SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. [ પ્રસ્તાવ ૩ કળાચાર્ય—“ જો આપ એમ કહેાછે તે પછી અમુક કામ કરવા માટે નીમેલા માણસેાએ પેાતાના શેઠને કાઈ પણ મામતમાં જરાપણ રંગવા ન જોઇએ એ નિયમને અનુસરીને મારે આપને વિજ્ઞપ્તિપૂર્વક કાંઇક વાત કરવી છે તે ચાગ્ય કે અયેાગ્ય ગમે તેવી હોય તેને માટે આપ ક્ષમા કરશે. દેવ! ખરેખરૂં અને મનને પસંદ આવે તેવું વચન ખેલવું મુશ્કેલ છે (કારણ કે ખરૂં હાય છે તે ઘણીવાર મનને પસંદ આવે તેવું હોતું નથી. મીઠું બેાલનારા મહુ હોય છે, પણ સાચું બેાલનારા થોડા હાય છે, કારણ કે કેટલીક વાર સાચામાં કડવાશ આવી જાય છે.)” ૩૫૮ પદ્મરાજા—“ આપને જે કહેવાનું હેાય તે કહેા, સાચું બેલવામાં ક્ષમા માગવાની શી જરૂર છે?” કળાચાર્ય—“ મહારાજ ! આપ એમ કહેા છે. તા સાંભળે. આપે છેવટે એમ કહ્યું કે નંદિવર્ધન કુમાર સર્વ ગુણા ધારણ કરવાને ચેાગ્ય થયા છે તેના સંબંધમાં મારે કહેવાનું કે કુમારનું સ્વાભાવિક સ્વરૂપ જોતાં તેમજ હાવું જોઇએ એમાં જરા પણ શક જેવું નથી. પરંતુ કલંકથી જેમ ચંદ્રમા, કાંટાથી જેમ કમળ, કૃપણપણાથી જેમ તાલેવંતપણું, લજ્જા રહિતપણાથી જેમ સ્ત્રી, બીકણપણાથી જેમ પુરુષ અને પર ( અન્ય પ્રાણી )ને ઉપતાપ ( પીડા ) ઉપજાવવાથી જેમ ધર્મ દોષવાળા ( દૂષિત ) થઇ જાય છે તેમ રાજકુમાર મંદિવર્ધનનું સર્વ સુંદર સ્વરૂપ વૈશ્વાનર નામના મિત્રની સાબતથી દૂષિત થઇ ગયું છે એમ હું સમજું છું; કારણ કે સર્વ કળાઓમાં કુશળતાને અંગે પ્રશમ (સમતા—શાંતિ-મનની સ્થિતિસ્થાપકતા-Equanimity of mind) અલંકાર રૂપ છે, પેલા વૈશ્વાનર તદ્દન પાપી મિત્ર હોવાથી જેટલા વખત કુમારના પડખામાં રહે છે તેટલા વખત પોતાના ઝેરથી કુમારના પ્રશમના નાશ કરે છે. કમનશીબે એવું થયું છે કે એ વેશ્વાનર કુમારના પરમાર્થથી મોટા દુશ્મન છે છતાં કુમાર મહામહને વશ ૧ શાંતિ આપનાર સુંદર સ્વચ્છ ચંદ્રમા જેમ હિરણના લાંછનથી એખવાળે! લાગે છે તેવી રીતે સ્વાભાવિક સુંદર કુમાર વૈશ્વાનરની સેાબતથી દોષવાળા લાગે છે. કમળ બહુ સુંદર છે પણ કાંટાથી તેમાં દોષ આવી જાય છે, ગમે તેટલું ધન હાય પણ અન્યને આપવું ગમતું ન હોય તે ધનાઢચપણું નકામું છે, સુંદર સ્ત્રી મર્યાદા વગરની હાય તા દૂષિત ગણાય છે, પુરુષ ખાયલા હાય તા કલંકિત લાગેછે અને પરિતાપ ઉપાવનાર ધર્મ ખટ્ટાવાળા લાગે છે તેમ કુમાર દૂષિત લાગે છે. બહુ સારી રીતે કળાચાર્યે વાત મૂકી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy