SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ ઉપમિતિ ભવપ્રપંચ કથા. [પ્રસ્તાવ ૧ હોય છે પણ જેઓ ઊંચા પ્રકારનાં જ્ઞાન દર્શન ચારિત્રથી રહિત હોય છે તેઓ પણ આ પ્રાણી (જે ઉપર પ્રમાણે મિથ્યાભિમાનને લીધે મગરૂબીથી ટટાર રહે છે તેની સામું પણ જોતા નથી, કારણ કે ભગવાનના મતમાં બીજા અનેક મહા બુદ્ધિશાળી સબોધ આપવામાં કુશળ મહાત્મા પુરુષો હોય છે કે જેની પાસેથી આવા સુરતમાં રાજમંદિરમાં દાખલ થયેલા પ્રાણીઓ જ્ઞાનાદિ પોતાની ઈચ્છા પ્રમાણે જોઈએ તેટલાં કઈ પણ પ્રકારના કલેશ વગર મેળવી શકે છે. આવી રીતે પિતાની પાસેનાં જ્ઞાનાદિના ખપવાળે કઈ પણ પ્રાણ પ્રાપ્ત ન થવાથી પિતાની જાતને મેટી માનવાના ગર્વમાં નકામે તણાઈ જઈને લાંબો વખત સપુણ્યકની પેઠે આ પ્રાણી બેસી રહે છે, પણ પિતાના સ્વાર્થને તે કઈ પણ પ્રકારે સાધી શકતો નથી. મૂળ કથાપ્રસંગમાં ત્યારપછી આગળ કહેવામાં આવ્યું છે કે “જ્યારે પોતાનાં ઔષધને લેનારે (ખપી) જીવ તેની પાસે લોકોને કોઈ આવ્યું નહિ ત્યારે વળી એક દિવસ તેણે સદનિરાદર. બુદ્ધિને આ પ્રમાણે થવાનું કારણ પૂછયું. સબુદ્ધિએ કહ્યું “ભાઈ ! તારે બહાર આવીને ઘોષણાપૂર્વક આ ત્રણે ઔષધે પિકારી પોકારીને જે કઈ લે તેને આપવાં અને એમ કરતાં જે કઈ લેનાર મળી આવશે તે બહુ સારું થશે.” સદ્દબુદ્ધિની આવી સલાહથી “લોક ! ભાઈઓ ! મારી પાસેથી આ ઔષધે ગ્રહણ કરે, ગ્રહણ કરે” એ પ્રમાણે ઊંચા સ્વરથી બોલતો તે ઘરે ઘરે ફરવા લાગે. તેની આવી આઘોષણું સાંભળીને જે અત્યંત હલકા પ્રાણુઓ હતા તે કઈ કઈ વખત જરા જરા ઔષધ તેની પાસેથી લેતા હતા અને બીજા તેવાજ હલકા પ્રાણીઓ મનમાં વિચાર કરતા હતા કે અહો! અગાઉ આપણે આ ભિખારીને જોયો હતો તે અત્યારે ગાડે થઈ ગયે હોય એમ જણાય છે. જુઓ તો ખરા ! રાજસેવક પાસેથી ઔષધે મેળવીને હવે તે આપણને આપવા નીકળી પડ્યો છે !” આવો વિચાર તેના સંબંધમાં કરીને તે માણસ તેની ઘણી મશ્કરી કરતા હતા, કેટલાક તેને ઉડાવતા હતા અને કેટલાક તેના તરફ બેદરકારી બતાવી તેના તરફ તદ્દન નિરાદર બતાવતા હતા. આવી રીતે સંપુણ્યકને અન્ય પ્રાણીઓને દાન આપવાની થયેલી રૂચિ તેમજ તેના ઉત્સાહને ભાંગી નાખે એવી તુચ્છ લેકેની વર્તણૂક જોઈને તે સદ્દબુદ્ધિને કહેવા લાગ્યું “ભદ્ર! મારું ઔષધ તે જે ભિખારીઓ હોય છે તેજ માત્ર ગ્રહણ કરે છે, કઈ મોટા માણસે તે મારી પાસેથી લેતા નથી ૧ જુએ પૃષ્ઠ ૪૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy