SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પીડઅંધ ] પરિશિષ્ટ. અ. ૨૨૭ k ‹ એ પ્રમાણે એ ( નાગદત્ત ) જ્યારે સર્વ પાળશે અને મારા જેવો તે થશે ત્યારે તે ઉઠશે.” સંબંધીઓ કહેવા લાગ્યાં કે “ એટલું કરવાથી પણ જો તે જીવતો હોય તો ભલે, તે એમ કરશે. ” પૂર્વ દિશા તરફ નજર કરી ઉપર જણાવેલી વિદ્યા-ગારૂડીવિદ્યાવિષદ્યાવિદ્યાનો મંત્ર મિત્રદેવ ભણી રહ્યા એટલે તે ( નાગદત્ત ) ઊભો થયો. ઊભો થતાંજ માત પિતાએ તેને સર્વ હકીકત કહી સંભળાવી, પણ તેને તે વાત ઉપર ખરી શ્રદ્ધા બેઠી નહિ અને પાછો સર્પને રમાડવા દોડ્યો, વળી પડ્યો, ફરી વિજ્ઞપ્તિ થતાં દેવે તેને ઉઠાડ્યો, વળી દોડ્યો, ફરી પડ્યો. હવે દેવની ત્રીજી વાર તેના પર કૃપા કરવા ઇચ્છા નહોતી છતાં વિજ્ઞપ્તિ બહુ થવાથી વળી તેને ફરી વાર ઉઠાડ્યો. મા બાપ પાસે હકીકત જાણીને ત્યાંથી નાઠો. એક મોટા વનખંડમાં પૂર્વ ભવની હકીકત સાંભળી એટલે પ્રમુ થયો, જાગ્યો, સમજ્યો, ઠેકાણે આવી ગયો. દેવતા ત્યારપછી પોતાને સ્થાનકે ગયો. પછી નાગદત્તે સપને ઓળખી લીધા એટલે એ સોંને એણે કરડીઆમાં નાખી દીધા અને તેમાંથી તેમને જરા પણ બહારજ આવવા દેતો નહિ. આવી રીતે ઉદયભાવમાંજ જે કષાયોને ન આવવા દે તે ખરૂં પ્રતિક્રમણ કરે છે. ત્યારપછી ઘણો વખત શ્રમણ ( સાધુ )પણું પાળીને તે સિદ્ધ થયો. આનું નામ ભાવપ્રતિક્રમણ કહેવાય. અહીં સવાલ એ થાય છે કે વારંવાર આવી રીતે પ્રતિક્રમણ કરવાનો હેતુ શો? મધ્યમ તીર્થંકરોના વખતમાં પ્રસંગ હોય ત્યારે પ્રતિક્રમણ કરવાની વાત તો સમજાય છે, પણ નહિ તો વારંવાર પ્રતિક્રમણ કરવાનું કારણ શું ? તે પર વૈદ્યની કથા કહે છે. એક રાજને છોકરો ઘણોજ વહાલો હતો, તેને એવો વિચાર થયો કે આ છોકરાને કદિ રોગજ ન થાય એવી દવા કરાવું! પછી રાજાએ ઠામઠામથી કાબેલ વૈદ્યોને બોલાવ્યા અને તેઓને ફરમાવ્યું કે મારા પુત્રને કદિ વ્યાધિજ ન થાય એવી દવા કરો, વૈદ્યોએ તેમ કરવા હા પાડી. પછી રાજાએ તેમની દવાનો યોગ કેવા પ્રકારનો છે એ સંબંધી સવાલ કર્યો એટલે એક વૈદ્ય કહેવા લાગ્યો કે “ મારી દવા એવી છે કે જો રોગ હશે તો મટાડશે, જો રોગ નહિ હોય તો તે છોકરાને ઘરડો બનાવી મારી નાખશે.” બીજા વૈદ્યે કહ્યું જો રોગ હશે તો મારી દવા તેને મટાડી દેશે, જો રોગ નહિ હોય તો તે ગુણ પણ નહિ કરે અને નુકશાન પણ નહિ કરે.” ત્રીજા વૈદ્યે કહ્યું “મારી દવા એવી છે કે એ રોગ હશે તો તેને મટાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy