SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ-કથાસાર. २७ આખરે નંદિવર્ધન સાથે લડતાં પડશે અને એ વિજયનું માન પુણ્યદયને ઘટતું હતું છતાં નંદિવર્ધને તો એ સર્વ માન દેવી હિંસાને આપ્યું. બન્ને કુમારે આનંદ પૂર્વક કુશાવર્તનગરમાં દાખલ થયા. વિમલાનનાનું લગ્ન કનકશેખર સાથે થયું અને રતવતી નંદિવર્ધન સાથે પરણી. પૃ. ૫૭-૫૮૨ પ્રકરણ ૨૩ મું-વિભાકર સાથે મહાયુદ્ધ. ઉપરના બનાવને ત્રણ દિવસ થયા પછી વિમલાનના અને રત્રવતી નગર જોવા માટે બહાર નીકળ્યા. બગીચામાં ફરતા બન્નેનું કેઈએ હરણ કર્યું. મોટો શેરબકોર થઈ રહ્યો. નંદિવર્ધન અને કનકશેખરનું લશ્કર તેની પૂંઠે પડયું. જણાયું કે એ કન્યાઓને હરી જનાર પ્રભાકર રાજાનો પુત્ર વિભાકર છે. વળી તેની સહાયમાં કલિંગ દેશને રાજા સમરસેન અને યંગદેશને રાજા કુમ છે. બન્ને લશ્કર ભેગાં થતાં ભયંકર લડાઈ થઈ, કનકચૂડના લશ્કરમાં ભંગાણ પડવાની તૈયારી હતી તે વખતે નંદિવર્ધન ઘૂમ્યો, સમરસેનને શક્તિવડે ઠેકાણે પાડી દીધે, તૂમને અર્ધચંદ્ર બાણવડે ઠાર કર્યો અને બીજી બાજુએ કનકશેખરે વિભાકરને હરાવ્યો પણ જીવતો પકડી લીધો. વિજયનું આખું માન નંદિવર્ધનને મળ્યું. નંદિવર્ધને તે માન હિંસાદેવીની કરતાને અને વૈશ્વાનરને આપ્યું અને મોટા વિજયના ભવ્ય દેખાવ સાથે તેને નગરપ્રવેશ થયો. પૃ. ૫૮૨-૫૮૮ - પ્રકરણ ૨૪ મું-કનજર. નગરપ્રવેશપ્રસંગે જ્યારે નંદિવર્ધનને રથ રાજગઢ પાસે આવ્યો ત્યારે તેણે ઝરૂખામાં કનકચૂડ રાજાની પુત્રીકનકશેખરની બહેન-કનકમંજરીને જોઈ અને જોતા જ તે તેના ઉપર આસક્ત થઈ ગયો. ચતુર સારથિ ચેતી ગયે-સમજી ગયો અને શેઠની ફજેતી ન થાય માટે રથને હંકારી ગયો. નંદિવર્ધન મુકામે પહોંચ્યો અને એણે આખી રાત બહુ વ્યાકુળપણે ગુજારી. કનકમંજરીની સૌદર્યલાવણ્યમય મૂર્તિ એના હદયપર ચોંટી રહી અને તેણે એને ગાંડે બનાવ્યો. સવારે સારથિ આવ્યો અને નંદિવર્ધને ઘણા ગોટા વાન્યા પણ એણે ચતુરાઈથી નંદિવર્ધન પાસેથી વાત કઢાવી. તેણે છેવટે કહ્યું કે એ દુઃખનું ઔષધ તે જાણે છે એટલે નંદિવર્ધનની આતુરતા વધી પડી. સહજ મશ્કરી કરીને પછી સારથિએ વાત કરી કે જ્યારે તે કુંવર પાસે આવતો હતો ત્યારે તેને એક વૃદ્ધ દાસી કપિંજલા મળી, તેની પાસેથી તેની શેઠાણી દેવી મલયમંજરી અને કુંવરી કનક મંજરીના સંબંધમાં ગઈ રાત્રે શું બન્યું હતું તે પોતાના જાણવામાં આવી ગયું. વાત એમ બની કે સવારી પૂરી થતી વખતે તે દાસીએ કનકમંજરીને તદ્દન મુંગી અને એકાગ્ર ધ્યાનસ્થ સ્થિતિમાં જોઇ તેને બોલાવવા પ્રયત કર્યો. આખરે થાકીને તેણે દેવી મલયમંજરીને ત્યાં લાવ્યા. અનેક બાહ્ય ઉપચાર કર્યા પણ કનકમંજરીની સ્થિતિ વધારે બગડતી ચાલી, એને દાહવર વધતા જ ચાલ્યા અને એ વધારે દુ:ખી થતી જણાઈ. છેવટે એને ઠંડક માટે અગાશીમાં લઈ ગયા પણ એની સ્થિતિ વધારે વધારે બગડતી ચાલી. રાણીએ કનકમંજરીની આ પ્રકારની સ્થિતિનું કારણ શોધવા માડયું. નંદિવર્ધનને જોયા પછી એ સ્થિતિ કંવરીની થઇ ગઈ છે એમ તેને બીજી દાસીએ કરેલા અવલોકનની વાતથી જણાયું. હવે તેજ વખતે ત્યાં કનકમંજરીની મોટી બહેન મણિમંજરી આવી પહોંચી, તે હરખાતી દેખાઈ અને હરખનું કારણ પૂછતા જણાયું કે તે તે વખતે કનકચૂડમહારાજા અને ભાઇ કનકશેખર પાસેથી આવી હતી, પિતાપુત્રે વાતચીત દરમ્યાન ગઈ કાલે નંદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy