SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠગંધ ] પરિશિષ્ટ. લ. ૨૩૧ ઓની યોામતી નામની એક અહેન હતી જેને કાંપિલ્ય નગરના પીઠરની સાથે પરણાવવામાં આવી હતી. એ યશોમતી અને પીઠરનો ગાગલિ નામનો પુત્ર થયો હતો. હવે એક વખત ધૃષ્ટચંપા નગરીની બહાર સુંદર ઉદ્યાનમાં ભગવાનશ્રી મહાવીરસ્વામી સમોસર્યા. તેમની દેશના સાંભળીને શાલ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેથી તેણે પોતાના યુવરાજ ભાઇ મહાશાલને રાજ્ય આપી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો અને મહાશાલને તે નિર્ણય જણાવ્યો. મહાશાલે તેને જણાવ્યું કે ભાઇ! જેમ તમે સંસારથી વૈરાગ્ય પામી દીક્ષા લેવા તૈયાર થયા છો તેવી રીતે હું પણ તમારી સાથેજ સંસારથી નીકળવા ઇચ્છું છું. સંસારમાં આપ મારા વડીલ છો તેમ દીક્ષા લીધા પછી પણ આપ મારા વડીલજ રહો.' મહાશાલનો આવો વિચાર સાંભળી કાંપિલ્ય નગરથી પોતાના ભાણેજ ગાગલિને તેમણે તેડાવ્યો અને પટ્ટ આંધીને તેનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. મોટો મહોત્સવ કરીને અન્ને ભાઇઓએ દીક્ષા લીધી. યશોમતી પરમ શ્રાવિકા થઈ. "c શાલ મહાશાલે અગ્યાર અંગનો અભ્યાસ કર્યો. ભગવાન તો ત્યારીપછી જૂદી જૂદી જગોએ વિહાર કરતા રહ્યા અને લોકો ઉપર ઉપકાર કરતા રહ્યા. એક વખત વિહાર કરતાં કરતાં ભગવાન રાજગૃહ નગરે પધાર્યા, ત્યાંથી ચંપા નગરીએ આવ્યા. તે વખતે તેમની સાથે રહેલ શાલ મહાશાલે ભગવાનને પૂછ્યું જો કોઇને ોધ થાય તેમ હોય, કોઇના ઉપર ઉપકાર થઇ શકે તેમ હોય તો સાહેખ ! અમે પૃષ્ટચંપા નગરીએ જઇએ. આપ જ્ઞાનબળથી ઉપકારનું કારણ જાણી શકો છો. જો તેમ હોય તો અમને આજ્ઞા આપો.” ભગવાને તેમની સાથે ગોતમસ્વામીને જવાની આજ્ઞા કરી. ત્રણે પૃષ્ટચંપા નગરીએ ગયા. ત્યારપછી ત્યાં (ચંપા નગરીમાં) સમવસરણ થયું. ત્યાં (પૃષ્ટચંપામાં) પ્રેરણાથી ગાગલ, પીઠર અને યશોમતી આવ્યાં. ગૌતમસ્વામીએ સર્વને ધર્મ સંભળાવ્યો. ધર્મ સાંભળીને સર્વે પ્રતિબોધ પામ્યા. ગાગલિએ પોતાનાં માતા પિતાને પૂછ્યું કે મને સંસારથી વૈરાગ્ય થયો છે તેથી આપ રજા આપો તો મોટા છોકરાને ગાદીએ બેસાડી હું દીક્ષા લઉ'.' જવાખમાં પીડર અને યશોમતીએ કહ્યું કે તારી પેઠે અમે પણ સંસારથી ત્રાસ પામી ગયાં છીએ.' ત્યારપછી ગાગલિએ પોતાનાં માતા પિતા સાથે દીક્ષા લીધી. ગૌતમસ્વામી તેમને સર્વને સાથે લઇને પાછા ચંપા નગરી તરફ ચાલ્યા. હવે પાછા ચાલતાં રસ્તે શાલ અને મહાશાલને ઘણો આનંદ થયો. પોતાની પ્રેરણાથી આ ત્રણ મનુષ્યો સંસારથી તર્યા એ વિચારથી તેઓને અહુ હર્ષ થયો અને તે હર્ષના આવેગમાં અધ્યવસાયો અત્યંત શુદ્ધ થતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy