SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ ] સંસારીજીવ તસ્કર. ૨૯૯ હવે અગૃહતસંકેતાએ સંસારીજીવને પૂછયું “ભદ્ર! તે શું ગુન્હો કર્યો હતો કે જેથી આ જમ જેવા રાજપુરુષએ તને પકડ્યો હતો?” અગ્રહીતસંકેતાનો આ પ્રશ્ન સાંભળીને સંસારીજીવે જવાબ આ “આપ એ બાબત પૂછવું જવા દો, એ બાબચારને તેમાં કાંઇ માલ નથી, એ હકીકત ખાસ કહેવા લાયક અહેવાલ. નથી. મહાત્મા સદાગમ એ આખો બનાવ અને સર્વ હકીકત સારી રીતે જાણે છે એટલે એ કહેવાની જરૂર પણ નથી,” એટલે સદારામે કહ્યું કે “આ અગ્રહીતસંકેતાને તારે વૃત્તાંત સાંભળવાનું કુતૂહળ છે તે તેની જિજ્ઞાસા તૃપ્ત કરવા માટે તારી હકીક્ત કહે, એમાં કોઈ વાંધો નથી.” સંસારીજીવે કહ્યું “જેવી આપ સાહેબની આજ્ઞા, પરંતુ સર્વ લેકે સાંભળે તેવી રીતે મારા ઉપર થયેલી વિડંબનાનું વર્ણન કરવાને હું સમર્થ નથી તેથી આપણે નિર્જન સ્થાનકે (એકાન્તમાં) બેસીએ. આપ એ પ્રમાણે આજ્ઞા કરવાની કૃપા કરો.” સદાગમે તે વખતે સભા તરફ નજર કરી, એટલે સભામાં આ વેલા વિચક્ષણ લેકે તુરત ઉઠીને દૂર જઈને બેઠા. બીજા લેકે ઉસ્થા તેની સાથે પ્રજ્ઞાવિશાલા પણ ઉઠવા લાગી, એટલે તેને ગુરુ મહારાજે બેસવાની આજ્ઞા કરી. તેની બાજુમાં ‘સદાગમના કહેવાથી ભવ્યપુરુષ પણ બેઠે. પછી આ ચારેની સમક્ષ આગ્રહીતસંકેતાને ઉદ્દેશીને સંસારીજીવે પિતાની હકીકત કહેવા માંડી. ૧ બીજા લોકો કોણ હતા તે આઠમા પ્રસ્તાવમાં જણાશે. આ સંસારીજીવ મેટા ચક્રવતી છે અને તેજ ચેર છે એમ બતાવ્યું છે. આ સર્વ બાબતને મેળ આઠમા પ્રસ્તાવમાં મળશે. પ્રજ્ઞાવિશાલા તે મહાભદ્રા સાવી છે, આચાર્યની બહેન થાય છે, સદાગમ સમંતભદ્ર આચાર્ય છે, ભયપુરુષ તે રાજપુત્ર પુંડરીક છે અને અગ્રહીતસંકેતા તે સુલલિતા છે, અને ચાર તે અનુસુંદર ચક્રવર્તી છે. ૨. ૧ સદાગમ મહાત્મા, ૨ પ્રજ્ઞાવિશાલા, ૩ ભવ્યપુરુષ, ૪ અગૃહીતશકતા. આ ચારની સમક્ષ સંસારીજીવ પિતાને વૃત્તાંત કહે છે. ભવપ્રપંચની કથા અત્રેથી ખરેખરી શરૂ થાય છે. એ કથા બહુ મનનપૂર્વક વાંચી વિચારવાની જરૂર છે. વાંચનારે પોતે ખાસ વિચાર કરો કે જે સ્થિતિ અત્ર વર્ણવી છે તેમાંથી તે પેતે અનેકવાર પસાર થયો છે. જરા સુખમાં પડતા દુઃખ વિસરી જાય છે, પણ તેને અનેક રીતે સહન કરવું પડયું છે. આ ગ્રંથની વિચારણા જેમ સવિશેષ થશે તેમ સંસારનું સ્વરૂપ બરાબર લક્ષ્યમાં આવશે. અહીં સંસારીજીવ ૫હેલા પક્ષમાં પોતાનું ચરિત્ર કહેવા લાગે છે તે ૮ મા પ્રસ્તાવ સુધી ચાલે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy