SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠગંધ ] પરિશિષ્ટ. . ૨૩૯ tr ઉપર મૂર્છા પામીને હું ભાગ્યશાળી છે અને તારો દીક્ષા લઇ શક્યો છે. ” સાંભળીને કુંડરીક તો મૌન “ પર, એવા મનુષ્યભવ ઉપર, એવા કામભોગો દીક્ષા લઈ શકતો નથી—ત્યારે તું તો ખરેખર “ જન્મ ખરેખર સફળ છે કે તું આવી સુંદર પુંડરીકે આટલાં લંબાણ વખાણ કર્યાં તે ધારણ કરીને ઊભો રહ્યો. ત્યારે વળી પુંડરીક એ ત્રણ વાર ફરી ફરીને બોલ્યો કે “ અહોતું ધન્ય છે, અને અહો! હીણભાગી છું. પુંડરીકે આવી રીતે બે ત્રણ વાર કહ્યું એટલે કુંડરીક મરજી ન છતાં શરમાઇ ગયો, લાજમાં લેવાઇ ગયો અને પુંડરીકની હામાં પોતાની હા ભેળવી દીધી. "" વિ ત્યારપછી લાજમાં ને લાજમાં કુંડરીકે ત્યાંથી વિહાર કર્યો. રોની સાથે ઉગ્ર વિહાર કરતાં કુંડરીકનું મન દીક્ષા ઉપરથી વધારે ને વધારે ઓછું થતું ગયું, આખરે એને સાધુપણા ઉપર તિરસ્કાર આવ્યો, શ્રમણપણામાં જે ગુણ હતો તે તેના ખ્યાલમાંથી છેવટે ખસી ગયો અને આખરે તે સ્થવિરો પાસેથી પણ ખસી ગયો. આખરે ત્યાંથી થાકીને તે પુંડરીક રાજાના નગરમાં આવ્યો, પુંડરીકના રાજ્યભુવન તરફ આવ્યો, અશોકનું ઉદ્યાન હતું ત્યાં આવી પહોંચ્યો, તેમાં પણ જે અશોક નીચે પોતે દીક્ષા લીધી હતી ત્યાં આવી પહોંચ્યો, પૃથ્વી પર જ્યાં શિલાપટ્ટ હતો તે સ્થાન પર આવી પહોંચ્યો. હવે તે શિલા પર બેસવા જાય છે અને મન પાછું પડી જવાથી સંકલ્પ વિકલ્પ કરે છે તે વખતે પુંડરીકની ધાવમાતા ત્યાં આવી પહોંચી, તેની એ અવસ્થા જોઇ ગઇ અને સર્વ હકીકત તેણે તુરતજ પુંડરીકને જણાવી. આખા અંતઃપુર અને પરિવારને લઇ પુંડરીક તુરતજ ત્યાં આવી પહોંચ્યો અને પૂછ્યું “ ભાઇ ! ભોગની ઇચ્છા છે?” જવાબ હકારમાં મળ્યો. કુટુંબીઓને બોલાવી તેજ વખતે તેણે કંડરીકને રાજ્યાભિષેક કર્યો. તેજ વખતે પુંડરીકે પોતાને હાથે પંચમુષ્ટિ લોચ કર્યાં, ચાર પ્રકારના યમવાળો ( પ્રાણાતિપાતત્યાગ, અસત્યત્યાગ, અદત્તત્યાગ, પરિગ્રહત્યાગ )નિયમ આદર્યો, કુંડરીકનાં ઓઘા પાત્રાં વિગેરે સર્વ ઉપકરણો પોતે ગ્રહણ કરી લીધાં અને તે વખતે અભિગ્રહ લીધો કે સ્થવિરની પાસે જઇ ધર્મ લઇને ત્યારપછીજ પોતે આહાર લેવો. આવો નિયમ લઇને પોતે સ્થવિરો તરફ ચાલ્યો. કંડરીકે એક વખત તજેલ પાન ભોજન કરવા માંડ્યું તે પચ્યું નહિ, મહા વેદના થઇ, વધતી ચાલી, આખરે અસહ્ય થઇ પડી, વેદનાની સાથે અંતઃપુર અને રાજ્ય ઉપર મૂર્છા પણ વધતી ચાલી, મહા પીડામાં જાતે પડી ગયો અને તેની આલોચના કર્યા વગર કાળ કરી સાતમી નારકીએ ગયો અને ત્યાં તેત્રીશ સાગરોપમ સુધી મહા પીડાઓ તેણે ભોગવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy