SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૭] અસંવ્યવહાર નગરે. ૩૦૫ તાબામાં છું અને તેટલા માટે જ હું તત્રિયોગના નામથી ઓળખાઉં છું. હવે હાલમાં જ પેલા સદાગમે કેટલાક જીવોને છોડાવ્યા છે.' આ પ્રમાણે બનવાથી ભગવતી લોકસ્થિતિએ તેટલા જીવોને અહીંથી લઈ જવા માટે મને તમારી પાસે મોકલ્યો છે. આ હકીકત આપ સાહેબે સાંભળી, હવે એગ્ય લાગે તે પ્રમાણે હુકમ ફરમાવો.” “જેવી લેકસ્થિતિની આજ્ઞા ” એ પ્રમાણે બોલીને સરસુબાએ અને સન્યાધિપતિએ જણાવ્યું કે દેવીએ જે આજ્ઞા કરી છે તે પાળવાને અમે તૈયાર છીએ. તીવ્રમેહદય-“ભદ્ર ત્રિગ ! તું અમારી સાથે ચાલ, આ અસંવ્યવહાર નગર કેટલું વિશાળ છે તે તને બતાવીએ. પછી તું પાછો જા ત્યારે તે જે સર્વ જોયું હોય તે મહારાજાધિરાજને જણાવજે, જેથી તેઓ સાહેબને લેકે ઓછા થઈ જવાની કઈ પણ કાળે ચિંતા રહેશે નહિ.” તજિગ-ચાલે સાહેબ! જેવી આપની આજ્ઞા.” અસંવ્યવહાર નગરદર્શન, એમ કહીને તત્રિયોગ ઊભો થયો અને તે જ વખતે તે ત્રણે જ શુઓ અસંવ્યવહાર નગર જોવાને ચાલી નીકળ્યા. હાથ ઊંચા કરીને તીવ્રમેહદયે ગાળક” નામના મોટા મોટા પ્રાસાદ-મહેલો બતાવ્યા. તે દરેક મહેલમાં નિગોદ નામના અસંખ્ય ઓરડાઓ બતાવ્યા. એ ઓરડાને વિદ્વાનો “સાધારણું શરીર એવું નામ પણ આપે છે. એ ૧ એટલે કેટલાક મનુષ્યો હાલ મોક્ષ ગયા છે. (મોક્ષમાર્ગ તો ચાલ્યાજ કરે છે. પણ સંસારીજીવને નીકળવાનો અવસરનું આ વર્ણન છે તે ધ્યાનમાં રાખવું.) ૨ નિગોદના જીનાં સ્થાન ગોળ આકારવાળાં હોય છે અને તેનું નામ ગોળક કહેવાય છે. આ લોકમાં એવા અસંખ્ય ગોળા હોય છે. સેયના અગ્ર ભાગ પર અસંખ્ય ગોળા રહે છે. (નિગદના જીવોને એક ઇંદ્રિયસ્પર્શ હોય છે. પાંચ પ્રકારના સૂક્ષ્મ જીવો હોય છે. પૃથ્વીકાય અકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય, પણ અનંત નિગદ તે સૂક્ષ્મ વનસ્પતિકાયજ સમજવા. એ સૂક્ષ્મ જીવો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે અને મોક્ષમાં અનન્ત જીવા ગયા કરે છે, પણ એક નિગદને અનંતમે ભાગ પણ ખાલી થતા નથી. આથી કાળના સમય કરતાં જીવસંખ્યા વિશેષ છે એમ જાણવું. ૩ ઉપર કહ્યું તેમ પ્રત્યેક ગોળકમાં અસંખ્ય નિગદ હોય છે. મહેલમાં - રડાઓ હોય તેમ ગોળકરૂપ મહેલમાં નિગોદરૂપ ચેંબરો છે. ૪ સાધારણ શરીર. અનંત જીવોને ધારણ કરનાર એક શરીર હોય તેને * સાધારણ શરીર’ કહે છે. સાધારણ શરીર સૂક્ષ્મ અને બાદર બે પ્રકારનાં હોય છે. અત્ર વિવક્ષા સૂક્ષ્મની ચાલે છે ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy