SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ તૃતીય પ્રસ્તાવ-કથાસાર પ્રકરણ ૩૨ મું-ત્રણ કુટ, ક્ષમા માનત્યાગ વિગેરે પ્રથમ અંતરંગ કુટુંબ છે, ક્રોધ, રાગદ્વેષાદિ બીજું અંતરંગ કુટુંબ છે અને બાહ્ય માતપિતાદિનું ત્રીજું બાહ્ય કુટુંબ છે. પ્રથમ કુટુંબ સ્વાભાવિક છે, બીજું આગંતુક છે પણ દર એ ચલાવે છે કે સામ્રાજ્ય પ્રાપ્ત કરી બેસે છે અને ત્રીજું કુટુંબ તો તદ્દન અસ્થિર છે. પ્રથમ કુટુંબ દબાયેલી સ્થિતિમાં રહે છે ત્યાં સુધી પ્રાણુ ઊંચો આવતો નથી, બીજાને હઠાવી પ્રથમને જય થાય ત્યારે પ્રાણું પ્રગતિ કરે છે અને આખરે સિદ્ધ થાય છે. બન્ને અંતરંગ કુટુંબના ગુણદોષના જ્ઞાનની અત્યંત જરૂર છે અને તે જ્ઞાન સાથે વર્તન હેય ત્યારે સાધ્ય સાધી શકાય છે. બન્ને અંતર કુટુંબ વચ્ચે અનાદિ કાળથી યુદ્ધ ચાલ્યા કરે છે, તેમાં નિર્દય સંહાર ચાલે છે અને પરિણામે જાણવા જેવા નિપજાવી શકાય છે. બીજા અંતર કુટુંબને ઓળખી તેનો નિર્દેયપણે નાશ કરવાની ખાસ જરૂર છે. ત્યાગ પહેલા તૈયારી કરવાની જરૂર છે અને પોતાની શક્તિ માટે બરાબર ખ્યાલ રાખવાની જરૂર છે. બીજા કુટુંબના વિજય વગર બાહ્ય કુટુંબને ત્યાગ નકામો છે. પૃષ્ઠ ૬૭૦-૬૭૯. પ્રકરણ ૩૩ મું અરિદમનનું ઉત્થાન. ત્રણ કુટુંબની વાત સાંભળી અરિદમન રાજાને તો વિચાર થઈ પડયો. તે સહદય હતો. આચાર્ય પણ વખત જોઈને વાત આગળ ચલાવતા રહ્યા હતા. તેઓશ્રી પ્રથમ કુટુંબને સ્વીકાર, બીજા પર વિજય અને ત્રીજાના ત્યાગની વાત નવા નવા આકારમાં કરતા ચાલ્યા. પછી તેમણે તત્વજ્ઞાનની જરૂરીઆત સવિશેષપણે કરી અને તે વગર ત્યાગ કે વિજયની અશકયતા જણાવી. રાજા અરિદમન જાગ્ય, દીક્ષા લેવા ઉઘુક્ત થયો, સાથે બુદ્ધિશાળી પ્રધાન વિમળમતિ પણ તૈયાર થઈ ગયા અને અંતઃપુરની સન્નારીઓ, અન્ય રાજ પુરૂષ અને જનસમાજને કેટલોક ભાગ પણ ત્યાગ કરવા-દીક્ષા લેવા તૈયાર થઇ ગયો. પ્રસંગાનુરૂપ સત્રમહેસવ થયે અને અનેક લધુકમ છો સાથે રાજાની દીક્ષા થઈ. પૃ. ૬૮૦–૬૮૩ - પ્રકરણ ૩૪ મું-નંદિવર્ધન મરણ-ઉપસંહાર, નંદિવર્ધન-સંસારીજીવ તે તે ને તે જ રહ્યો. એને તો વિવેક કેવળીની વાતો ટાયલા જેવી લાગી, પોતાની વગોવણી કરનાર આચાર્ય તરફ ધૃણું ઉત્પન્ન થઈ અને સભા વિસર્જન થતાં તે ત્યાંથી વિજયપુરને માર્ગે નિક. રસ્તે વિજયપુરનો રાજકુંવર ધરાધર મળ્યો. તે પણ ક્રોધી હતો. બન્નેને નજીવી બાબતમાં બોલાચાલી થતાં લડાઈ થઈ, પરસ્પર ઘા માર્યા અને આખરે કપાઈ મુ. નંદિવર્ધન અને તે મરીને છઠ્ઠી નરકે ગયા. ત્યાં પણ ખૂબ લડ્યા. પછી નંદિવર્ધન સર્ષ થયો, પાંચમી નરકે ગયો. પછી સિંહ થયે, ચોથીએ ગયે. પછી બાજ થયે, ત્રીજી નરકે ગયો. નળીઓ થયે, બીજી નરકે ગયો. અને દરેક સ્થાને અને ખાસ કરીને નારકી તરીકે બહુ દુઃખ પામ્ય. હિંસા શ્વાનરના વિપાક અનુભવી આખરે શ્વેતપુરે આહેર થયે, ત્યાં કાંઈક અકામ નિર્જરા થઈ અને ગુણપ્રાપ્તિ થઈ ગઈ. દેવી ભવિતવ્યતાએ આખરે સંસારીજીવને સિદ્ધાર્થપુરે જવા આદેશ આપ્યો અને પુણ્યદયને તેને સહચર બનાવ્યો. સિદ્ધાર્થપરનું તેનું જીવન ચોથા પ્રસ્તાવમાં વિસ્તરાશે. પૃ. ૬૮૪-૬૮૨, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy