SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] આ ગ્રંથલેખનના પ્રસંગ. ૨૧૩ હાવાથી તેને સર્વ ઉપદેશ હસવા જેવા લાગે છે. આ પ્રાણી જો કે તેઓ તરફના સર્વ પ્રકારના તિરસ્કારને યોગ્ય છે છતાં તે મહાત્માએ આ પ્રાણીને ધિક્કારતા નથી તેમાં તે મહાત્માઓનું મારું મન છે, એમાં આ પ્રાણીની કાંઇ વિશેષતા નથી અથવા તેવા તેનામાં અપૂર્વ કોઇ ગુણ નથી. ગ્રંથવ્યવસ્થા. ' આ પ્રમાણે પોતાના ઉપદેશ તદ્ન મંદ બુદ્ધિવાળાજ ગ્રહણ કરે છે એવી સ્થિતિ જોઇ પેાતાના ઉપદેશ સર્વ પ્રાણીઓ ગ્રહણ કરે એવા અનુકૂળ તે કેવી રીતે થઈ શકે તે માટે આ પ્રાણી વિચાર કરે છે. વિચાર કરતાં અને સદ્ગુદ્ધિ સાથે અભિપ્રાય મેળવતાં આ પ્રાણીને આ પ્રમાણે રસ્તે સૂજે છે. અહા ! હું સર્વ પ્રાણીઓને આવી રીતે સાક્ષાત્ ઉપદેશ આપું છું તે એ સર્વ લેાકેા લે એમ જણાતું નથી ( કારણ કે તે મારી જાત તરફ નજર કર્યા કરે છે અને મારી યાગ્યતા તરફ જુએ છે), માટે હવે હું એમ કરૂં કે આ ભગવાનના મતનાં સારભૂત જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે હું સર્વ લોકોને બતાવવા ઇચ્છું છું તેના જાણવા ચેાગ્ય ( જ્ઞેય–જ્ઞાનના વિષય ), શ્રદ્ધા કરવા યાગ્ય ( શ્રદ્ધેય-દર્શનને વિષય ) અને આદરવા અથવા આચરવા યોગ્ય ( અનુજ્ઞેય-ચારિત્રને વિષય ) અર્થની એક ગ્રંથના આકારમાં રચના કરૂં અને તેમાં વિષય અને વિષયીને અભેદ છે એમ બતાવી આપું. એવી વ્યવસ્થા એ ગ્રંથમાં કરી તે ગ્રંથને આ જૈન શાસનમાં ભવ્ય જીવેા સમક્ષ ખુલ્લો મૂકી દઉં. આ પ્રમાણે કરવાથી તેમાં રહેલાં જ્ઞાનાદિ સર્વ જીવાને ગ્રહણ કરવા ચાગ્ય થશે. હું જે ગ્રંથ મનાવું છું તે સર્વને ઉપયોગી થાય અને બોધ આપે તે બહુ સારૂં, પણ છેવટે સર્વ જીવામાંથી એક જીવને પણ તે ભાવપૂર્વક પરિણમશે તે મારા કરેલા સર્વ પ્રયત્ન સફળ થયા એમ હું માનીશ. આ પ્રમાણે વિચાર કરીને યથાનામ તથા ગુણવાળી આ ઉપમિતિ ભવપ્રપંચા કથા કે જેમાં આખા સંસારના પ્રપંચનું ઉપમાન કરવામાં આવ્યું છે તેની રચના કરી. એ કથામાં ઊંચા પ્રકારના શબ્દાર્થ ન હોવાથી તે સુવર્ણપાત્રમાં મૂકેલી ન કહી ૧ ગ્રંથના વિષય-જ્ઞાન દર્શન ચારિત્ર. ૨ જ્ઞાનાદિવાન્ જીવ. જીવ અને જીવના ગુણાને અભેદ છે. ૩ આ વિચારો કેટલા સુંદર છે અને ઉપેદ્ઘાત તરીકે કેવા અર્વાચીન પદ્ધતિ અનુસાર લાગે છે તે માટે જુએ ઉપેાધાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy