SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫]. સદાગમપરિચય. ગથી પણ એ મહાત્માનાં વચનોને અનુસરે છે-આવા અનેક પ્રકારના પ્રાણીઓને જે કે કર્મપરિણામ મહારાજા કેટલાક કાળ સુધી સંસારનાટકમાં નચાવે છે-ભમાડે છે તો પણ તેઓ સદાગમને વહાલા છે એમ માનીને તેઓની પાસે નારકીને અથવા તિર્યંચન કે ખરાબ મનુષ્યનો અથવા અધમ દેવતાનો કે અસુરને-એવા પાઠે ભજવાવતો નથી, પણ એવા જીવો પિકી કેઈને અનુત્તરવિમાનના દેવતાઓનું રૂપ આપે છે, કેઈને રૈવેયક દેવતાનું રૂપ આપે છે, કેટલાકને ઉપર રહેલા દેવલોકમાં કલ્પપપન્ન દેવતા બનાવે છે, કેટલાકને આ પૃથ્વી નીચે આવી રહેલા કલ્પપપન્ન મહર્ફિકદેવતા બનાવે છે, કેટલાકને ( તિષી) બનાવી અભૂમિ (આકાશ)માં ભૂરૂપતાને દેખાડનારા કરે છે અને કેટલાકને ચક્રવતી અથવા મહામંડલિક વિગેરે પ્રધાન પુરુષની પદવી આપે ૧ અનાગથીઃ અજાણતા. સમ્યગ બેધ વગર માત્ર પ્રકૃતિની સરળતાથી. ઘ દૃષ્ટિમાં આગળ વધતાં આવી સ્થિતિ થાય છે અને પ્રથમની ચાર દષ્ટિએ આ પ્રગતિમાર્ગ બતાવવા માટે જ નિર્દિષ્ટ થયેલી છે. ૨ બાર દેવલોકની ઉપર પાંચ અનુત્તરવિમાન છે. વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ. ત્યાં રહેલા દેવોને બહુજ સુખ હોય છે. જ્ઞાનાનંદમાં મગ્નતા અને કોઈ પણું પ્રકારની ઉપાધિને અભાવ-આ એ ગતિના દેવોનું ખાસ લક્ષણ છે. માર્ગનુસારી છની અનુત્તરવિમાનમાં ગતિ સંભવતી નથી તેથી આ વાક્ય વિચારવા યોગ્ય છે. જે સૂક્ષ્મ બેધવાળા અને ચારિત્ર ગ્રહણ કરેલા સમ્યમ્ દષ્ટિ જ હોય તેજ આટલે સુધી ગતિ સંભવે છે. - ૩ રૈવેયક-આ પણ એક પ્રકારના દેવે છે. વેયકના નવ પ્રકાર છે. ત્યાં પણ તદ્દન માર્ગોનુસારી છો જઈ શકતા નથી. સર્વચારિત્રીજ જાય છે. ૪ દેવલોક–દેવલોક બાર છે. મનુષ્યલોક પછી ઉપર જતાં બાર દેવલોક આવે છે. સુધર્મ દેવલોક વિગેરે તેનાં નામ છે. આ બારે દેવકના દેવતાઓ અને ઇકો તીર્થંકર મહારાજનાં ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્યપ્રાપ્તિ અને મોક્ષ અવસરે મહોત્સવ કરે છે તેથી તેઓ ક૯૫૫ન દેવ કહેવાય છે. તેઓને ક૯૫-(ફરજ) એવો છે કે તેમણે મહોત્સવમાં ભાગ લેવો જ જોઈએ. રૈવેયક અને અનુત્તરવાસી સુરોને તેમ કરવાને કલ્પ ન હોવાથી તેઓ કપાતીત કહેવાય છે. ૫ પૃથ્વીની નીચે આવેલા કોપપન્ન દે તે ભુવનપતિ (દશ), વ્યંતર અને વાણવ્યંતરોની જાતિના સમજવો. તેમાં પણ મહાકિ દેવ ઘણું હોય છે. મહાદ્ધિક દેવતાઓ જેમને મેટી દિ હોય છે તેઓ જે કે ઇંદ્રથી નાના ગણાય છે, પરંતુ તેઓની ઋદ્ધિ, સમૃદ્ધિ અને પરિવાર બહુ મોટા હોય છે. ૬ એટલે કેટલાકને તિષના દે બનાવી જમીન ૫-ભૂમિ પર ફરતા હોય તેમ ફરતા કરી મૂકે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચ પ્રકારના દેવને તિષના દેવ કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy