SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચો કથા. પ્રકરણ ૨૦ મુવિમલાનના અને રાવતી. ઉપરની વાત થયાને દશ દિવસ થયા ત્યાં તો કનકશેખરને તેડવા તેના પિતાના માણસો આવ્યા. નંદિવર્ધન અને કનકશેખર પદ્મરાજા પાસે આવ્યા. ત્યાં તો સુમતિ, વરાંગ અને કેશરિકનકશખરના પિતાના પ્રધાને બેઠા હતા તે કનકશેખરને નમ્યા. પછી વાત ઉપરથી સમજાયું કે કનકશેખરના વિદાય થયા પછી રાજા કનકચૂડ બહુ દુ:ખી થયા, ચતુરના કહેવાથી કુમાર ગયાના સમાચાર જાણ્યા અને અનુમાનથી તે જયસ્થળે ગયેલ હશે એમ ધાયું. માતાએ ભજનો ત્યાગ કર્યો. રાજાએ દુર્મુખને દેશવટે આપે. તે વખતે વળી એક બીજી વાત બની. વિશાળાનગરીના નંદનરાજા તરફથી એક દત કુશાવર્તપૂરે આવ્યો. એ નંદરાજાને બે રાણીઓ હતી. તેમાં પ્રભાવતીથી વિમલાનના પુત્રી થઈ અને બીજી પદ્માવતીથી રવતી પુત્રી થઈ. એ પ્રભાવતી રાહીન પ્રભાકર નામનો ભાઈ હતો જે કનકપુરનો રાજા હતા. એ ભાઈ બહેને સંતતિ થયા પહેલાં નિર્ણય કર્યો હતો કે જે તેમને પુત્ર પુત્રી થાય તો તેમને વિવાહ સંબંધથી જોડવા. એ હિસાબે વિમલાનના અને વિભાકર (પ્રભાકરના પુત્ર)ને સંબંધ થવા ઇએ. હવે બન્યું એમ કે વિમલાનનાએ કનકશેખરનું નામ જાણ્યું ત્યારથી તેના પર પ્રેમમાં પડી ગઇ અને તેને જ વરવાનો નિશ્ચય કરી બેઠી હતી. તેના પિતાએ જોયું કે પુત્રી તેના ધારેલા પતિને વર્યા સિવાય જીવે તેમ નથી તેથી તેણે વિમલાનનાને કુશાવર્તપુરે મોકલી આપી તેની સાથે તેની બહેન રવતી પણ ત્યાં આવી. ત્યાં તો કુમાર ન હતા એટલે કુમારના પિતા કનકચૂડને ચિંતા થઈ. તેથી પોતાના ત્રણે મુખ્ય પ્રધાનોને તેડવા સારૂ જયસ્થળ નગરે મોકલ્યા હતા. પદ્મરાજા સમક્ષ આ વાત ત્રણે પ્રધાનેએ કરી હતી અને કનકશેખરને મોકલવા તેમજ તેની સાથે નંદિવર્ધનને પણ રતવતીનું પાણિગ્રહણ કરવા માટે મેકલવા વિજ્ઞપ્તિ કરી. કુંવરોની સંમતિ લઈ પતરાજાએ એ વાત સ્વીકારી અને બન્નેને કુશાવર્તપુરે મોકલ્યા. મૃ. ૫૬૪-૫૭૦ - પ્રકરણ ૨૧ મું-રૌદ્રચિત્તે હિંસા લગ્ન. નંદિવર્ધન ચાલે ત્યારે તેની સાથે પુણ્યોદય અને વૈશ્વાનર પણ ગયા. હવે રૌદ્રચિત્ત નગરમાં દુષ્ટાભિસબ્ધિ નામના રાજ અને નિષ્કરૂણતા નામની રાણીથી હિંસા નામની પુત્રી થઈ હતી. નંદિવર્ધનના મિત્ર વૈશ્વાનરની માતા અવિવેકિતા હતી તે દ્વેષગજેન્દ્રની સ્ત્રી થાય અને દ્વેષગાઁ મહામહને પુત્ર થાય. નંદિવર્ધન કહે છે કે એ મારા મિત્રની માતા પોતાનું તામસચિત્ત નગર છોડી રૌદ્રચિત્તપુરે થોડા વખતને માટે આવી હતી. તે મારા મિત્રની માતાના આગ્રહથી મારું હિંસાદેવી સાથે રસ્તામાં લગ્ન અવિવેકિતા એ કરાવી આપ્યું. હિંસાની સાથે પ્રેમ વધારવાના હેતુથી વૈશ્વાનરે નંદિવર્ધનને સલાહ આપી કે ગમે તેને વિના કારણે પણ મારી નાખવામાં સંકોચ ન કરો જેથી હિંસાદેવી વધારે પ્રેમ રાખશે-વૈશ્વાનરની આ સલાહ નંદિવર્ધને માન્ય કરી અને શિકાર કરવા દ્વારા તે સલાહને અનુસરવાની શરૂઆત કરી. પૃ. ૫૭૧-૫૭૮ પ્રકરણ ૨૨ મું-અંબરીષ બહારવટીઆને નાશ અને લગ્ન. નંદિવર્ધન અને કનકશેખર આગળ ચાલ્યા. કનકશેખરના ગામ કુશાવર્તપુરના સિમાડામાં અંબરીષ જાતિના બહારવટીઆઓ સાથે મોટી લડાઈ થઈ. તેમનો આગેવાન અવરસેન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy