SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ઉપમિતિ ભવપ્રપંચો કથા. [પ્રતાવ ૨ પ્રજ્ઞાવિશાલા-એ સદાગમ ઘણે મોટો મહાત્મા પુરુષ છે અને તે દરરોજ અન્ય પ્રાણીઓ ઉપર ઉપકાર કરવા તૈયાર રહેતો હોવાથી સર્વ પ્રાણુઓનું હિત થાય-ભલું થાય એવાજ પ્રકારની પોતાની આ ચરણ કરે છે. વાત એવી છે કે પાપી પ્રાણીઓ હિતોપદેશને એ એનાં વચનને અનુસરતા નથી. આ મહાત્મા સદાગે સદાગમને ખેદ. ગમની કેટલી મહત્તા છે, એને જ્ઞાનવૈભવ કેટલે જબરે છે અને એને પરેપકાર કરવાની કેટલી તીવ્ર ઈચ્છા છે એ સર્વ બાબતનું તેનું માહાસ્ય પાપી પ્રાણીઓ સમજતા નથી. આ પ્રમાણે હકીકત હોવાને લીધે ભગવાન સદાગમ એ પ્રાણીઓને હિત થાય તેવો ઉપદેશ આપે છે તો પણ તેમાંના કેટલાક ઉલટા સદાગમને દોષ આપે છે, કેટલાક તેને ધિક્કારે છે, કેટલાક તેની મશ્કરી કરે છે, કેટલાક આપેલ ઉપદેશ ગ્ય છે એમ સ્વીકાર્યા છતાં તે પ્રમાણે વર્તવાની પોતાની અશક્તિ જાહેર કરે છે, કેટલાક તે તેનાં વચનથી ડરી જઈને દૂરથીજ નાસવા મંડી જાય છે, કેટલાક તેને ઠગારે ધારીને તેના તરફ શંકાની નજરથી જુએ છે, કેટલાક તેનાં વચનને મૂળથી જ સમજતા નથી, કેટલાક તેનું વચન સાંભળે છે તેને પણ તેના ઉપર રૂચિ લાવી શકતા નથી, કેટલાકને તેનાં વચનો ઉપર રૂચિ થાય છે તે પણ તે પ્રમાણે તેઓ અનુષ્ઠાન કરી શકતા નથી અને કેટલાક પ્રાણુઓ તે પ્રમાણે અનુષ્ઠાન કરવાનું શરૂ કરીને વળી પાછા ઠંડા થઈ જાય છે. આ પ્રમાણે હકીત બનતી હોવાને લીધે સદાગમને પરોપકાર કરવાની ઘણી ઈચ્છા છે, પણ તેની શુભ ઈચ્છાઓનું ધારેલું ફળ પ્રાપ્ત થતું નથી અને પ્રાણુંઓમાં આવી અપાત્રતા હોવાને લીધે સદાગમને મનમાં વારંવાર બહુ ખેદ થયા કરે છે. માત્ર હિ દુહામજિ નિ તથા પાત્રનો મહાયાશ્ચિતઃ કુપાત્ર પ્રાણીને ઉપદેશ આપવા માટે મોટો પ્રયાસ કરવામાં આવે છતાં તે નિષ્ફળ થઈ જત જણાય ત્યારે સદગુરૂને પણ ચિત્તમાં ખેદ થાય છે. આ રાજપુત્ર ભવ્યપુરુષ છે એટલા માટે તે સારું પાત્ર હોય એમ જણાય છે. કેઈ પ્રાણી ભવ્ય હોય પણ ખરાબ મતિવાળે હોય તો સુપાત્ર થઈ શકતો નથી, પણ આ રાજપુત્ર તે ભવ્યપુરુષ હોવા સાથે ૧ અનુષ્ઠાન કરવાની બાબતમાં શિથિલ થઈ જાય છે. ૨ અગાઉ જણાવ્યું છે તેમ સર્વ ભવ્ય મોક્ષ જઈ શકતા નથી. સામગ્રી અને વર્તન બન્ને મળે ત્યારે યોગ્યતા હોય તે જઈ શકાય છે. ભવ્યત્વે માત્ર શક્તિ બતાવે છે, પણ શક્તિ વ્યક્ત થવી કે નહિ તે અંગે પર આધાર રાખે છે. જુઓ પૃ. ૨૪૭ પરની નેટ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy