SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા થા. તન્નિયેાગ દૂત પ્રવેશ, એક દિવસ સદરહુ તીવ્રમેહાદય સભા ભરીને બેઠેલા છે અને તેની બાજુમાં જરા ખસીને અત્યંતઅબેધ સેનાપતિ બેઠા છે તેવામાં તત્પરિણતિ નામની પ્રતિહારી સભામંડપમાં દાખલ થઇ; તે સમુદ્રના તરંગ ( મેાજાં )ની પેઠે માતીઓના સમૂહને ધારણ કરનારી હતી, ચેામાસાના સમયની લક્ષ્મીની પેઠે તે સમુન્નતપયાધરા હતી, ૪મલયાચલ પર્વતની મેખલાની પેઠે ચંદનની ગંધને ધારણ કરનારી હતી અને વસંત ઋતુની લક્ષ્મીની પેઠે સુંદર પત્ર, તિલક' અને આ ભરણેાવડે તે શેાભતી હતી. તેણે જમીન સુધી પેાતાના હાથ પગ અને મસ્તક નમાવી પ્રણામ કર્યા અને પછી હાથ જોડીને વિજ્ઞપ્તિ કરી “ હે દેવ ! આપણા સારી કીર્તિવાળા મહારાજા શ્રી કર્મપરિણામ તરફથી ત્રિયાગ' નામના દૂત આપની પાસે આવ્યેા છે અને આપ ૩૦૨ તત્પરિણતિ ની જાહેરાત. ૧ તત્પરિણતિ એટલે તથા પ્રકારની વૃત્તિ. મેાહનીય કર્મના ક્ષયાપશમથી વૃત્તિ પર અંકુશ આવતા જાય છે. અભેધ જરા બાજુ પર ખસી જાય ત્યારેજ વૃત્તિમાં સહજ પણ સુધારે થવા સંભવે છે. ૨ સમુદ્રના તરંગ જેમ મેાતીથી ભરેલી છીપાને વહન કરે છે તેમ આ પ્રતિહારીએ પેાતાના અંગ પર અલંકાર તરીકે મેાતીની માળાએ પહેરી હતી. [ પ્રસ્તાવ ૨ ૩ ચોમાસાની લક્ષ્મી જેમ (૧) સમુન્નત ( ઊંચે ચઢેલા ) પાધરા ( પય: એટલે પાણી-જળ, તેને ધારણ કરનાર વાદળાવાળી ) હોય તેમ તે પ્રતિહારી પણ (૨) સમુન્નત ( ઊંચા વધેલા હુષ્ટ પુષ્ટ ) પયાધર ( સ્તન )ને ધારણ કરનારી હતી. જયાધર શબ્દ અહીં શ્લેષ છે. ૪ મલયાચલ પર્વત પર ચંદનનાં વૃક્ષેા ઘણાંજ હેાય છે. સંસ્કૃત કવિએ તેને ચંદનની ગંધને ધારણ કરનાર અને ફેલાવનાર તરીકે ઘણી જગેાએ વર્ણવે છે. સેખલા એટલે ખાંચા પડેલી બાજી. ૫ મલયાચલની મેખલા: ( માજી ) (૧) ચંદનની ગંધ ફેલાવે તેમ આ પ્રતિહારી પણ ( ૨) પેાતાના શરીરે લગાડેલા ચંદનની ગંધ ચેાતરફ ફેલાવતી હતી. ૬ પત્રઃ (૧) વસંતશ્રી પક્ષે પાંદડાં અને (૨) પ્રતિહારી પક્ષે શરીર પર ચિત્રલી પત્રાકૃતિ. વસંત ઋતુ સુંદર પાંદડાં ધારણ કરે છે, તે સ્રી સુંદર પત્રવહી ધારણ કરે છે. વધારે ખુબસુરત દેખાવા માટે સ્તનાદિ પર પત્રનાં ચિત્રા કાઢવાને રિવાજ અગાઉ ઘણા હતા એમ જણાય છે. ૭ તિલક: ( ૧ ) વસંતશ્રી પક્ષે સુંદર પુષ્પવાળું એક જાતનું ઝાડ ( ૨ ) પ્રતિહારી પક્ષે કપાળમાં ચાંદલેા. આ શ્લેષને અર્થ સ્પષ્ટ છે. ૮ તન્નિયોગ: આ દૂતનું કાર્ય બહુ મેાટું નથી. તન્નિયોગ એટલે કર્મ અને કાળપરિણતિને સંબંધ (નિયેાગ ) કરાવી આપી જીવને તેના ચાગ્ય સ્થાન પર લઇ આવે તે. એ માત્ર દૂતકાર્ય કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy