SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ–૨ જ્યાં ખૂણા નીકળેલા હોય છે અને જે નિષ્ફટ કહેવાય છે ત્યાં કે જ્યાં રહેલા જીવોને ત્રણ દિશિનોજ આહાર મળી શકે છે, સ્પર્શના પણ ત્રણ દિશાનીજ તેમને હોય છે, બાકીની ત્રણ દિશાએ અલક હોય છે, ત્યાં જઘન્ય પદ લાભે છે. ત્યાંના પ્રત્યેક આકાશપ્રદેશ ઉપર જીવપ્રદેશો સર્વથી થોડા હોય છે. તે જઘન્ય પદના જીવપ્રદેશો કરતાં સર્વ જીવો અસંખ્ય ગુણ હોય છે, અને ઉત્કૃષ્ટ પદવાળા એક એક આકાશપ્રદેશે તે સર્વ જીવો કરતાં વિશેષાધિક જીવપ્રદેશો હોય છે. બાકી જ્યાં ચાર કે પાંચ દિશાનો આહાર મળી શકે છે ત્યાં મધ્યમ પદ લાભે છે. ત્રણ, ચાર કે પાંચ દિશાથી આહાર મળે તેવા સ્થાનમાં ખંડગોળા ઉત્પન્ન થાય છે. જ્યાં છ દિશાનો આહાર મળી શકે ત્યાંજ પૂર્ણ ગોળા ઉત્પન્ન થાય છે, અને એવા ગળામાંજ ઉત્કૃષ્ટ પદ પણ લાભે છે. આ ખંડગોળા અને પૂર્ણ ગોળાની નિષ્પાદક નિગોદ કહેવાય છે, પરંતુ ગોળક (ગોળા ) તે આકાશપ્રદેશોની રચના છે. તેનો આકાર ગોળ લાડવા જે હોવાથી તે ગળક કહેવાય છે. જ્યાં ઊર્ધ્વ, અધો અને પૂર્વ પશ્ચિમાદિક ચાર મળી છએ દિશાએ લોક હોય છે ત્યાં પૂર્ણ ગોળા ઉત્પન્ન થાય છે, તે પ્રત્યેક અસંખ્ય આકાશપ્રદેશના બનેલા હોય છે. તે પ્રત્યેક ગોળાના એકેકા મધ્ય બિંદુ તરીકે આકાશપ્રદેશને મૂકીને બીજા મધ્ય બિંદુને આશ્રીને અસંખ્ય ગોળાઓ છએ દિશાએ ઉત્પન્ન થાય છે, તેથી તેવા પૂર્ણ ગોળાઓ પ્રસ્તુત પૂર્ણ ગોળક કરતાં પણ અસંખ્યાત ગુણ થાય છે. આવા ગેળા જ્યાં એક, બે કે ત્રણ દિશાએ અલોક હોય છે ત્યાં બની શકતા નથી, તેથી તે સ્થાને ખંડ ગોળા બને છે, અને તેથી જ ત્યાં છે અને જીવપ્રદેશો ઓછા હોય છે. તે હેતુથીજ ત્રણ દિશાએ અલકવાળા સ્થાને જઘન્ય પદ કહેવામાં આવેલું છે. આવા એક એક ગળાના સર્વ પ્રદેશોને અવલંબીને અસંખ્ય નિગોદો રહેલી છે, કે જેની અવગાહના તે પૂર્ણ ગોળક સદ્ગશજ છે, પરંતુ તે પ્રસ્તુત ગોળાને અનુસરીને બીજા તે ગળાની બહાર અસંખ્ય ગોળાઓ નિષ્પન્ન થાય છે, અને ગોળાઓની સંખ્યા કરતાં નિગોદની સંખ્યા અસંખ્યાત ગુણી થાય છે. આવા ગોળકો પ્રસ્તુત ગોળકમાં એક એક પ્રદેશની હાનિ અને એક પ્રદેશની અન્ય તરફ વૃદ્ધિ એમ કરતાં જુદાં જુદાં મધ્ય બિંદુ કલ્પવાથી અસંખ્યાતા બને છે. તે સંબંધી વધારે સમજુતી નિગાદષત્રિશિકા પ્રકરણમાં આપેલી છે, તે ગુસંગમથી સમજવા લાયક છે. સ્વયમેવ સમજવા જતાં કેટલીક વાત સમજાતી નથી અને કેટલીક વાત એવી રીતે અન્યથા સમજાઈ જાય છે કે તેને સુધારતાં બહુ વિલંબ લાગે છે, માટે પ્રથમથી ગુરુ મહારાજ પાસેજ આ વિષય સમજવા યોગ્ય છે. વ્યવહાર નયે જેટલા પૂર્ણ ગોળક છે, તેટલાજ ઉત્કૃષ્ટ પદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy