SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. ૩૨૦ [ પ્રસ્તાવ–૨ આવતા, કોઇવાર ઘનવાત કહેવામાં આવતા, કોઇવાર તનુવાત કહેવામાં આવતા, કોઇવાર શુદ્ધવાત કહેવામાં આવતા-આવી રીતે જૂદે જાદે પ્રસંગે મારાં નવાં નવાં વિચિત્ર નામા પડતાં હતાં. ત્યાં મને પંખા વિગેરે શસ્રના ઘાતથી તથા નિરોધથી બહુ દુ:ખ પડતું હતું. ત્યાં પણ મારી પાસે સૂક્ષ્મ અને માદર, પર્યાપ્તક અને અપર્યાપ્તક રૂપા લેવરાવીને ભવિતવ્યતાએ મને અસંખ્યાતા કાળ સુધી રખડાવ્યા. આ પાડામાં એવી રીતે ઘણા વખત રહ્યા પછી જ્યારે મને આપેલી ગાળીઓમાંથી છેલ્લી ગોળી વપરાઇ ગઇ ત્યારે વળી મને પહેલા પાડામાં લઇ જવામાં આવ્યેા. એકાક્ષનિવાસ નગરમાં રખડપુટ્ટી,ત્યાં ભવિતવ્યતાના હુકમથી વળી પાછા અનંતા કાળ રહ્યો. ત્યારપછી વારંવાર બીજી ગાળીએ આપીને મને બીજા ત્રીજા એમ સર્વે પાડાઓમાં ફરીવાર ફેરવ્યા અને તે દરેકૅમાં અસંખ્ય કાળ સુધી રાખ્યા. આવી રીતે એકાક્ષનિવાસ નગરમાં ભવિતવ્યતાએ અત્યંતઅખાધ અને તીવ્રમેહાદયની સમક્ષ મને અંધા પાડામાં અનેક વાર રખડાવ્યા. એ 6555 Jain Education International પ્રકરણ ૯ મું. વિકલાક્ષનિવાસ નગરે. ૩ દિવસ ભવિતવ્યતા રાજી થઈને બોલી “આર્યપુત્ર ! તું આ નગરમાં બહુ કાળ રહ્યો તેથી હવે આ સ્થાન પર તને ઘણી અરૂચિ થઇ ગઇ હોય તેમ જણાય છે. તને આ સ્થાનનું અજીર્ણ થયું છે તે તેને મટાડવા સારૂ તને હવે બીજા સ્થાનમાં લઇ જઉં. ” મારે તા એ ભવિતવ્યતા દેવી-મારી બૈરીને હુકમ માનવાનેાજ હતા તેથી · જેવી દેવીની આજ્ઞા’ એટલેા મેં જવાબ આપ્યા. મહાદેવીએ ત્યારપછી બીજી ગોળીઓ બનાવીને મને આપી. ૧ ઘનવાતઃ ધીના જેવા ઠરી ગયેલેા વાયા. ૨ તનુવાતઃ અત્યંત પાતળા વાયરા, આ ધનવાત અને તનુવાતને આધારે નરક દેવલાકાદિ રહેલા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy