SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ-કથાસાર. ૨૯ ધન જયસ્થળ નગરમાં પ્રવેશ થયો અને તે બનાવથી વૈશ્વાનરહિંસાપર નંદિને પ્રેમ વધ્યો. પુણ્યોદયને ખરે પ્રતાપ નંદિવર્ધને ઓળખે નહિ. ૫ ૬૧૮-૧૨૪ પ્રકરણ ૨૭ મું-દયાકુમારી. જયસ્થળ નગરમાં નંદિવર્ધન આવ્યો, વિદુરના કહેવાથી પઘરાજાને ખબર પડી કે હિંસાને પરણ્યા પછી કુમાર શિકારને વ્યસને ચઢી ગયો છે અને આ વખત જીવને મારવામાં મજા માને છે. વૈશ્વાનર સાથે હિસા પણ આવી છે એ જાણી રાજાને ખેદ થયો અને એને ઉપાય શોધવા સારૂ ફરીવાર જિનમતજ્ઞ નિમિત્તિઓને બોલાવ્યો. તેણે કહ્યું કે ચિત્તસૌંદર્યનગરે શુભ પરિણામ રાજ છે, તેની એક બીજી ચારૂતા રાણી છે, તેની દયા નામની દીકરી છે, તેની સાથે કુમારના લગ્ન થાય તે હિંસાની અસર જાય, પણ સાથે જણાવ્યું કે એ સર્વ અંતરંગ રાજ્યના પાત્ર છે અને લગ્ન તે જ્યારે કર્મપરિણામરાજાની કૃપા થાય ત્યારે થાય તેમ છે. કમને રાજાએ મૌન ધારણ કરવાની અને થાય તે જોયા કરવાની સલાહ માન્ય કરી. પૃ. ૬૨૫-૬૩૨ પ્રકરણ ૨૮ મું-વૈશ્વાનર હિંસાની ભયંકર અસરતળે. કેટલાક દિવસ પછી પઘરાજાએ નંદિવર્ધનને યુવરાજપદે સ્થાપવાનો નિશ્ચય કર્યો. શુભ દિવસે સર્વ તૈયારીઓ થઈ રહી. બરાબર તે જ વખતે એક દૂત આવ્યો. તેણે જણાવ્યું કે શાર્દૂલપુરના અરિદમન રાજાને મદનમંજૂષા નામની દીકરી છે તેના નંદિવર્ધન સાથેના વેવીશાળનું કહેણ દેવા તે આવ્યું હતું. રાજાએ મંત્રીઓની સલાહથી કહેણ સ્વીકાર્યું. ત્યાં નંદિવર્ધન અને દૂત કુટવચન વચ્ચે જયસ્થળ અને શાલપુરના અંતરની વાત થઈ. ફુટવીને ૨૫૦ જન કહ્યા અને નંદિવર્ધને એક ગાઉ ઓછું કહ્યું. દૂતે જાતે અંતર માપ્યું હતું તેથી તે મક્કમ રહ્યો. નંદિવર્ધનને એથી અપમાન લાગ્યું. પોતે તે કઈ પાસે સાંભળ્યું હતું તે વીસરી ગયું અને શ્વાનરની અસર તળે આવી ગયો. તે વખતે પુણ્યોદય રીસાઈ ચાલ્યો ગયો. નંદિવર્ધને તરવારના એક ઝટકાથી દૂતના બે કટકા કરી નાખ્યા, પિતા વચ્ચે પડ્યા તેને પણ તરવારથી મારી નાખ્યા, રડતી માતા પર તેજ તરવારને ફટકે મારી તેને દેવલોક પહોંચાડી દીધી, મણિમંજરીને તેના પતિ શીલવર્ધનને અને દેવી રતવતીને એક પછી એક વચ્ચે પડવા માટે ઠાર કર્યા અને છેવટે દેવી કનકમંજરીનું પણ ખૂન કર્યું. રંગમાં ભંગ પડો, યૌવરાજ્ય મહોત્સવ તે દૂર રહ્યો પણ બીજી અનેક ખૂન કર્યો, લોકેએ પકડી તેને આખરે કેદખાનામાં નાખ્યો. એક માસ ત્યાં રહ્યો, ભૂખ્યા તરસ્યા દિવસે કાથા, રાત્રે અકસ્માત્ બંધ ઊદરવડે તૂટશ્યા, બહાર આવી આખા નગરને સળગાવી મૂકયું અને ચોતરફ કળકળાટ રાડે અને બૂમ વચ્ચે નંદિવર્ધન ભાગે. પૃ. ૬૩૩-૬૪૧. પ્રકરણ ૨૯ મું-ખૂની કોધીને રખડપાટે. નંદિવર્ધને નાસતાં નાસતાં જંગલમાં આગળ ચલાવ્યું. ભૂખથી થાકથી આખરે તે પડો, બેભાન થયે, ભીલ લોકોએ તેને હષ્ટપુષ્ટ જાણુને વેચવા માટે ઉપાડ્યો અને કનપુર નજીકની પલ્લીમાં તેને ઉપરી પાસે આ. ઉપરીએ તેને એક ભીલને સોંપ્યો અને તેને સારી રીતે ખવરાવી પીવરાવી વેચવા સારૂ જ બનાવવા કહ્યું. તે ભીલ તેને ઘરે લઈ આવ્યો એટલે પાછો એ (નંદિવર્ધન) તે ગાળો કાઢવા લાગે, પરિણામે ખૂબ માર ખાધે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy