SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ નંદિવર્ધન અને વૈશ્વાનર, ૩૫૧ જીમાં સાથેજ રહેતા હતા અને મારા અભ્યાસકાળમાં પણ કારણ મેળવીને અથવા વિના કારણે મને ભેટી જતા હતા. તે મારે વહાલેા મિત્ર મને જ્યારે ભેટતા ત્યારે ગુરુમહારાજ-કળાચાર્યના ઉપદેશ હું યાદ કરતા નહેાતે, મારા ઉત્તમ કુળને કલંક લાગે તે બાબતની દરકાર કરતા નહાતા, પિતાજીના મનને મારી આ હકીકત સાંભળવાથી કે જાણવાથી ખેદ થશે તેથી ખ્વીતા નહાતા, આ સર્વ વાતનું ગુપ્ત રહસ્ય શું છે તે સમજતા નહેાતા, મને પેાતાને અંદરખાનેથી કેટલા ખેદ અને અંતરજ્વાળા થતી હતી તે જાણતા નહાતા, અભ્યાસ તદ્દન હેતુ વગરના-અર્થ વગરના થઇ જાય છે તે વિચારતા નહાતા, માત્ર તે વેશ્વાનરને મારા પરમ પ્રિય મિત્ર ગણીને તેના કહેવા પ્રમાણે હું આખે શરીરે પરસેવાથી ભીંજાઇ, લાલ આંખ અને ચઢાવેલાં ભવાં સાથે દરેક અભ્યાસ કરનાર બાળકાની સાથે કછુઆ કરૂં, સર્વની ખાનગી મામતેાની ચાડી કળાચાર્ય પાસે ખારૂં અને સાચું ખાટું બેલું, તે કોઇ મધ્યસ્થ વચન મેલે-વચ્ચે પડીને મને સમજાવવા યત્ન કરે-તે સહન પણ કરૂં નહિ અને નજીકમાં લાકડી કે બીજું જે કાંઇ હાથમાં આવે તેડે દરેક સહાભ્યાસીને ફટકાવું. મને વૈશ્વાનર ભેટચો છે એમ જાણીને ભયથી ત્રાસ પામેલા તેઆ સર્વે પણ મને અનુકૂળ લાગે તેવુંજ મેલે, મારી ખુશામત કરે અને મારે પગે પડે. એ સર્વ રાજપુત્રો શક્તિવાળા હતા, છતાં પણ મારી ગંધમાત્રથી પણ નાગદમની ષધિથી હતપ્રતાપ સૌંની પેઠે તે સ્વતંત્ર ચેષ્ટા કરી શકતા નહિ, અને ઉદ્વિગ્ન મનવાળા થઇ ભયથી કંપતા કંપતા જાણે કેદખાનામાં પડ્યા હોય તેવી રીતે મહાદુ:ખમાં માત્ર પોતપાતાનાં મામાપેાની આજ્ઞાને અનુસરવા ખાતરજ ત્યાં અભ્યાસ કરીને પેાતાના સમય ગાળતા હતા, પરંતુ તેને મારા ભય એટલેા બધા લાગતા હતા કે આ સર્વ વાત મારા કળાચાર્ય-ગુરુ મહારાજને કહેવાની પણ હિંમત પ્રકરણ ૧] વૈશ્વાનર સાથે દે।સ્તી. વૈશ્વાનરની અસરઃ વિદ્યાર્થી તથા ગુરુ ૧ ક્રોધી મુખમુદ્રાનાં આ સર્વ ચિહ્નો છે જે અવલેાકન કરવાથી જણાઇ આવશે. ૨ નાગદમનીઃ નાગ એટલે સર્પ અથવા તુલસી માણસ. દમની એટલે વા કરનારી અથવા અંકુશમાં રાખનારી. નાગદમની ઔષધિ થાય છે જે માદળીઆમાં રાખી ગળે બાંધી હાય તા ગમે તેવા ભયંકર ઝેરી સર્પ એ ઔષિધ ધારણ કરનાર પ્રાણીને કરડી શકતા નથી, કારણ કે તે ઔષધિની ગંધથીજ સર્પવરા થઇ જાય છે. આ લેાકમાન્યતા પર અત્ર અલંકાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy