SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા, હવે કનકપુરથી ભીલેાપર તવાઇ આવી તેથી ઘણા ભાગી ગયા અને બીજા પકડાઇ ગયા. પકડાયલા સાથે નંદિવર્ધન પણ હતા. સર્વ વિભાકર રાનપાસે આવ્યા. રાજા એ નંદિવર્ધનને ઓળખ્યા અને પિતા જેટલું સન્માન આપ્યું. આવી દશાનું કારણ પૂછતાં નંદિવર્ધનને વૈશ્વાનર ઉછળ્યા. જ્યારે વિભાકરે તેને માતાપિતાના ખૂન માટે વાર્યો ત્યારે તે તેના ક્રોધની સિમા ન રહી. રાત્રે વિભાકર વિવેક બતાવતાં સાથે સુતા. તે વખતે તેને જમીનપર પટકી મારી નાખ્યા. રાતેારાત ત્યાંથી નંદિવર્ધન ભાગ્યા અને કુશાવર્તનગરે આવ્યા. સુજ્ઞ નકરશેખરે તા તેને। આદર કર્યો અને આવી સ્થિતિનું કારણ પૂછ્યું. એ કંટાળાભરેલા સવાલથી ઉશ્કેરાઇ નંદિવર્ધને કનકશેખરની કેડમાંથી છરી ખેંચી તેનાપર તાકી. કનકચૂડ દોડી આવ્યા. દેવતાએ નંદિવર્ધનને થંભી દીધે। અને આકાશમાર્ગે ઉપાડી દેશપારની હ્રદપર મૂકી દીધા. તે અંબરીષ ચારાની પલ્લીમાં જ આળ્યા, ચેારાના નાયક વીરસેને તેને ઓળખ્યા, એ સ્થિતિનું કારણ પૂછ્યું એટલે ભાઇશ્રી ઉછળી પડ્યા. ચેારાએ તેને મજબૂત ખાંધ્યા, ગાડા સાથે જકડ્યો અને દૂર આવેલ શાર્દૂલપુરને શામાટે ગામમહાર મૂકી ચાલ્યા ગયા. આવી રીતે ખૂનીક્રોધી નંદિવર્ધનની રખડપાટી થઇ. ३० પૃ. ૬૪૧-૬૫૦ પ્રકરણ ૩૦ મું-મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી. શાર્દૂલપુરને પાદરે અલવિલય નામનું ઉદ્યાન હતું. ત્યાં અત્યંત એજસ્વી વિવેક નામના કેવળ પધાર્યા. તે વખતે તેમને વંદન કરવા અનેક દેવેશ અને મનુષ્યા આવ્યા. રાજાએ અપૂર્વ શબ્દોમાં સ્તુતિ કર્યાં પછી આચાર્યશ્રીએ સુંદર દેશના આપી જેમાં તેમણે ધર્મપ્રાપ્તિની દુર્લભતા બહુ સારી રીતે બતાવી. પછી રાજાએ પ્રસંગ જોઇ નંદિવર્ધન સંબંધી અનેક સવાલા પૂછ્યા. આચાર્યે જણાવ્યું કે અંધાયલા શરીરવાળે પુરૂષ પષૅદાની બહાર છે તેજ નંદિવર્ધન છે, તેણેજ જયસ્થળ બાળી મૂકયું હતું અને તેનાં હીન કાર્યની પ્રેરણા કરનાર પેલા વૈશ્વાનર અને હિંસા હતા. પછી વિસ્તારથી એ બન્ને દુષ્ટાત્માઓની એળખાણ આપવામાં આવી, અને તે બન્નેએ બાળપણથી છેવટ સુધી નંદિવર્ધનપર કેટલી ખાટી અસર કરી હતી તેનું વર્ણન કર્યું, અગાઉ પુણ્યાયને સહચાર હતા તેથી તેમની અસર જણાતી ન હેાતી, બાકી એને સંબંધ તે! ઘણા જીનેા હતેા એમ જણાવ્યું, ભવપ્રપંચ કેવી રીતે થાય છે તે જાણવાની રાજાએ અન્ન જિજ્ઞાસા બતાવી. પૃષ્ઠ ૬૫૦-૬૬૩ પ્રકરણ ૩૧ મું-ભવપ્રપંચ અને માનુષ્યધર્મદુર્લભતા. અરિદમન રાજાની જિજ્ઞાસા તૃપ્ત કરવા આચાર્યશ્રીએ આખા સંસારના પ્રપંચ મતાન્યેઃ અસંવ્યવહાર નગરથી માંડીને રખડપાટી થતાં પ્રાણી કેટલા હેરાન થાય છે તેના વિસ્તાર કહી બતાવ્યા અને ધર્મપ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે અને મનુષ્યપણું કેટલું દુર્લભ છે તેપર લંબાણ વિવેચન કર્યું, કોહિંસામાં આસક્ત પ્રાણીએ એવી સુંદર જોગવાઇને કેવી ખાટી રીતે ફેંકી દેછે તેના વિસ્તાર સમજાવ્યા અને એને વશ પડેલા પ્રાણીએ સંસારમાં કેવી રીતે ડૂબી જાય છે તે સ્પષ્ટ કર્યું. વૈશ્વાનર એકલે. મંદિ વર્ધનના જ મિત્ર થાય છે એમ નથી પણ ખીન્ન પ્રાણીઓને પણ તેવી જ રીતે અનેક વાર ફસાવે છે એમ જણાતાં રાજાએ વળી અનેક સવાલા કર્યો એટલે આચર્યશ્રીએ ત્રણ કુટુંબના હેવાલ નીચે પ્રમાણે કહી સંભળાવ્યો. પૃ. ૬૬૪-૬૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy