SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩e ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૩ સુંદર કળાભ્યાસ; વિશ્વાનરને સહયેગ; સહાધ્યાયી પર દમ, આવી રીતે વધતાં વધતાં અનુક્રમે હું આઠ વર્ષને થયો તે વખતે મારા પિતા પદ્મ રાજાને વિચાર થયો કે કુમાર હવે ગ્ય ઉમરને થયો છે, માટે તેને કેળવણી આપવી જોઈએ. આ વિચારને પરિણામે તેમણે જોશીએ પાસે એક શુભ દિવસ જેવરાવ્યું, અભ્યાસની એક મુખ્ય વિદ્વાન કળાચાર્યને બોલાવવામાં આવ્યા, સરળતાઓ. વિધિપૂર્વક તેની પૂજા કરવામાં આવી, એ પ્રસંગને યોગ્ય બીજ ઉચિત ક્રિયાઓ કરી અને બહુ આદરપૂર્વક મારા પિતાએ મને તે કળાચાર્યને સોંપે. તેજ કળાચાર્યને અગાઉ પણ મારા ભાઈઓ-ભાયાતો અને રાજપુત્ર અભ્યાસ માટે સાંપવામાં આવ્યા હતા તે સર્વની સાથે હું પણ કળા ગ્રહણ કરવા લાગ્ય, અભ્યાસ કરવા લાગ્યો. અભ્યાસ કરવાના સર્વે સાધને તૈયાર હેવાથી, મારા પિતાશ્રીને કેળવણી આપવાની બાબતમાં દઢ ઉત્સાહ હોવાથી, કળાચાર્ય અને અભ્યાસ કરાવવામાં ખાસ રસ લેતા હોવાથી, બાલ્યકાળ (છોકરાપણની વય) કેઇ પણ પ્રકારના વ્યવહારની ચિંતાથી રહિત હોવાથી, પુણ્યદય સર્વદા બાજુમાં રહેતો હોવાથી, ક્ષયોપશમ ઉત્કટ હેવાથી, તેમજ તે વખતે ભવિતવ્યતા અનુકૂળ હોવાથી બીજી કોઈ પણ બાબતમાં ધ્યાન ન આપતાં એકચિત્તે બહુ થોડા વખતમાં લગભગ સર્વ કળાઓ કળાચાર્ય પાસેથી હું શીખી ગયો. મારો વિશ્વાનર મિત્ર જે મને અત્યંત પ્રિય હતો તે મારી બા ૧ કળાચાર્ય સર્વ કળાઓ શીખવનાર. પુરુષની ૭૨ કળાઓ છે. આ આચાર્યનું નામ “બુદ્ધિસમુદ્ર છે જે આગળ જણાશે. ૨ નિશાળગરણું, છોકરાઓને મીઠાઈ વિગેરે આપવી ઇત્યાદિ તે કાળમાં પ્રચલિત રિવાજે. ૩ ૫શમઃ જ્ઞાન આત્માને ગુણ છે એ જેટલો આવરણ પામે-એના પર આચ્છાદન લાગે તેટલા પૂરતું જ્ઞાન પ્રગટ થતું નથી, સ્પષ્ટ જણાતું નથી. એ આવરણામાંથી કેટલાંકને દૂર કરવામાં આવે (ક્ષય) અને કેટલાંકને દબાવી દેવામાં આવે (ઉપશમ) તેને “ક્ષોપશમ' કહે છે. જ્ઞાનાવરણીય કર્મને જેટલો પશમ હોય તેટલું જ્ઞાન પ્રગટપણે દેખાય છે. આત્મા શુદ્ધ સ્વરૂપે તો જ્ઞાનમયજ છે, પણ તેની તે શુદ્ધ સ્થિતિ જ્ઞાનાવરણીય કર્મથી અવરાઈ નય છે, આચ્છાદિત થઇ જય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy