SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨. થાય નહિ, શંકર જેમ પાર્વતીને અળગી કરે નહિ તેવી રીતે તે કર્મપરિણામ મહા નરેંદ્ર કાળપરિણતિ રાણીના વિરહની બીકથી કઈ દિવસ તેને એકલી રાખતો નથી એટલે પોતે કદિ પણ તેનાથી વિરહિત થતો નથી, પિતે જ્યાં જાય, જ્યાં બેસે ત્યાં તે મહારાણીને સાથે ને સાથે સર્વ વખત રાખે છે. તે મહારાણું પણ પિતાના પતિ ઉપર બહુ આસક્ત હોવાને લીધે કદિ પણ તેનાં વચનનું ઉલ્લંઘન કરતી નથી. પરસ્પરાનુબ્રતા દિ સુપયોઃ પ્રેમ નિરન્તરે સંપત્તિ નાથા સ્ત્રી પુરુષ-પતિ પતીની પરસ્પર અનુકૂળતા હોય તે જ પ્રેમ જામે છે, નહિ તો પ્રેમ થતો નથી અને વધતો નથી. આ નિયમ પ્રમાણે વર્તનારા તેઓનો પ્રેમ એટલે જામી ગયો હતો અને પરિપૂર્ણ દશાએ પહોંચી ગર્યો હતો કે તે પ્રેમ કદાપિ પણ તૂટી જશે એવી કેઈને શંકા કરવાનું કાંઈ પણ કારણ વિદ્યમાન હતું નહિ. કાળપરિણતિ મહારાણી મહારાજાની મહેરબાનીથી મટી થઈ પડી હતી તેને લીધે, જુવાનીના છાકને લીધે, સ્ત્રીમહાદેવનું સ- હૃદયની તુચછતાને લીધે, પિતાના સ્ત્રી સ્વભાવની તું શાસન. ચંચળતાને લીધે અને અન્ય પ્રાણીઓને અનેક પ્રકા રની વિડંબના થતી જોવામાં તેને કુતૂહળ થતું હોવાને લીધે તે પિતાને સર્વ જગાએ સારી રીતે પ્રસાર થઈ શકે છે એમ અંતઃકરણમાં માનતી સુષમદુઃષમા વિગેરે નામેવાળી પિતાની ૧ અવસર્પિણું કાળના ત્રીજા આરાનું નામ “સુષમદુષમા” કહેવામાં આવે છે. ઉત્સર્પિણીના છ આરા અને અવસર્પિણીના છ આરા એ કાળનું અંગ છે તેથી તેઓને કાળપરિણતિની શરીર જેવી-અંગ જેવી સખીનું રૂપક અહીં આપ્યું છે. અહીં પ્રસંગોપાત્ત જૈન ગણના પ્રમાણે કાળમાન કેવી રીતે થાય છે તે વિચારી જઈએ અને પ્રસંગે તેને લગતી ઉપયોગી હકીકત પર વિચાર કરી લઈએ, જેથી વારંવાર તેના સંબંધમાં પુનરાવર્તન કરવાની જરૂર પડે નહિ. અસંખ્ય વર્ષોએ એક ૫૯પમ થાય છે. અસંખ્ય વર્ષોને ખ્યાલ બરાબર સમજવા માટે અહીં લંબાણ વિવેચન થઇ શકે તેમ નથી. એના સંબંધમાં * અનવસ્થિત’ વિગેરે ચાર પાલાનું સ્વરૂપ ચોથા “કર્મગ્રંથથી અને લોકપ્રકાશ” ગ્રંથથી વિચારી લેવું. (કાંઈક હકીક્ત પૃ. ૮૨ ઉપર નોટ કરી છે તેમાં જોવામાં આવશે. મતલબ એ છે કે અસંખ્ય વર્ષે એક પલ્યોપમ થાય છે. એવા દશ કોડાકોડ પલ્યોપમ થાય ત્યારે એક સાગરેપમ થાય છે. (એક કરોડને એક કરડે ગુણવાથી ક્રોડાકોડ થાય છે. એકડા ઉપર ચૌદ મીંડાં ચડે ત્યારે એટલે લખીએ તે ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સંખ્યાને ક્રોડાકોડ કહેવામાં આવે છે.) આથી અસંખ્ય વર્ષો થાય ત્યારે એક સાગરોપમ થાય છે. આવા ચાર કોડાકોડ સાગરોપમનો અવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy