SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૨ શેભા આપે તેવા વણકે' (વખાણનારાઓ) હોય છે, અનેક પાત્રો જુદી જુદી યોનિમાં પ્રવેશ કરે છે તેરૂપ ત્યાં નેપથ્થસ્થાન હોય છે, ભય વિગેરે સંજ્ઞા નામના તેમાં મંજીરા હોય છે, તે નાટકની લેકાકાશરૂપ રંગભૂમિકા છે અને ત્યાં પુદ્ગલસ્કન્ધ નામનો નાટક ભજવવાની “સામગ્રીનો સમૂહ હાજર હોય છે. આવા પ્રકારની સર્વ સામગ્રીથી તૈયાર થયેલા તે નાટકમાં જુદાં જુદાં પાત્રોને નવાં નવાં રૂપિ આપીને અને વળી પાછા તેમાં વારંવાર ફેરફાર કરાવીને સર્વ પાત્રોને અનેક પ્રકારે કષ્ટ આપતો તે કર્મપરિણામ રાજા બહુ આનંદ માને છે. ઘણી વાત શું કહેવી ! આ દુનિયામાં એવી કઈ પણ ઇચ્છિત વસ્તુ નથી કે જે એના મનમાં તે આવી હોય તો તેને એ મહારાજા કઈ પણ પ્રકારે કર્યા વગર રહે. મહાદેવી કાળપરિણતિ. આવી રીતે ત્રણ ગંડસ્થળમાંથી મદ ઝરતા જંગલી હાથીની પિઠે સર્વત્ર પિતાની ઈચ્છા આવે તે પ્રમાણે અને અન્ય કઈ તરફથી થતી અટકાયત વગર વિચરનારા અને પિતાના મગજમાં આવે તે પ્રમાણે કામ કરનારા તે કર્મપરિણામ મહારાજાને તેના આખા અંતઃપુરની તિલક સમાન અને પોતાના રૂપ, લાવણ્ય, વર્ણ, વિજ્ઞાન, ૧ વર્ણકે અમુક હકીકત કહી જનારા વર્ણકે અગાઉના નાટકમાં રાખવામાં આવતા હતા. તેઓ બે પ્રવેશની આંતર હકીકત સમજાવી દેતા હતા. ૨ નિઃ ૮૪ લાખ જીવનિઃ જૂદા જુદા પ્રકારનાં વર્ણ ગંધવાળાં ઉત્પત્તિસ્થાને છે. આ જીવ એ રાશી લાખ યોનિમાં ફરતો હોય છે. ૩ નેપથ્યઃ પાત્રોને વેશ પહેરી તૈયાર થવાનું સ્થાન. ૪ સંજ્ઞા આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંજ્ઞા સર્વ પ્રાણીઓને હોય છે. પલકાકાશ ચૌદ રાજલોકની અંદરનો સર્વ ભાગ જ્યાં પ્રાણીઓની ઉત્પત્તિ સંભવે છે એ આખી તેની ભૂમિકા છે. ૬ રંગભૂમિ નાટક કરવાનું સ્થાન-થીએટર. ૭ પુદગલકંધઃ પરમાણુઓના એકઠા થયેલા સમૂહને પુગલસ્ક કહેવામાં આવે છે. પરમાણુ અદશ્ય છે. ૮ સામગ્રી: સીન, સીનેરી, પડદા અને બીજાં નાટકનાં સર્વ સાહિત્યો. ૯ હાથી જંગલી હોય, મયુક્ત હોય અને ગંડસ્થળોમાંથી મદ ઝરતો હોય પછી તેના ગાંડપણનું શું વર્ણન કરવું? ૧૦ લાવશ્યક ખુબસુરતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy