SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨ પરવરેલી, "સમય આવલિકા, મુહર્ત, પ્રહર, "દિન, અહોરાત્ર, પક્ષ હોય છે. (કમનશીબે આપણે આ અવસર્પિણી કાળના પાંચમા આરામાં વતીએ છીએ અને વળી તેમાં વધારે દિલગીરી ભરેલી હકીકત એ છે કે આપણે સુડા અવસર્પિણી કાળમાં છીએ. એટલે આ અવસર્પિણી કાળ બહુ હલકો ગણાય છે, માત્ર સહજ સંતોષની વાત એ છે કે એ કાળમાં પણ પ્રભાવક પુરો થાય છે.) પાંચમો આરે પૂર્ણ થયા પછી છઠ્ઠો “દુષમદુષમા” આરે એકવીશ હજાર વઈને બેસે છે, તેમાં અત્યંત દુઃખ હોય છે, મનુષ્ય નાના, નીચા, અત્યંત ટૂંકા આયુષ્યવાળા અને તદ્દન ધર્મ વગરના હોય છે. આવી રીતે દશ ક્રોડાકોડ સાગરેપમ પ્રમાણ અવસર્પિણ કાળ હોય છે તેમાં દિવસાનદિવસ હાની થતી જાય છે. તેટલાજ પ્રમાણવાળો ઉત્સર્પિણી કાળ હોય છે. તેને પહેલો આ તે અવસર્પિણીના છઠ્ઠા જેવો, બીજે પાંચમા જેવો અને ત્રીજામાં ત્રેવીસ તીર્થંકર થાય છે. ચોથાના પ્રારંભમાં ૨૪ મા (છેલ્લા ) તીર્થંકર થાય છે. આવી રીતે ઉત્સપણી કાળમાં દિવાસાનુદિવસ વૃદ્ધિ-ઉદય થતો જાય છે અને લોકોનાં સુખ સૌભાગ્ય આરોગ્યમાં વધારો થતો જાય છે. આવી રીતે ઉત્સર્પિણીના છ આરા અને અવસર્પિણીના છ ચારે એ બાર આરા મળીને એક કાળચક કહેવાય છે. ચકને જેમ આરા હોય છે તેમ આ કાળરૂ૫ ચક્રને બાર આરા હોય છે. આ બાર આરારૂપ બાર સખીઓ તે કાળપરિણતિ મહારાણીના અંગ જેવી છે અથવા તે તપજ છે એમ કહીએ તો ચાલે એમ હકીકત ઉપર જણાવી છે. ૧ સમયનું કાળમાન લક્ષમાં રાખવા યોગ્ય છે. આંખ મીંચીને ઉઘાડીએ તેટલા વખતમાં અસંય સમય થાય છે. પ્રથમ દૃષ્ટિએ આ વાત જરા સમજવામાં મુશ્કેલી ઉત્પન્ન કરે તેવી લાગે તેમ છે, તેથી આપણે તેને માટે બે દૃષ્ટાન્ત લઇએ. શાસ્ત્રકાર દષ્ટાન્ત આપે છે, કે કેળનાં પાંદડાં મોટી સંખ્યામાં એકઠાં કરી તરૂણ પુરુષ તરૂણ ધારવાળ બરછી ઉપરથી મારે તો બધાને એકદમ વીંધી નાખે છે તેમાં પણ એક પાંદડાથી બીજા પાંદડા સુધી બરછીને પહોંચતાં વખત લાગે તે પણ અસંખ્ય સમય છે. હવે બીજું દૃષ્ટાન્ત લઇએ: ટેન કલાકના સાઠ માઇલ જાય છે એટલે એક મિનિટમાં એક માઇલ જાય છે, એક સેકન્ડમાં ૮૮ ફીટ તે હિસાબે ચાલે છે એટલે ૧૦૫૬ ઇંચ એક સેકન્ડમાં ચાલે છે. એક ઇંચના ઝીણા દેરાપંક્તિ કરીએ તો ખુલ્લી આંખે દેખાય તેવા ૫૦ લીટા તે બહુ સારી રીતે દોરાય અને સમદર્શક યંત્રથી જોઈએ તે ૫હોળા લીંટ લાગે. આવા હજારો લીટા પર એક સેકન્ડમાં ટેન ચાલે છે. હવે એક સેકન્ડને કાળ કેટલો સૂક્ષમ છે તે વિચારે. આવા લીટાનો પણ હજા૨ વિભાગ થઈ શકે. એવો એક લીંટાના વિભાગથી બીજ પર જતાં કાંઈક પણ વખત લાગે છે એની તે ના પાડી શકાય તેમ નથી. એથી વધારે સૂમ ભાવ સમજ હોય તે પ્રકાશ (Light) અત્યાર સુધીમાં બનાવવામાં આવેલ યંત્રવડે એક સેકન્ડમાં ૧૮૪૦૦૦ માઈલ ચાલતા માપી શકાય છે, તેવા પ્રકાશને પ્રત્યેક ઇચમાં ઉપર પ્રમાણે કરેલા એક લીંટાથી બીજા લીંટા સુધી જવામાં કેટલે સૂક્ષ્મ વખત લાગે તેની કલ્પના કરી લેવી. સામાન્ય બધ માટે આ દૃષ્ટાન્ત છે, બાકી એથી પણ સૂક્ષ્મમાં સૂમિ કલ્પી શકાય તેવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy