SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ પ્રકરણ ૨] કર્મપરિણામ અને કાળપરિણુતિ. વહાલી સખીઓ જેને તે પિતાના અંગ જેવી ગણતી હતી તેનાથી પિણીનો પહેલો આરો હોય છે તેનું નામ સુષમભુષમા કહેવામાં આવે છે. ભારત અને ઐરાવત ક્ષેત્રની અપેક્ષાએ આ કાળસ્થિતિ છે એમ સમજવું, કારણ કે મહાવિદેહ ક્ષેત્રમાં તો સર્વદા અવસર્પિણીના ચોથા આરાના ભાવ વર્તતા હોય છે. આ અત્યંત સુખી પ્રથમ આરામાં બહુજ આનંદ હોય છે, યુગલિક ધર્મ વર્તતે હોય છે, પતિ પત્ની આનંદ ભગવે છે, દુઃખનું નામ હોતું નથી, કોઈ પ્રકારની મહેનત કરવી પડતી નથી, ઇચ્છિત વસ્તુ કલ્પવૃક્ષો પૂરી પાડે છે અને જુગલીઆઓ સ્વભાવે સરલ-ભલા હોય છે, તેમાં કોઈ જાતના કલહ, વૈર, વિરોધ હોતા નથી અને ત્રણ પલ્યોપમનું તેઓનું આયુષ્ય હોય છે, પતિ પતી સાથે મરણ પામે છે અને મારીને દેવગતિમાં જ જાય છે. બીજા સુષમા નામના અવસર્પિણી કાળના આરામાં પણ યુગલિક ધર્મ હોય છે, પણ સુખ પ્રથમ આરાના પ્રમાણમાં કાંઈક એવું હોય છે, આયુષ્ય બે પલ્યોપમનું હોય છે. અને તે આરાનું કાળમાન ત્રણ ક્રોડાકોડ સાગરોપમનું હોય છે. ત્રીજો આરો સુષમદુઃષમા નામને કંઇક ઓછા સુખવાળે પણ એકંદરે વિશેષ સુખયુક્ત અને યુગલિક ધર્મયુક્ત હોય છે. તેની સ્થિતિ બે ક્રોડાકોડ સાગરોપમની છે. એમાં આયુષ્ય એક પલ્યોપમ જેટલું હોય છે. એ અવસર્પિણી કાળના ત્રીજા આરાને છેડે લોકોમાં હકાર મકાર વિગેરે કહેવાની નીતિઓ પ્રવર્તે છે, કલ્પવૃક્ષ ફળ આપતાં બંધ થાય છે અને અનેક પ્રકારના વ્યવહારની શરૂઆત થાય છે, પ્રથમ તીર્થકરને જન્મ થાય છે, પ્રથમ ચક્રવતી પણ તે આરામાં થાય છે અને તેઓ અનેક પ્રકારની રાજનીતિ પ્રવર્તાવે છે, યુગલિક ધર્મને અત આવે છે અને અગ્નિની ઉત્પત્તિ થાય છે, ધાન્યને રાંધવાનાં પાત્રો નીપજાવવામાં આવે છે અને આધુનિક વ્યવહારની રચના શરૂ થતી અનુભવાય છે. ચોથો આરો ત્યારપછી બતાળીશ હજાર વર્ષ ન્યૂન એક કોડાકોડ સાગરોપમ સ્થિતિને દુઃ૫મસુષમા ના મનો આવે છે, તેમાં બાકીના ત્રેવીસ તીર્થકર, અગ્યાર ચક્રવતી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવ થાય છે. વર્તમાન સર્વ વ્યવહાર બંધાય છે, ત્રીજા આરાના પ્રાંત ભાગથી મોક્ષમાર્ગ ખુલ્લો થાય છે અને પાપ કરનારાઓ માટે નરકનાં દ્વાર પણ ખુલ્લાં થાય છે, અનેક પ્રકારની નીતિ ચાલે છે, લોકો ધન ધાન્ય એકઠું કરતાં શીખે છે અને સુખ અને દુઃખનાં અનેક સાધનો હાથે કરીને ઉત્પન્ન કરે છે. આવો અવસર્પિણી કાળનો ચેઘો આર જે ભાવ ભરત ઐરવતમાં ભજવે છે તે મહાવિદેહમાં સર્વ કાળ વલ્ય કરે છે. ચોથા આરાની શરૂઆતથી કલ્પવૃક્ષોને બીલકુલ અભાવ થાય છે, મારામારી, લડાઈ, તોફાન, વિગેરે કિલષ્ટ ભાવો પણ એ સમયમાં થાય છે અને શમ, ત્યાગ, વૈરાગ્ય અને પ્રગતિના પ્રખર સાધનો પણ તેમાં પ્રાપ્ત થાય છે. વીસમા તીર્થંકરના નિવાણું પછી થોડાં વર્ષમાં (ત્રણ વર્ષ ને ૪ માસ પછી) દુ:ખમા નામને એકવીશ હજાર વર્ષને પાંચમે આરે બેસે છે-તેમાં દુ:ખ વધારે અને સુખને માત્ર ઉપર ઉપરને ખ્યાલ હોય છે અને તીર્થંકર મહારાજ હોતા નથી, કેવળી પણ પ્રારંભમાં થોડાં વર્ષો સુધી જ હોય છે, ધર્મ તેની આખર સુધી ચાલ્યા કરે છે, પણ મોક્ષગમન બંધ થઈ જાય છે અને ઉત્તમ છ પ્રાયે એ કાળમાં બહુ અલ્પ ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy