SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [પ્રસતાવ ૨ ફરી વળેલા હતા, જોકે તેની નિંદા કરી રહ્યા હતા, તેનું આખું શરીર ધ્રુજતું હતું, આંખો ચકળવકળ થતી હતી, ભયથી છાતી ધડકતી હતી અને દશે દિશાઓમાં આમતેમ અસ્થિરપણે તે જોયા કરતો હતો. આ બનાવ જોઈને પ્રજ્ઞાવિશાલાને બહુ દયા આવી. તેણે મનમાં વિચાર કર્યો કે મહાત્મા સદાગમ સિવાય બીજું કઈ ચોરે લીધેલો સ- પણ આ બાપડાની રક્ષા કરી શકે એમ લાગતું નથી. દાગમઆશ્રય. આ પ્રમાણે વિચાર કરીને પ્રજ્ઞાવિશાલા પેલા સં સારીજીવ ચર પાસે ગઈ, અને એને સમજાવીને મહા પ્રયને તેણે એ ચારને સદાગમનાં દર્શન કરાવ્યાં અને કહ્યું ભદ્ર! તું આ મહાપુરુષનું શરણ લે.” તે ચોર પણ જેવો સદાગમની નજીક આવ્યું તેજ જાણે તેનામાં અપૂર્વ વિશ્વાસ આવી ગયો હોય નહિ તેવી ચેષ્ટા કરવા લાગ્યો અને તેવા પ્રકારના વિચાર કરવા લાગ્યું. તે વખતે કેઈ અપૂર્વ અવર્ણનીય અવસ્થાને તે અનુભવ કરવા લાગ્યો. પછી સર્વ લેકે હજુ તે તેની સામી નજર કરી રહ્યા છે તેવામાં તે તે પિતાની આંખો મીંચી દઈને જમીન પર પડી ગયો. એવી રીતે જમીન પર પડ્યા પછી કેટલેક કાળ તે તે હાલ્યા ચાલ્યા વગર તદ્દન નિશ્ચળ પડી રહ્યો. આ ચોરને એકાએક શું થયું હશે? એવા વિચારથી નગરના લેકે જે તેની પછવાડે આવ્યા હતા તે આશ્ચર્ય પામવા લાગ્યા. ત્યારપછી ધીમે ધીમે તે ચરને ચેતન પ્રાપ્ત થઈ અને જરા સાવધ થયું. પછી તેણે ઉઠીને સદાગમને ઉદ્દેશીને મોટા સ્વરથી પકાર કર્યો, “હે નાથ! મારું રક્ષણ કરે, રક્ષણ કરે. તેના આવા શબ્દ સાંભળીને “તું ભય રાખ નહિ, તને અભય હે, અભય હો!” એ પ્રમાણે બેલીને સદાગમે તેને આશ્વાસન આપ્યું. ત્યારપછી એ સદાગમ મહાત્માના શરણમાં આવ્યું. સદાગમ મહાત્માએ એ પુરુષનો સ્વીકાર પણ કરી લીધો. રાજાના સેવકે જેઓ સદાગમ મહાત્માનો મહિમા કેટલે મોટો છે અને તેમનામાં કેવી અદ્દભુત શક્તિ છે તે જાણતા હતા તેઓ મનમાં સમજી ગયા કે હવે આ પુરુષ આપણું રાજાની સત્તામાં રહ્યો નથી તેથી તેઓ વિચાર કરીને આખા શરીરે ધ્રુજતા ધ્રુજતા અકેક ડગલું પાછું ભરતા બહાર નીકળી ગયા અને દર પ્રદેશમાં જઈને બેઠા. તેઓ સમજી ગયા કે જ્યાં સુધી એ ચોરને સદાગમ સ્વીકાર કરશે ત્યાં સુધી પોતાનું કે પોતાના રાજાનું કાંઈ ચાલવાનું નથી; આથી રાહ જોતા તેઓ જરા દૂર જઈને બેઠા. સંસારીજીવને પણ આથી જરાક શાંતિ પ્રાપ્ત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy