SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રસ્તાવ-કથાસાર. ૨૫ જેવા ઘણું બાળકો છે એમ જણાવ્યું અને છેવટે કર્તવ્યને ઉપદેશ કર્યો; દુર્જનની સોબત ન કરવા ખાસ વિવેચન કર્યું. સર્વેએ દીક્ષા લીધી. મનીષી તેજ ભવે મોક્ષે ગયો, રાજા આદિ મધ્યમ છ દેવલોકે ગયા. પૃષ્ઠ ૫૩૫-૫૪૭ (સ્પર્શન કથાનક સંપૂર્ણ) - પ્રકરણ ૧૮મું-કનકશેખર. હવે અસલ વાર્તા આગળ ચાલે છે. પ્રકરણ ૩ જા સાથે સંબંધ છે. વિદુરે અંતર કથા કરી છે. વિદુર વાર્તા કહી રહ્યા પછી તેને સાર કહેતાં કુસંગતિથી દૂર રહેવા કુમાર નંદિવર્ધનને ભલામણ કરતો આપણે હવે જોઈએ છીએ. નંદિવર્ધન સમજ્યો પણ જ્યાં વેશ્વાનરની સંગતિ મૂકવાની વાત વિરે કહી ત્યાં તે ચમકે અને તતડાવીને વિદુરને એક તમાચો ખેંચી કાઢો. વિદર ગમ ખાઈ ગયો પણ પદ્મરાજાને તેણે જણાવ્યું કે નંદિવર્ધનને કુસંગત છૂટવી મુશ્કેલ છે. દિવઈન હવે યુવાન થયો. તેને રહેવા માટે તેના પિતા પદુમરાજાએ જાદુ વાસભુવન આપ્યું. ત્યાંથી તે દરરોજ પિતાને નમન કરવા સવારે જતો હતો. એક વખત પિતાને નમીને આવ્યો ત્યાર પછી તુરત જ ધવળ નામને સેનાપતિ તેને પાછો તેડવા આવ્યો અને જણાવ્યું કે “કુશાવર્તપુરના રાજા કનકચૂડનો પુત્ર નગર બહાર વનમાં આવ્યો છે તેને તેડી લાવવા રાજા સાથે કુમારે પણ સામે જવાનું છે.” કુમારે આજ્ઞા માથે ચઢાવી અને તપાસ કરતાં જાણ્યું કે કનકશેખર પોતાના મામાને છોકરો થાય છે. કનકશેખરને ઉતારો નંદિવઘેનના વાસભુવનમાં આપવામાં આવ્યો. પૃ. ૫૪૮-૫૫૩ પ્રકરણ ૧૯મું-ખટપટી દુર્મુખ અને કનકશેખર. નંદિવર્ધન અને કનકશેખરને બહુ સારી મિત્રતા થઈ. એક વખતે નંદિવર્ધને કનકશેખરને આવવાનું કારણ પૂછ્યું એટલે કનકશેખરે પોતાની વાત નીચે પ્રમાણે કહી– એક વખત દત્ત નામના જૈન સાધુ મારા નગર બહાર આવ્યા. તેમનો ઉ૫દેશ મને ઘણું સારો લાગ્યો. તેમને મેં ધર્મને સાર પૂછતાં તેમણે અહિંસા, દયાનયોગ, રાગાદિપર અંકુશ અને સાધમી પર પ્રેમ-એ ચાર વાત કહી. મને સાધમપર પ્રેમની વાત ઘણી રૂચી અને કર્તવ્યરૂપે થઈ શકે તેવી લાગી. પિતાને જણાવીને સાધમપર-જૈનીપર કર કાઢી નાખ્યો અને તેમને અનેક રીતે સહાય કરવા માંડી. લોકો પણ એથી ધર્મસન્મુખ વધારે થયા. અમારે ત્યાં એક દુર્મુખ નામનો ખટપટી કારભારી હતો તેણે રાજાના કાન ભંભેર્યા, મારા ભેળપણને કેટલાક લોકો ગેરલાભ લે છે એમ જણાવ્યું, સરળ પિતાને એ ખટપટીએ ખૂટે માર્ગે દોરવ્યા. પછી એ મારી પાસે આવ્યો અને સ્વામીવાત્સલ્યના ગેરલાભ કહેવા લાગ્યો. મેં તેના મુદ્દામ જવાબ આપ્યા. મારી ચુસ્તતા જોઈ દુર્મુખે બાજી બદલી નાખી પણ મને તેમાં ગેટે જણાયો એટલે મારા સેવક ચતુરને મેં તપાસ કરવા કહ્યું. તેણે તપાસ કરી જણાવ્યું કે દર્ભેખ તો જેની પાસેથી પણ કર લે છે અને પિતાશ્રીની તેને સંમતિ મળી છે. એ વાત જાણતાં મને ઘણે ખેદ થયો અને હું કુશાવર્તનગર છોડી અપમાન થવાને લીધે અહીં ચાલ્યો આવ્યો. ૫. પપ૪-૫૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy