SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭] અસંવ્યવહાર નગરે. ૩૦૧ તીવ્રમેહદય નામે સરસુબો હમેશને માટે તે હોદા પર નીમાયેલા રહે છે. તે નગરમાં વસતા સર્વ લેકે કર્મપરિણામ મહારાજાના હુકમથી જ અસ્પષ્ટ ચેતનાવાળા હોવાને લીધે જાણે ઉંઘતા ન હોય, કાર્ય કે અકાર્ય શું છે તેને વિચાર નહિ હોવાને લીધે જાણે મદિરાપાન કરેલા ન હોય, એક બીજામાં લોલીભૂત થઈ જતા હોવાથી જાણે મૂચ્છ પામેલા ન હોય અને સ્પષ્ટ દેખાય તેવી કઈ ચેષ્ટા કરતા ન હોવાથી જાણે મૃત્યુ પામેલા ન હોય તેવા દેખાય છે; એ સર્વ જીવોને અત્યંતઅબોધ અને તીવ્રમોહદય નિગોદ નામના ઓરડામાં નાખી તેને એકપિંડ જેવા કરીને હમેશાં નિગદમાં રાખી મૂકે છે. આ કારણને લઈને તે સર્વ જીવો છવસ્થિતિ. અત્યંત મૂઢ થઈ ગયેલા હોવાથી કાંઈ જાણતા નથી, કાંઈ બોલતા નથી, કાંઇ હાલતા ચાલતા નથી, છેદાતા નથી, ભેદાતા નથી, બળતા નથી, જતા આવતા નથી, કુટાતા નથી, આઘાત પામતા નથી અને વેદના (પીડા)ને વ્યક્ત રીતે સહન કરતા નથી. આ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો લેકવ્યવહાર પણ તેઓ બાપડા કરતા નથી. આવી રીતે તે નગરમાં વસનારા જીવોને કઈ જાતનો વ્યવહાર ન હોવાથી તે નગરનું નામ “અસંવ્યવહાર” કહેવામાં આવે છે. તે નગરમાં સંસારીજીવ નામને હું પણ એક કુટુંબી હતું. એ નગરમાં વસતાં મને અનંત કાળ વ્યતીત થયો. ૧ તીવદયઃ મોહનીય કર્મને ખરેખર ઉદય તેના આકરા સ્વરૂપમાં અત્ર હોય છે. એને લઈને પ્રાણ તન મુંઝાઈ જાય છે અને સંસારને વળગી રહે છે. ૨ “મહત્તમ” આ શબ્દ મૂળમાં વાપર્યો છે. એનો અર્થ માટે અધિકારી અથવા અન્ય પર શાસન ચલાવનાર એ થાય છે. Lord of Asamvyavahara એ ભાવ એને છે. ૩ જેમ સેનાપતિની બદલી થાય છે, સરસુબ-વાઈસરોય બદલાય છે તેમ આ લોકેનું થતું નથી. તેઓ હમેશને માટે નીમાયેલા છે. ૪ સોયના અગ્ર ભાગમાં અનંત જીવો હોય તે અરસ્પરસ એક બીજામાં કેવી રીતે મળી જતા હશે તેનો ખ્યાલ કરે. વધારે સ્પષ્ટ સમજવું હોય તે “ નિદ પશ્ચિશિકા” પ્રકરણ વાંચી જવું. ૫ નિગદના જીવો તીવ્ર અજ્ઞાન અને મોહમાં મસ્ત હોવાથી તેઓના સંબંધમાં અત્રે જે સ્થિતિ વર્ણવી છે તે બરાબર બંધબેસતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy