SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [ પ્રસ્તાવ ૧ અહાહા ! તે રાજ્યને અને અંતઃપુરનો ત્યાગ કરીને આવી દીક્ષા લીધી ! “હું તે ખરેખર કમનશીબ છું, પુણ્યહીન છું, કારણ કે આ મનુષ્યને ભવ “અનેક પ્રકારના ઉપદ્રવોથી, ઘડપણથી, મરણથી, રોગોથી, શારીરિક દુઃ“ખોથી, માનસિક દુઃખોથી, ઊભાં કરેલાં દુઃખોથી, વેદનાથી, હેરાનગતી“ઓથી આક્રમણ થયેલો છે, જાતે અનિત્ય છે, અચોક્કસ છે, સંધ્યાના “રંગ જેવો ક્ષણવિનાશી છે, પાણીના પરપોટા જેવો છે, કુશ ઘાસના છેડા પર વળગેલા પાણીના ટીપા જેવો છે, સ્વમના દેખવાની ઉપમાને “યોગ્ય છે, વિજળીના ચમકારા જેવો ચંચળ છે, સડવું પડવું નાશ પા મવું વિગેરે ધર્મોથી યુક્ત છે, આગળ અને પાછળ અવશ્ય તજવો પડે “તે છે; મનુષ્યનું શરીર પણ દુઃખનું ઘર છે, અનેક વ્યાધિઓનું સ્થાન છે, હાડકાંનો માળો હોય તેવું છે, આંતરડાં, સ્નાયુ અને નાડીઓથી “ આડુંઅવળું બંધાયેલું છે, માટીના ઠામ જેવું કાચું છે, અપવિત્ર પદા ર્થોથી ભરેલું છે, તદ્દન ન ગમે તેવું છે, છતાં આખો વખત ખમા ખમા “કરીને પંપાળવું પડે તેવું છે, ઘડપણથી ધુતરાયલું છે, ખરખર બોરડી ઘરની “પેઠે સડવા પડવા નાશ પામવાના ધર્મવાળું છે, આગળ પાછળ અંતે જરૂર “તજવું પડે તેવું છે; વળી મનુષ્યભવમાં ભોગવવાના કામભોગો પણ અપવિત્ર છે, અનિત્ય છે, વાયુથી ભરેલા છે, પિત્તથી ભરેલા છે, કફથી “ભરેલા છે, શુકથી ભરેલા છે, લોહીથી ભરેલા છે, વિષ્ટા મુત્ર શ્લેષ્મ “પિત્ત શુક્ર લોહીથી ઉત્પન્ન થાય છે, મનને જરા પણ ન ગમે તેવા તુચ્છ “વાત પદાર્થો મૂત્ર વિષ્ટા પરૂ આદિથી ભરેલા હોય છે, મરેલાની ગંધ આવે તેવા ઉશ્વાસ નિઃશ્વાસથી ભરપૂર હોય છે, તદ્દન ગંદા હોય છે, બહુ થોડો વખત રહેનારા હોય છે, પ્રમાણમાં બહુ ઓછા હોય છે, અંદર ગોટાળાથી ભરેલા હોય છે, બહુ દુઃખથી ભરેલા હોય છે, બહુ જનને ભોગે પડે “તેવા હોય છે, મહા મહેનતે જરા તરા મળે તેવા હોય છે, મૂર્ખ માણસોથી ખાસ કરીને સેવાયેલા હોય છે, સાધુ પુરુષોથી નિરંતર નિંદાયેલા હોય છે, “અનંતો સંસાર વધારી દે તેવા હોય છે, મહા આકરું ભયંકર પરિણામ “નીપજાવનારા હોય છે, ચુડેલની જેમ એક વાર વળગ્યા પછી પીછો ન “મૂકે તેવા હોય છે, દુઃખમાં પરિણામ પામનારા હોય છે, મોક્ષગતિમાં જવામાં અંતરાય કરનારા હોય છે અને આગળ અને પાછળ જરૂર તજવા પડે તેવા પ્રકારના હોય છે; વળી રાજ્ય અથવા સોના રૂપાની કે “બીજી માલેકીઓ (શેઠાઇઓ) પણ અગ્નિને તાબે રહે છે, ચોરને તાબે જ રહે છે, રાજાઓને તાબે રહે છે, સગાંસંબંધીઓને તાબે રહે છે, અનિત્ય છે, અસ્થિર છે, અશાશ્વત છે અને આગળ અને પાછળ જરૂર તજવી પડે તેવી છે–આવા પ્રકારના રાજ્ય ઉપર, એવા પ્રકારના અંતઃપુર ઉ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy