હું આટલી વાત કરીશ ત્યારે આપની મોટાઈ નહિ રાખું; મારી બેઅદબી માફ કરશે-બોલવાની એક સુંદર રીત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy