SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પીડબંધ ] પરિશિષ્ટ. ઍ. ૨૩૫ યોગ્ય સર્વ તો તેણે આદર્યાં અને ગુરુસેવામાં લયલીન થયો. હવે તે સર્વ વાત અની તે વખતે કુંડરીક યુવરાજ પણ હાજર હતો, તેને પણ ધર્મ સાંભળીને ઘણો આનંદ થયો અને સાધુઓને કહેવા લાગ્યો કે મારે તો પુંડરીક રાજાની રજા લઇ પિતાની પેઠે સાધુ ( અણુગાર ) થવું છે, તો વડિલ ભાઇને પૂછીને પછી હું આપની પાસે આવું.' સ્થવિર સાધુઓએ જવાબમાં કહ્યું ‘તને જેમ સુખ ઉપજે તેમ દીક્ષા લે.’સ્થવિર સાધુઓને પ્રણામ કરીને ત્યાંથી કુંડરીક પોતાના વડિલ ભાઇ પાસે જવા નીકળ્યો, ચાર ઘોડાવાળા અને અવાજ કરતા સુંદર રથમાં બેઠો અને સ્થાન પાસે આવી રથમાંથી ઉતર્યો. છેવટે જ્યાં પુંડરીક હતો ત્યાં પોતે આવી પહોંચ્યો અને જમીન સુધી નીચા નમી પ્રણામ કરી સ્થિત થયો. તે વખતે મોટા અને નાના ભાઇ વચ્ચે નીચે પ્રમાણે વાતચીત થઇઃ કુંડરીક—ભાઇ ! મેં આજે સ્થવિર સાધુઓ પાસે ધર્મ સાંભળ્યો, એ ધર્મ મને બહુ પસંદ આવ્યો, મને તેના ઉપર બહુ રૂચિ થઇ; તેટલા માટે ભાઇ! સંસારના ભયથી હું તો બહુજ કંટાળી ગયો છું, જન્મ અને ઘડપણના ભયથી હું તો બહુ ખી ગયો છું, જો તમે રજા આપો તો હું તો વિરોની પાસે જઇ દીક્ષા લેવાની ઇચ્છા રાખું છું.” પુંડરીક—“ ભાઈ! તું હાલ સ્થવિર પાસે દીક્ષા લે નહિ! મારી ઇચ્છા તારા ઉપર રાજ્યનો અભિષેક કરવાની છે.” પુંડરીકે અત્રે ઇચ્છા બતાવી તેની સાથે કુંડરીક સંમત ન થયો, તેનો ભાવ જાણે સમજ્યોજ ન હોય તેમ ચૂપ બેસી રહ્યો, તે બામતનો જવાબ પણ ન દીધો, માત્ર ત્રણ વાર ફરી ફરીને એકજ વાત કહેતો રહ્યો કે ભાઈ ! મારી ઇચ્છા દીક્ષા લેવાની છે.” ત્યારપછી પુંડરીકે સાંસારિક વિષયોમાં રસ ઉત્પન્ન કરે તેવી અનેક વાતો કરી, અનેક કથાઓ કરી, અનેક સૂચવનો કર્યો, અનેક પ્રકારે વિજ્ઞાપના કરી, પણ તેથી કંડરીક કુમાર જરા પણ વિચારમાં ડગ્યો નહિ ત્યારે તેણે વિષયો તરફ પ્રતિકૂળ પણ સંયમનો ભય ઉત્પન્ન કરે તેવી વાતો કરવા માંડી. તેણે કહેવા માંડ્યું ભાઇ! નિગ્રંથપ્રવચનમાં અનુત્તર વૈમાનનાં સુખો મળે છે, કેવળજ્ઞાન થાય છે, છેવટે સર્વ દુઃખોનો હમેશ માટે નાશ થાય છે એ સર્વ વાત ખરી, પણ ભાઇ! એની દીક્ષામાં સર્પની જેમ એક નજરે રહેવાનું છે, ધનુષના ભાલાની તીક્ષ્ણ અણી પર રહેવાનું છે, લોઢાના ચણા ચાવવા જેવું છે, એ નદીની વાલુકા (રેતી)ની જેવી તદ્દન “ સ્વાદ વગરની છે, ગંગા જેવી મોટી નદીને સામે કાંઠે જવા જેવી તે "C k 66 << અતિ મુશ્કેલ છે, મોટા સમુદ્રની પેઠે એ હાથવડે તે તરી ન શકાય “ તેવી છે, એમાં અતિ ઝીણી ઝીણી ખાખતો કરવી પડે છે, અતિ ભારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy