SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૨ કાર પર તેની કાયમને માટે નીમણુક કરેલી હોવાથી લોકસ્થિતિની તે લેકસ્થિતિનું જોર વધારે રહે છે. તેને એ અધિજવાબદારી. કાર આપ્યો ત્યારે આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે- બહેન! આપણે સદા શત્રુવટ ધરાવનારે કઈ પણ રીતે ઉખેડી ન શકાય તેવો સદાગમ નામનોં મેટો દુશ્મન છે. એ વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે ફાવે છે ત્યારે ત્યારે આપણું લશ્કરને હઠાવી દઈ તેનો પરાભવ કરે છે અને આપણે રાજ્યમાં દાખલ થઈ કેટલાક લકોને તેમાંથી બહાર કાઢી મૂકે છે અને આપણાથી તદ્દન અગમ્ય (જ્યાં ન જઈ શકાય તેવી), આપણને જ્યાં પ્રવેશ કરવાનો અધિકાર કે સત્તા પણ નથી એવી નિવૃત્તિ નગરીમાં મોકલી દે છે–સ્થાપન કરે છે. આમ જે લાંબો કાળ ચાલે છે તે આપણી વસ્તી ઘટી જાય અને જ્યાં ત્યાં આપણે અપજશ બેલાય, એ વાત તો કોઈ પણ રીતે સારી ગણાય નહિ, માટે બહેન! લેકસ્થિતિ! તારે આ પ્રમાણે ગોઠવણ રાખવી. ગમે તેમ કરીને મારું સ્વરૂપ તો ફેરફાર વગરનું જ રહેવું જોઈએ, તેટલા માટે તારે અસંવ્યવહાર નગરનું સારી રીતે રક્ષણ કરવું, અને જેટલા પ્રાણીઓને પેલે સદાગમ અહીંથી છોડાવે અને મારા રાજ્યમાંથી બહાર પિલી નિવૃત્તિ નગરીમાં મેકલી આપે તેટલા પ્રાણીઓને તારે અસંવ્યવહાર નગરમાંથી લાવીને મારી સત્તા ચાલે તેવા સ્થાનમાં મૂકી આપવા. આ પ્રમાણે કરવાથી સર્વ સ્થાનેમાં જીવો ઘણું મોટા પ્રમાણમાં રહ્યા કરશે અને તેમ કરવાથી સદા ગમે અમુક પ્રાણીઓને છોડાવ્યા એની વાત પણ કઈ જાણી શકશે નહિ અને કેને એ વાત સંભારવાનું કારણ પણ રહેશે નહિ. વળી વધારે અગત્યની બાબત તો એ છે કે એ પ્રમાણે લેકેની (વસ્તીની) સંખ્યામાં ઘટાડો ન થવાથી આપણું આબરૂને પણ જરાએ કલંક લાગશે નહિ.” લોકસ્થિતિની પાસે જ્યારે કર્મપરિણામ મહારાજાએ આ પ્રમાણે વાત કરી હતી ત્યારે તેણે પણ “મટી કૃપા” એમ કહી એ પ્રમાણે કરવાનો અધિકાર અંગીકાર કર્યો હતો. હું પોતે પણ જે કે મહારાજા ધિરાજ કર્મપરિણામને નોકર છું તોપણ વિશેષ કરીને તે લોકસ્થિતિનાજ ૧ નિયમ એવો છે કે જેટલા પ્રાણીઓ મોક્ષે જાય છે તેટલી સંખ્યામાં નિગેદમાંથી નીકળી પ્રાણી વ્યવહારી થાય છે, અને નિગાદમાં તે અનંતા જીવો હોવાથી ત્યાં કાંઈ ઓછાશ જણાતી નથી. પરિણામે સર્વ ગતિમાં જીવસંખ્યામાં વધારે કે ઘટાડો થતો નથી. આ પ્રમાણે લેકસ્થિતિ ચાલ્યા કરે છે. ૨ મતલબ એ છે કે ઉપર જણાવ્યું તેમ સંસારધટનાઓ એવા પ્રકારની ચાલે છે કે જ્યારે અમુક જીવો મેક્ષ જાય છે ત્યારે તેટલાજ જીવ લેકસ્થિતિના નિયમ પ્રમાણે નિગબળે અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી આવે છે. એવા પ્રકારનો નિગ કરી આપનાર-સંબંધ જોડી આપનાર લેકસ્થિતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy