SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૨ રીરના પછવાડેના ભાગને પણ કાંઈ ટેકે ન હોવાથી તે પણ પછવાડે પડ્યું. મારું શરીર જબરજસ્ત હોવાથી હું કુવામાં પડશે અને બહુ ભારે હોવાથી આખા શરીરે ઘાયલ થયો. પ્રથમ થોડો વખત તો મને મૂછ આવી ગઈ, કેટલીક વારે કાંઈક ચેતના આવી, પણ મારા શરીરને એક જરા પણ હલાવી ચલાવી શકું નહિ એવી સ્થિતિ થઈ. હવે મને પશ્ચાત્તાપ થવા લાગ્યો અને વિચાર ચાલ્યો કે સેવા કરનારા લાંબા વખતથી પરિચયમાં આવેલા, ઉપકાર કરનાર અને આપણુમાં અનુરક્ત અને આજ્ઞાને અનુસરનારા તેમજ આપત્તિમાં આવી પડેલા પિતાના સંબંધીઓને જે તજી દે અને કૃતધ્રપણે માત્ર પેટભરાપણું જ આદરી ખરે વખતે નાસી જાય તેવા મારા જેવા પ્રાણીઓને તો આમજ ઘટે ! અરે અરે ! મારી નિર્લજ્જતા તે જુઓ ! હજુ પણ મને યુથાધિપતિ (ટેળાને ઉપરી) એ શબ્દ પ્રિય લાગે છે! માટે હવે વિચાર કરવાની શી જરૂર છે? આ તો જેવાં કર્યા તેવાં ભેળવીએ છીએ, માટે હવે એ સંબંધી મનમાં કાંઈ ખેદ કરવો નહિ. આવા વિચારોથી-ભાવનાથી મારા મનમાં જરા મધ્યસ્થતા પ્રાપ્ત થઈ–મને જરા નિરાંત વળી, થતી વેદના મેં સહન કરી અને તે અવસ્થામાં સાત રાત પસાર કરી. પંચાક્ષપશુસંસ્થાનથી આગળ પ્રયાણ હવે ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન થઇ અને કહેવા લાગી સાબાશ! આર્યપુત્ર ! સાબાશ! તારા અધ્યવસાય પુણ્યોદય- (આત્માના વિચારે) સુંદર છે. તે ઘણું આકરું દુઃખ ની સહાય. સહન કર્યું છે. તારી આવા પ્રકારની ચેષ્ટાથી હું તારા ઉપર રાજી થઈ છું તેથી હું હવે તને બીજા નગરમાં લઈ જઈશ.” મેં જવાબમાં “જેવી દેવીની આજ્ઞા” એમ કહ્યું. પછી મહાદેવી ભવિતવ્યતા-મારી સ્ત્રીએ એક સુંદર આકારવાળો પુરુષ બતાવ્યું અને ત્યારપછી કહ્યું “હું તારા પર પ્રસન્ન થઈ છું તેથી તારી સહાયમાં આ પુણોદય નામના પુરુષને મેકલું છું. હવે તારે એની સાથે જવું. એ તને ઘણું પ્રકારની મદદ કરશે.” “જેવી દેવીની આજ્ઞા ૧ પુ દય. શુભ કર્મને ઉદય. પુણ્ય એ શુભ પ્રકૃતિને અનુભવ છે અને પાપ તે અશુભ પ્રકૃતિને ઉદય છે. આ પુણ્યના ઉદયને કેટલીક વાર પ્રાણી પોતાના આત્મીય પુરુષાર્થ સાથે ભેળવી નાખી ભૂલ કરે છે તે સમજવા યોગ્ય છે. અનેક રીતે થતે પુણ્યને ઉદય બરાબર અનુભવમાં લેવાની જરૂર છે. એના ઉદય વખતે જમે પુંછનું ખરચ થાય છે એ પણ ધ્યાનમાં રાખવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy