SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ર આકાર ધારણ કરીને મારા મનને આનંદ થાય તેવું ‘સુંદર નાટક જલદી કરો.’ પછી કાગડા, ગધેડા, ખિલાડી અથવા ઉંદરના આકાર ધારણ કરીને, તેમજ સિંહ, ચિત્તા, વાઘ અથવા હરણના વેશ લઇને અથવા હાથી, ઊંટ, બાકડા, બળદ, કબૂતર કે ખાજનું રૂપ ધારણ કરીને અથવા જૂ, કીડી, કીડા અથવા માંકડના આકાર ધારણ કરીને અને આવા અનેક પ્રકારના તિર્યંચનાં રૂપો તે કર્મપરિણામ મહારાજાના ચિત્તને આનંદ કરાવવાના હેતુથી ધારણ કરીને તે પ્રાણીએ મહુ હાસ્ય ઉત્પન્ન કરનારૂં નાટક ભજવી બતાવે છે. વળી કેટલાક પ્રાણીએ મનુષ્યપાત્રોના પાઠ ભજવતાં કુબડાનું રૂપ લે છે, કોઇ વામનજી (ઢીંગણા ) બની જાય છે, કોઇ મુંગા, કોઇ આંધળા, કોઇ ઘડપણને લઇને લાકડી ટેકવી ચાલનારો અને કાઇ બહેરા-એવા વિચિત્ર પ્રકારના મનુષ્યના વેશ ધારણ કરીને નાટકમાં પાઠ ભજવે છે. વળી કેટલાક પ્રાણીઓ પાસે દેવતાઓના પાઠ ભજવાવે છે અને તે જાણે પરસ્પરની ઈર્ષ્યાથી, શાકથી અને પેાતાથી ઉચ્ચ દેવાના ભયથી ત્રાસ પામતા હાય એમ બતાવી આપે છે. આવી રીતે તે પ્રાણીએ નવીન નવીન વેશ લઇ જૂદા જૂદા પાઠો ગ્રહણ કરી ખેલ ભજવી મતાવે છે તે જોઇ કર્મપરિણામ મહારાજા મનમાં મેજ પામે છે. પેાતાની મરજી આવે તે પ્રમાણે વર્તનાર-સ્વચ્છંદી કર્મપરિણામ રાજા વળી પાછે નાટક જોવાની ઇચ્છાથી તે લોકે પાસે ફરી વાર કોઇ સારા આકાર ધારણ કરાવે છે અને પાત્રો માટે ફરી વાર જૂદા જૂદા પ્રકારની યોજના કરે છે. આવી રીતે એ મહાપરાક્રમી રાજા પ્રાણીએને અનેક પ્રકારના ત્રાસ આપ્યા કરે છે, પરંતુ એ હેરાનગતીમાંથી તેના બચાવ કરે એવા કોઇ પ્રભાવી પ્રાણી પેલા આપડા પ્રાણીઓ મેળવી શકતા નથી અને તે મહારાજા તે એટલા સ્વતંત્ર છે અને પેાતાની મરજી પ્રમાણે કામ કરનારો છે કે તેને જે કરવાનું મન થાય તે તે કરે છે અને તેની પાસે કોઇ પ્રાર્થના કરી શકતું પણ નથી અને કદાચ કોઇ તેને તેમ કરવામાં નિષેધ કરે-વારે તા તે કોઇનું કહેવું સાંભળતા પણ નથી. એક પાત્ર પાસે નવા નવા પાડે. કર્મપરિણામનું સંસારનાટક, તે કર્મપરિણામ મહારાજ આનંદ લેવાના હેતુથી જે સંસાર ૧ નાટકનાં પાત્રા જોઇએ તેા નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિના સર્વ પ્રાણીએ છે તેની અત્ર યાજના કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy