SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ છે. એવી રીતે જૂદા જૂદાં પણ સારાં રૂપ અને સારા પાડે આપી તેઓ પાસે નાટક કરાવે છે, પણ એક વાત ચોક્કસ છે કે એવા પુરુષોને સારૂં રૂપ મૂકાવી દઇને હલકા અધમ-તુચ્છ રૂપથી અથવા તેવા ખરાબ પાઠો આપીને કદિ પણ તેઓ પાસે નાચ કરાવતો નથી. આ મેટી શક્તિવાળ કર્મપરિણામ મહારાજા પણ તે મહાત્માના ભયથી કંપી જાય છે એ એકજ હકીકત સદાગમનું માહાસ્ય સમજાવવા માટે પૂરતી છે. “વળી હે મૃગાક્ષિ! તને જે કૌતુક હોય તો તે સદાગમ મહાત્માનું કેવું રૂપ છે તે કહી સંભળાવું છું તે બરાબર સાંભળઃ પરમા «ર્થથી બરાબર જોઈએ તો એજ મહાત્મા ત્રણ જગસદાગમ- “તના નાથ છે, ખરેખરી રીતે સર્વ ઉપર સેહ રાખનું રૂપ. “નાર એજ છે, જગતનું શરણું પણ એજ છે, સર્વ પ્રાણીઓનો બંધુ (ભાઈ) પણ એજ છે, વિપત્તિના ઊંડા ખાડામાં પડેલાઓને એજ મહાત્મા ટેકો છે, સંસારઅટવી (વિકટ જંગલમાં ભૂલા પડેલાને સાચો માર્ગ બતાવનાર એજ મહા “પુરુષ છે, સર્વ વ્યાધિઓની ખરી દવા કરનાર મહાન વૈદ્ય પણ એજ છે, સર્વ વ્યાધિઓનો બરાબર નાશ કરનાર ઉત્તમ ઔષધ પણ એજ છે, સર્વ વસ્તુઓને પ્રકાશ કરનાર એજ મેટો દીપક છે, પ્રમાદ “(આળસ-સુસ્તી)રૂપ રાક્ષસના પંજામાંથી એકદમ છેડાવનાર એજ મહાત્મા છે, અવિરતિરૂપ મેલ અને લીલને ધોઈ નાખનાર પણ “એજ છે, (મન, વચન અને કાયાના) દુષ્ટ યોગોને વારવાના કામમાં ૧ મૃગાક્ષિક હરણ જેવી ચપળ આંખેવાળી. સુંદર સ્ત્રી. ૨ અત્ર વ્યાધિને ભાવ વ્યાધિ સમજવા. આ સંસારમાં અજ્ઞાનને લઈને સંગવિયોગજન્ય અનેક ઉપાધિ થાય છે. જ્ઞાનને પ્રકાશ પડતાં બંધ થાય અને તેથી સ્વપરને બરાબર ખ્યાલ આવે તે વ્યાધિને દૂર કરવાને ખરેખરો ઉપાય છે અને એ ખ્યાલ તે સદાગમ છે તેથી એને વૈદ્યનું સ્થાન આપ્યું છે. આવી યોજના સર્વ વિશેષણમાં કરવી. ૩ ત્યાગભાવ ન કરતાં સંસારમાં રાચી રહેવું તેને અવિરતિ ભાવ કહેવામાં આવે છે તે પ્રાયે અજ્ઞાનજન્ય હોય છે, મિથ્યાત્વમાં એ ભાવ વિશેષ વર્તતો હોય છે. ૪ મેલ-કચર અને લીલ (પાણી ઉપર દેખાતી સેવાળ)ને ધોઈ નાખનારસાફ કરનાર પાણીનું કામ સદાગમ કરે છે. અહીં અવિરતિરૂપ લીલ અને કચરે છે એમ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy