SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ (SOCAT?S generature inી કn sinha Tug મin, TETILD gir OLELHET પ્રકરણ ૭ મું. અસંવ્યવહાર નગરે. આ લેકમાં અનાદિ કાળથી પ્રતિષ્ઠિત (સ્થપાયેલી અને અનંત જનોથી ભરેલું એક અસંવ્યઅત્યંતઅધ વહાર' નામનું નગર છે. તે આખા અને તીવ્રમોહદય. નગરમાં અનાદિવનસ્પતિ નામના કુળપુત્રો રહે છે. ત્યાં અગાઉ જણુંવેલા કર્મપરિણુમ રાજાના સંબંધી અત્યંત અબેધનામે સેનાપતિ અને ૧ આખા વિશ્વના બે મોટા વિભાગ છે: લોક અને અલોક. લોકમાં છવ અને અજીવ સર્વ વિદ્યમાન હોય છે, અજીવનાં પાંચ દ્રવ્યો ત્યાં હોય છે. અલોકમાં જીવ હતાજ નથી અને અજીવનાં પાંચ દ્રવ્ય પૈકી માત્ર એક આકાશ દ્રવ્યજ લભ્ય છે. લોકનું પ્રમાણુ ચૌદ રાજનું છે જે સંબંધી હકીકત લોકપ્રકાશના ક્ષેત્ર વિભાગથી વિચારી લેવી. ૨ આ અસંવ્યવહાર નગર તે અનંત સૂફમવનસ્પતિ સમજવી. એને સૂક્ષ્મ નિગેદ કહેવામાં આવે છે. તેના અસંખ્ય ગેળા હોય છે, પ્રત્યેક ગળામાં અસંખ્ય “નિગોદ હોય છે અને દરેક નિગોદમાં અનંત જીવો હોય છે. અતીત, અનાગત અને વર્તમાન કાળના જેટલા સમય થાય તેના કરતાં એક નિગોદમાં છ અનંત ગુણ છે. આથી દરેક સમયે ઉત્કૃષ્ટ સંખ્યાએ છ મેક્ષમાં જાય તે પણ સર્વ જીવોનો સંસારમાંથી અભાવ થતો નથી. સૂમ નિગોદમાં હોય છે ત્યાં સુધી પ્રાણુ “અવ્યવહારી” કહેવાય છે, એક વાર બાદર રૂપ લીધા પછી તે વ્યવહારી' કહેવાય છે; એક વાર બાદર રૂપ લીધા પછી સૂમ નિગોદમાં ફરી વાર જાય તે પણ તે “અવ્યવહારી' કહેવાતા નથી. સાયના અગ્ર ભાગ ઉપર અસંખ્ય ગોળા અને તે દરેકમાં અનંત છ રહી શકે છે. ૩ કુળપુ એટલે ઉમરા, ખાનદાન-અમીર કુળમાં ઉત્પન્ન થયેલા ગર્ભ શ્રીમતે. અહીં અનાદિ કર્મસંતતિવાળા જીવો સમજવા. ૪ કર્મપરિણામ રાજાનું રાજ્ય મનુજગતિ નગરીમાં બતાવ્યું છે, પણ તેની સત્તા સર્વ લોક પર ચાલે છે. તેણે પોતાના રાજ્યમાંથી સુબા તરીકે કામ કરી શકે તેવા આ અત્યંત અબાધ અને તીવમેહદયને અસંવ્યવહાર નગર ૫ર રાજ્ય ચલાવવા મોકલ્યા છે. ૫ અત્યંતઅધઃ મહા અજ્ઞાન-અજાણપણું-મિથ્યાત્વ પર આ રૂપક છે. સર્વ જીવને અક્ષરને (જ્ઞાન) અનંતમાં ભાગ તે ખુલ્લા જ રહે છે. તેટલું બાદ કરતાં સર્વથી વધારે જડપણું-અજ્ઞપણું આ નિગોદના જીવને હોય છે. ઉક્રાન્તિમાં સર્વથી છેલ્લે પગથીએ આ જીવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy