SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨] કર્મ પરિણામ અને કાળપરિણતિ. ૨૬૧ નાટક કરાવે છે તે પણ બહુ વિચિત્ર પ્રકારનું હોય છે. કેઈ વખત સ્નેહીઓના વિયેગથી તે કરૂણ રસવાળું હોય છે, કેઈ વખત સ્નેહીએના સંગ (મળવું)થી સુંદર દેખાય છે, કેઈ વખત અનેક રોગોથી ભરપૂર હોય છે, કેઈ વખત દારિદ્રયથી દોષ પામેલું જણાય છે, કોઈ વખત આપત્તિમાં આવી પડેલા અનેક પ્રાણીઓના સમૂહના દશ્યથી ઘણું ભયંકર લાગે છે અને કઈ વખત શુભ સંયોગથી ઉત્પન્ન થયેલા મોટા આનંદના કારણથી અત્યંત મનોહર લાગે છે, વળી કઈ વખત ઉત્તમ કુટુંબમાં જન્મેલા પ્રાણીઓને પોતાના કુળની મર્યાદા છોડી દઈને અત્યંત અધમ કામમાં પ્રવૃત્તિ કરતા દેખાડીને અત્યંત વિસ્મય ઉત્પન્ન કરે છે, વળી સારા કુળમાં જન્મેલી છતાં ફસંગથી ખરાબ ચાલચલગતવાલી થઈ ગયેલી કુલટા સ્ત્રીઓને પોતાની ઉપર અત્યંત પ્રેમ રાખનાર પતિને તજી દઈ હલકા માણસો સાથે પ્રીતિ કરતી બતાવીને તે નાટક અત્યંત આશ્ચર્ય ઉત્પન્ન કરે છે, કઈ વખત પિતાનાં ધર્મશાસ્ત્રોનું ઉલ્લંઘન કરી તેની મર્યાદાને બાજુ પર મૂકીને કામ કરનારા વિષયાસક્ત પાખંડીઓના હસવા લાયક નૃત્ય (નાચ)થી તે ચમત્કાર કરનારું હોય છે. એવા વિચિત્ર બનાવોથી તે સંસારનાટક ભરપૂર હોય છે અને તેને તે રાજા કેઈ પણ પ્રકારની આકુળતા વગર લીલામાત્રથી જોયા કરે છે. તે નાટકમાં રાગ દ્વેષ નામના મૃદંગ (તબલા-નરઘા) હોય છે, દુષ્ટાભિસંધિ (ખરાબ અભિપ્રાય) નામનો પુરુષ નાટકનો સાજ તેને વગાડતો હોય છે, માન જોધ વિગેરે નામ ધારણ અને તેનાં પાત્ર. કરનારા ઉસ્તાદ ગયા બહુ સુંદર-મધુર કંઠમાંથી ગાન કરનારા હોય છે, મહામોહ નામનો સૂત્રધાર નાટકને ચલાવનાર હોય છે, ભેગાભિલાષ નામના નાંદી એટલે શરૂઆતમાં મંગળ કરનાર અને રંગભૂમિ પર આવનાર નાટકીઓ હોય છે, અનેક પ્રકારના ચાળા અને આનંદ ઉપજાવે તેવાં નખરાં કરનારે કામ નામને વિદૂષક હોય છે, કૃષ્ણ વિગેરે લેશ્યામ નામનાં પાત્રોને ૧ નાટકમાં હાસ્ય, કરૂણા વિગેરે રસો અને તેના સ્થાયી ભાવે જોઇએ તેની અત્ર યોજના કરે છે. ૨ નાટકમાં ગાન, સાજ વિગેરે જોઈએ તેનું હવે વણી ચાલે છે. ૩ નાંદીઃ પ્રાર્થના-શરૂઆતમાં નાંદી બોલે છે અને ત્યારપછી નાટકમાં રંગભૂમિ પર સૂત્રધાર દાખલ થાય છે. ૪ વિદૂષક: રંગલો, મશ્કરે-દરેક નાટકમાં વિદૂષક હોય છે. ૫ લેશ્યાઃ આત્માના અધ્યવસાયને લેશ્યા કહેવામાં આવે છે. કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્મ અને શુકલ એ છ પ્રકારની લેયા હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy