SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] પરિશિષ્ટ. . ૨૩૩ ગૌતમ પ્રથમ શ્રેણિમાં તેઓ રહ્યા હતા. ( અજ્ઞાન નાં પરિણામો અત્ર ખાસ ધ્યાન ખેંચે છે. ) ખીજી મેખલામાં દત્ત પરિવ્રાજકો હતા તેઓ એ દિવસ તદ્દન ઉપવાસ કરતા હતા અને ત્રીજે દિવસે ઝાડો પરથી પડેલાં પાકાં પીળાં થઇ ગયેલાં પાંદડાંઓનોજ માત્ર આહાર કરતા હતા. તેઓ સર્વ અષ્ટાપદની ખીજી શ્રેણિ સુધી પહોંચી શક્યા હતા. અષ્ટાપદની ત્રીજી શ્રેણિ ( મેખલા ) સુધી શેવાલ નામના તાપસો પહોચ્યા હતા, તેઓ એક સાથે ત્રણ ત્રણ ઉપવાસ કરતા હતા અને પારણાને દિવસે અત્યંત મલિન ગંદી લીલ ( શેવાળ મીઠા પાણી ઉપર થાય છે તે) ખાઇ પાછા તે ઉપર ત્રણ ઉપવાસ કરતા હતા. આ સર્વ તાપસો અષ્ટાપદ પર્વતના શિખર સુધી પહોંચવા મથી રહ્યા હતા, પણ તેમના તે કાર્યમાં તેઓ ફત્તેહ પામતા નહોતા. મનુષ્યના શરીરવાળા (દેવશરીર-વૈક્રિય શરીર વગરના સ્વામીને દૂરથી આવતા તેઓએ જોયા, તેનું અગ્નિ, વીજળી અથવા મધ્યાહ્રના સૂર્ય જેવા તેજવાળું શરીર જોયું, એટલે તેઓ અંદર અંદર વાત કરવા લાગ્યા “ અરે આપણે તપ કરી કરીને તદ્ન પાતળા થઇ ગયા તોપણ આપણો પત્તો ખાતો નથી અને આ જાડો સાધુ શું અષ્ટાપદ પર ચઢી જશે?” ગૌતમસ્વામીને તો જંઘાચારણ લબ્ધિ હતી તેથી તેઓ તો જે વસ્તુ હાથમાં આવી તેનો આશ્રય લઇને ઉપર ચઢતા ગયા, કરોળીઆની જાળના એક સાધારણ તાંતણાને આશ્રયીને પણ ઉપર ચઢતા ગયા. તાપસો તો એમને આવતા પણ જોઇ રહ્યા, ચઢતા પણ જોઇ રહ્યા અને આખરે તેઓની નજરથી દૂર થઇ ગયા ત્યાંસુધી જોઇ રહ્યા અને સ્વામી તો આગળ વધતાજ ગયા. તાપસોને ઘણી નવાઇ લાગી, પોતાના કષ્ટતપનું ભાન થયું અને પાછા સ્વામી આવશે ત્યારે આપણે સર્વે તેના શિષ્ય થશેં એમ સર્વેએ ચોક્કસ નિર્ણય કર્યો. ગૌતમસ્વામી તો અષ્ટાપદ પર્વત ઉપર ચઢી ગયા, ત્યાં જઇને સર્વ ચૈત્યોને વંદન કર્યું. ઉત્તર પૂર્વ દિશાએ એક સુંદર અશોક વૃક્ષ હતું ત્યાં રાત્રીવાસો રહેવા માટે આવી પહોંચ્યા. હવે તે વખતે એવો બનાવ બન્યો કે શક્રુઇંદ્રની સભાનો લોકપાળ નામનો એક દેવ હતો તે પણ તેજ વખતે અષ્ટાપદ ઉપરનાં ચૈત્યોને વંદન કરવા ત્યાં આવ્યો. તે લાકપાળે ચૈત્યોને વંદન કરીને ગૌતમસ્વામીને વંદન કર્યું અને પછી ત્યાં સ્વામી સમક્ષ બેઠો. સ્વામીએ તેને ધર્મ કહેવા માંડ્યો. ધર્મદેશના કરતાં ગૌતમસ્વામીએ અણુગાર (સાધુ)ના ગુણોનું વર્ણન કરવા માંડ્યું અને તેમ કરતાં તેમણે જણાવ્યું ૧ જનકથા-સૂર્યકિરણને અવલંબી સ્વામી ચઢી ગયા એમ છે, પણ મૂળમાં તેમ નીકળતું નથી. વિચારવા યેાગ્ય છે. ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy