SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. વર્ષને દેખાડેલા શુરાતનના બદલા તરીકે કનકમંજરીને નંદિવર્ધન સાથે પરણાવવાને ઠરાવ કર્યો હતો અને તેને પોતાને નંદિવર્ધનના સેનાપતિ શીલવર્ધન સાથે પરણુંવવાનો નિર્ણય કર્યો હતો. આથી તેને આનંદ થયો હતો. કનકમંજરીએ આ વાત સાંભળી પણ માની નહિ. કપિંજલા આટલી વાત સારથિને કરી રહી અને છેવટે બન્નેને જલ્દી મેળાપ કરવાની જરૂર બતાવી. સારથિ આ વાત નંદિવર્ધનને કરી રહ્યો અને જણાવ્યું કે એ દુઃખનું ઔષધ છે-મતલબ એને કનકમંજરીને વિરહરૂપ દુઃખ છે, એનું એસડ બન્નેના મેળાપમાં છે અને હાલ તુરત બગીચામાં બન્નેએ મળવું એવો તે સંકેત કરી આવ્યો છે. નંદિવર્ધન તો તૈયાર જ હતું. રતિમન્મથ બગીચામાં તે ગયે. ત્યાં શોકગ્રસ્ત સુંદરી (કનકમિંજરી)ને જોઈ. આખરે બન્નેને મેળાપ થયે અને અત્યંત શેકથી આપઘાત કરતી સુંદરીને નંદિવર્ધને અણીને વખતે બચાવી લીધી, પ્રેમવચનથી એને શાંત કરી. તે વખતે ત્યાં કપિંજલ દાસી અને સારથિ પણ આવી પહોંચ્યા. આનંદ થયો. કુંવરી પિતાને ઘરે ગઈ. વિરહ તો થયો પણ બહુ ટુંક વખત ચાલ્યો. કનકચૂડેરાજાએ તે જ દિવસે પુત્રી કનકમંજરીને નંદિ સાથે પરણાવી દીધી અને વિજયની બીજી રાત્રે નંદિવર્ધન દેવી કનકમંજરી સાથે રાત્રી આનંદમાં પસાર કરવા ભાગ્યશાળી થયે. પૃ. ૧૮૯-૬૧૩ પ્રકરણ ૨૫ મું-હિંસાની અસરતળે. વિભાકરને લડાઇમાં ઘા વાગ્યા હતા તે હવે રૂઝાઈ ગયા. તેને માનપૂર્વક તેને દેશ વિદાય કર્યો. ચારેને યોગ્ય માન આપ્યું, તેઓ દાસ થઈ ગયા અને તેમને પણ વિદાય કર્યા. કનકમંજરી રાવતી સાથે નંદિવર્ધને કુશાવર્તનગરમાં રહી આનંદ કરવા માંડ્યો. પિતાના માન અને ઉત્કર્ષના કારણ તરીકે તે તો વેશ્વાનર અને હિંસાને જ માનવા લાગ્યું અને તેની સાથે સેહ વધારવા માંડે. પ્રથમ વૈશ્વાનરે ખૂબ વડાં આપી તેને ક્રૂર બનાવ્યું અને પછી હિંસાદેવીએ તેને શિકારને વ્યસને ચઢાવ્યો. કનકશેખર સહદય હતો, તેને આ વેશ્વાનર હિંસા સાથેનો સંબંધ ઘણો ખરાબ લાગ્યો અને તેના ઉપાય તરીકે પિતા પાસે નંદિવર્ધનને સલાહ અપાવવાનું યોગ્ય ધાર્યું. રાજસભામાં એકવાર તાગડો સાધ્ય, પિતાજી પાસે નંદિવર્ધનના વખાણ કર્યા અને પછી એના પરિચય વિશ્વાનરહિંસાની નિંદા કરી. રાજા કનકચૂડે નંદિવર્ધનને એ સંબંધ છોડવા સૂચના કરી એટલે નંદિવર્ધનને ક્રોધ ઉછળી પડયો અને તુચ્છ ભાષા સાથે બે ચાર પડી દીધી. કનકશેખરે મોં મલકાવ્યું એટલે ક્રોધમાં રાજસભા વચ્ચે નંદિવર્ધને તરવારપર હાથ નાંખે. વાત તે વખત તો એટલેથી પતી પણ કનકશેખર અને નંદિવર્ધન વચ્ચેનો સંબંધ તે દિવસથી તૂટી ગયે. પૃષ્ઠ. ૬૧૪-૬૧૮ પ્રકરણ ૨૬મું-પુણદયથી વગાધિપતિપર વિજય. તે વખત પછી સુરતમાં જ પિતાના જયસ્થળ નગરથી એક દૂત આવ્યો. તેણે જણાવ્યું કે જયસ્થળ નગરપર વંગરાજ યવનરાજાએ ઘેરો ઘાલ્યો છે અને પ્રધાનના મત પ્રમાણે કુમારે ત્યાં જઈ પરાક્રમ બતાવવું જોઈએ, પદ્યરાજા મુંઝાય છે પણ પુત્રસ્નેહથી તેને બોલાવતા નથી વિગેરે. નંદિવર્ધન ઉપડયો, કનકચૂડ કે કનકશેખરને ચાલતી વખત મળવા પણ ન ગયો. યવનરાજ સાથે મોટી લડાઈ કરી. પ્રથમ તો હારી જતો હતો, પણ પછી ખૂદ વંગના રાજા સાથે લઢતાં તેણે તેનું માથું ઉડાવી દીધું. માતાપિતાને ખબર પડી. તેમના આનંદને પાર રહ્યો નહિ. અત્યંત માન આનંદ સાથે નદિવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy