SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠગંધ ] દાન લેનારની અહપતા-તેનાં કારણેા. ૨૦૯ નારામાંથી કોઇ પણ ઔષધો લેવા માટે તેની પાસે આવતા નહિ અને તે સપુણ્યક ચાતરફ યાચના કરનારની રાહ જોતા ચક્ષુ ફેરવતા એસી રહેતા હતા. આવી રીતે ઘણે વખત રાહ જોઇને બેસી રહેવા છતાં ઔષધના ખપી કોઇ તેની પાસે આવ્યા નહિ”—આ પ્રાણીના સંબંધમાં આવીજ હકીકત બને છે તે આપણે જોઇએ. બીજા પ્રાણીઓને જ્ઞાન દર્શન ચારિત્ર એ ત્રણ રત્નોનું-ઔષધોનું દાન કરવાની ઇચ્છાવાળા પ્રાણી વિચાર કરે છે અહા ! ભગવાને મારા ઉપર કૃપાદૃષ્ટિ કરી છે, આચાર્ય મહારાજ મારે માટે મેાટું માન ધરાવે છે, તેમની દયા મારા ઉપર મહેરબાની કરવા માટે નિરંતર તૈયાર રહે છે, મારા મનમાં સદ્ગુદ્ધિને કાંઇ કાંઇ વિકાસ થઇ ગયા છે અને સર્વ લોકેા મારાં વખાણ કરે છે-આટલા ઉપરથી મારો પુણ્યાદય વધારે થયેલ હેાવાને લીધે હું જનસમૂહમાં બહુ ઉત્તમ થઈ ગયેા લાગું છું.’ આવા વિચારને પરિણામે તે પ્રાણી પાતે પુણ્યશાળી હાવાનું અને લોકોમાં ઉત્તમ હાવાનું મિથ્યા અભિમાન ધારણ કરે છે. પ્રાણી પાતે અત્યંત નિર્ગુણી ( ગુણ વગરના ) હેાય પણ મેટા માણસે તેનું માન સન્માન વધારે તે તેની મગરૂબી વધી પડે છે તેનું આ દરિદ્રી સાક્ષાત્ ઉદાહરણ છે. જો એમ ન હેાય તે આ પ્રાણી પોતાની જાતની સર્વ પ્રકારની લઘુતા ભૂલી જઇને આવી રીતે ખાટું અભિમાન શા માટે કરે? આવા મિથ્યાભિમાનથી લેવાઇ ગયેલા આ પ્રાણી વિચાર કરે છે કે ‘જો કોઇ જ્ઞાન દર્શન ચારિત્રના અર્થી પ્રાણી પેાતાની ઇચ્છાથી મારી પાસે આવી વિનયપૂર્વક જ્ઞાનાદિ સંબંધી સવાલ મને પૂછશે તે તેની પાસે હું આ જ્ઞાન દર્શન ચારિત્રનું સ્વરૂપ પ્રતિપાદન કરીશ, એવી રીતે જાતે આવીને વિનયપૂર્વક નહિ પૂછે તે આપણે કાંઇ કહેવા જવાના નહિ.' આવા પ્રકારના વિચારમાં તણાચેલા તે પ્રાણી જિનેંદ્રશાસનમાં ઘણે વખત રહે છે, પણ તેની ઇચ્છા પ્રમાણે પૂછનાર તેની પાસે કાઇ આવતું નથી. એનું કારણ એ હતું કે જે પ્રાણીઓ આ જિનરાજના ભુવનમાં પેાતાના ભાવથી વર્તતા હાય છે તે તે પોતે સ્વતંત્રપણે જોઇએ તેટલા પ્રમાણમાં જ્ઞાન દર્શન ચારિત્રને ધારણ કરનારા હોય છે અને તે વળી વધારે ઊંચા પ્રકારનાં સુંદર જ્ઞાનાદિ મેળવી શકતા હેાય છે તેથી તેઓ આવા પ્રકારના બહારના ઉપદેશની અપેક્ષા રાખતા નથી અને કેટલાક પ્રાણીઓ જેએ તુરતમાંજ કર્મનું વિવર ( માર્ગે ) પામીને આ શાસનમાં દાખલ થયેલા હોય છે અને જેએની વૃત્તિ સન્માર્ગ તરફ સન્મુખ ભાવે થયેલી २७ મિથ્યાભિમાન અને પરિણામ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy