SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ એને જ્ઞાન દર્શન સંપાદન કરાવવારૂપ ઉપકાર કરવા એજ પરમાર્થથી પરોપકાર છે, તેના જેવા અન્ય પરોપકાર કોઇ હોય એમ સંભવતું નથી. પ્રાણીને જો સન્માર્ગ પ્રાપ્ત થઇ ગયા હોય તે તે સન્માર્ગ જન્માન્તરમાં પણ પેાતાને આંતરા વગર કે અગવડ વગર મળી શકે એવી જેની અભિલાષા હાય તેણે ઉપર જણાવ્યા છે તેવા પ્રકારના પરોપકાર કર્યા કરવા, કારણ કે પરોપકારના સ્વભાવ એવા છે કે એ પુરુષાના ગુણાના ઉત્કર્ષને સારી રીતે પ્રગટ કરી આપે છે. વળી જો પાપકાર ખરાખર સારી રીતે કર્યો હાય તેા તે ધીરતામાં વધારો કરે છે, દીનતા (ગરીબાઇ, રાંકાંત )ને દૂર કરે છે, ચિત્તને ઉદાર બનાવે છે, સ્વાર્થીપણું તજાવી દે છે, મનને નિર્મળ કરે છે અને પ્રભુતા પ્રગટ કરે છે, આ પ્રમાણે થવાથી તે પરોપકારપરાયણ પુરુષને વીર્યને ઉલ્લાસ થાય છે એટલે પરોપકાર તરફ વધારે વૃત્તિ થાય છે અને તેનાં માહનીય કર્મો નાશ પામે છે તેથી જન્માંતરમાં ઉત્તરોત્તર વધારે સારા માર્ગને આદર તે કરે છે અને ત્યાંથી પાછે પડી જતેા નથી. આ પ્રમાણે હાવાથી પાતે જ્ઞાન દર્શનાદિ જાણતા હેય તાપણ અન્યની પાસે તેનું સ્વરૂપ પ્રકાશ કરવાને માટે અની શકતે સર્વ પ્રયત્ન જરૂર કરવા અને તે સંબંધમાં અન્ય પ્રાણી આપણી પાસે માગણી કરશે ત્યારે જ્ઞાનસ્વરૂપ તેને બતાવશું એવી અપેક્ષા રાખવી નહિ. એટલે વગર માગવે જ્ઞાનાદિ આપવાથી આપનારની હલકાઇ ગાશે એવા વિચાર કદિ કરવા નહિ. એ આપવાથી એકાંત લાલજ છે અને તેમાં કોઈ પણ પ્રકારની હલકાઇ થતી નથી એ ચોક્કસ ખ્યાલમાં રાખવું. ભગવાનના મતમાં મહાવ્રતીના રૂપમાં વર્તતા આ પ્રાણી ચાગ્ય દેશ અને યોગ્ય સમય ( કાળ )ની રાહ જોતે જૂદાં જૂદાં સ્થાનમાં ફરે છે અને અનેક દૃષ્ટાંતા આપીને અતિ વિસ્તારપૂર્વક ભવ્ય પ્રાણીઓને જ્ઞાન દર્શનના માર્ગ બતાવે છે. સપુણ્યકે ધોષણા કરી ઔષધા આપવા ઇચ્છા બતાવી તેની તુલ્ય આ હકીકત સમજવી. આ પ્રાણી ઉપર પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્રના માર્ગના ઉપદેશ આપે છે ત્યારે તે ઉપદેશ આપનાર પ્રાણીના કરતાં આછી બુદ્ધિવાળા જીવા હોય છે તેઓ કદાચ તેના ઉપદેશવિષય કરેલાં જ્ઞાન દર્શન ચારિત્ર તેની પાસેથી ગ્રહણ કરે છે, પરંતુ જે મોટી બુદ્ધિવાળા પુરુષા હાય છે તેઓને તેા આ પ્રાણીના પૂર્વ અવસ્થાના દોષ સ્મરણમાં જ્ઞાનાદિના ખ પીના પ્રકાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy