SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ પરિશિષ્ટ ] નિમેદનું સ્વરૂપ. દને વ્યવહારરાશિ કહેલી છે, કારણ કે તે જીવો વ્યવહારમાં આવ્યા કરે છે. એક વાર સૂક્ષ્મ નિગોદરૂપ અવ્યવહારરાશિમાંથી નીકળેલ છવ ફરીને સૂક્ષ્મ નિગોદમાં જાય તો પણ તે વ્યવહારરાશિઓજ કહેવાય છે અને તે અમુક કાળે (અવંતી ઉત્સર્પિણી અવસર્પિણીએ) પાછો તેમાંથી નીકળીને બીજી બહારની જીવજાતિમાં જરૂર આવે છે. - વ્યવહારરાશિમાં રહેલા જીવો સર્વે મોક્ષે જવાના છે એવો નિશ્ચય નથી, કારણ કે તેમાં અનાદિ કાળથી બાદર નિગોદ રહેલી છે કે જેનો અનંતમો ભાગજ મોક્ષે ગયેલ છે અને જવાનું છે, તેમજ વ્યવહારરાશિમાં રહેલા અનંતા અભવ્ય જીવો છે કે જેઓ કદાપિ મોક્ષે જવાનાજ નથી. (અભવ્ય જીવો ચોથે-જઘન્ય યુક્ત અનંત છે.) તેમજ અવ્યવહારરાશિમાં રહેલા સર્વ જીવો મોક્ષે જવાના નથી એમ પણ નથી, કારણ કે વ્યવહારરાશિમાંથી એક જીવ મોક્ષે જાય ત્યારે અવ્યવહારરાશિમાંથી એક જીવ વ્યવહારરાશિમાં આવે છે. આવો અચળ ક્રમ છે. માત્ર જે જીવ જાતિભવ્ય છે અને તથાપ્રકારની સામગ્રીને અભાવે અવ્યવહારરાશિમાંથી નીકળવાનાજ નથી, તેથી જ તેઓને મોક્ષની સામગ્રી મળવાની નથી અને તેની સામગ્રીના અભાવથી તે જીવો મોક્ષે પણ જવાના નથી. જે સામગ્રી મળે તો તેઓ મોક્ષે જઈ શકે તેવા સ્વભાવવાળા છે. આ જીવોને અભવ્યની કોટે વળગેલા કહેવામાં આવે છે. સૂક્ષ્મ નિગોદ ચૌદ રાજલોકમાં સર્વત્ર સર્વ આકાશપ્રદેશમાં રહેલી છે, અને બાદર નિગોદ તે લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ છે. - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ એ તે જીવોનાં શરીરનું નામ છે. તે દરેક જીવોને તૈજસ અને કાર્મણ એ બે શરીરો તો પૃથક પૃથક છે, પણ દારિક શરીર અનંત જીવોનું એકજ છે અને તેથી તે નિગોદના નામથી ઓળખાય છે. દરેક જીવ અસંખ્યાત પ્રદેશ છે, અને તેના પ્રદેશોની સંખ્યા લોકાકાશના પ્રદેશ તુલ્ય (બરાબર સરખી) છે. કોઈ પણ જીવ લઘુમાં લઘુ અવગાહના કરે ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશને અવગ્રાહીને જ રહી શકે છે. જો કે તે તે આકાશપ્રદેશે બીજા અનંત જીવોના દરેકના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશો હોય છે તે પણ જીવન અને પુદ્ગળોને મળીને રહેવાનો સ્વભાવ હોવાથી એક એક આકાશપ્રદેશે અનંતા ટા પરમાણુ બેથી માંડીને યાવત અનંતા પરમાણુના અનંતા ઔધો અને અનંત જીવોના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશો પરસ્પરને બાધા કર્યા સિવાય રહી શકે છે. તે દરેક જીવના પ્રત્યેક આત્મપ્રદેશે અનંતી અનંતી કર્મવર્ગણાઓ લાગેલી હોય છે. તે વર્ગણાઓ અનંત પરમાણુઓના આંધોની બનેલી હોય છે. આ પ્રમાણે પ્રત્યેક આકાશપ્રદેશે જો કે અનંતા જીવોના આત્મપ્રદેશ રહેલા છે તો પણ તેમાં જઘન્ય પદ અને ઉત્કૃષ્ટ પદ લાભે છે. લોકને અંતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy