SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠગંધ ] દાન લેવામાં લોકોની સકારણુ બેદરકારી. ૨૧૧ ' અને મારી ઇચ્છા તેા એવી છે કે સર્વે લોકો મારાં ઔષધોના ઉપચાગ કરે. વિશુદ્ધ દર્શન કરનાર મહાશયા ! ભૂત ભવિષ્યની વિચારણા કરવામાં તું ઘણી પ્રવીણ છે, તા મહાત્મા પુરુષા મારી પાસેથી ઔષધા ગ્રહણ કરતા નથી તેનું કાંઇ કારણ હોવું જોઇએ તે શેાધી આપ.’ આવે! સપુણ્યક તરફના પ્રશ્ન સાંભળીને સપુણ્યકે મને મોટા કામમાં જોડી એવા વિચાર કરતી વિચક્ષણ સત્બુદ્ધિએ મહા ધ્યાનમાં પ્રવેશ કર્યો અને એ પ્રમાણે કામ બનવામાં અંતરંગ કારણ શું છે તેના પેતાના મનમાં નિણૅય કરીને તે બેાલીઃ ‘સર્વ પ્રાણી તારાં ઔષધોને ગ્રહણ કરે તેવા એકજ ઉપાય છે અને તે એ છે કે જે રાજમાર્ગમાં લેાકેાની આવજા બહુ થતી હોય ત્યાં લાકડાના વિશાળ પાત્રમાં આ ત્રણે ઔષધો મૂકીને પછી પાતાના મનમાં વિશ્વાસ રાખીને તારે દૂર બેસી રહેવું. તારૂં અગાઉનું દરિદ્રીપણું સંભારીને જે લોકો આ ઔષધો તારા હાથથી ગ્રહણ કરતા નથી તેમાંથીજ કોઇ કોઇ તેના અથી હશે તે ત્યાં કાઈને નહિ દેખવાથી પેાતાની મેળેજ પાત્રમાંથી ઔષધા ગ્રહણ કરશે. તેમાંથી કોઇ એકાદ ખરો ગુણવાન્ પ્રાણી તારૂં ઔષધ લેનારા નીકળી આવશે તેા તારા મનારથ પૂર્ણ થઇ જશે એમ હું માનું છું, કારણ કે કોઇ જ્ઞાનમય પાત્ર આવશે, કોઇ તપમય પાત્ર આવશે, એમાં જે જ્ઞાનપાત્ર આવશે તે તને તારશે.’ સમ્રુદ્ધિના આવા કુશળ જવામથી સપુણ્યકના આનંદમાં સારી રીતે વધારો થયા અને સદ્ગુદ્ધિએ તેને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે તેણે કર્યું. તેટલા માટે આ હકીકત કહેવામાં આવી છે કે એ દરિદ્રીએ બતાવેલાં ઔષધાને જે પ્રાણીએ ગ્રહણ કરશે તે સર્વ રોગ વગરના થઇ જશે, કારણ કે નીરોગી થવાનાં કારણભૂત એ ત્રણે ઔષધાજ છે. જે હકીકત અહીં કહેવામાં આવી છે તે તમામને માટે કહી છે અને તે ગ્રહણ કરવાથી રચનાર ઉપર ઉપકાર થાય તેમ છે, માટે તે વિષયમાં મારી ઉપર દયાવાળા સર્વેએ તે ત્રણે વસ્તુઓ લેવાની કૃપા કરવી, સર્વે તે લેવાને ચોગ્ય છે. ” મારા જીવના સંબંધમાં પણ એજ પ્રકારે હકીકત બની છે તે આપણે હવે છેવટે વિચારી જઇએઃ દાનના ઉપાય. Jain Education International આ પ્રાણીને દાન આપવાની ઇચ્છા થતાં તેનાં જ્ઞાન દર્શન ચારિત્ર લે તેવું કોઇ પાત્ર ન મળવાથી તે સદ્ગુદ્ધિપૂર્વક નિરાંતે વિચાર કરે છે ત્યારે તેને માલૂમ પડે છે કે મૌન ધારણ કરીને બેસી રહેવાથી કોઇને જ્ઞાન દર્શન આપવાનું અની શકે તેમ નથી અને બીજા પ્રાણી પરાપકાર . અને સંકાચ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy