SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] રોગનાશ--ઔષધપ્રાપ્તિ માટે દાનેચ્છા. ૨૦૭ ઉત્પન્ન થતી હતી તેને બદલે હવે ધર્મઆચરણ કરવામાં પ્રીતિને અનુભવ થતો હોવાથી તેમાં મજા આવતી હતી. ત્રણે ઔષધોના આસેવનના પ્રભાવથી તે દરિદ્રીના જેમ બહુ કાળથી થયેલા તુચ્છતા, કલીબતા (મંદપણું), શેક, રેગનાશ. મોહ, ભ્રમ વિગેરે ભાવો નાશ પામી ગયા અને તે રંક કાંઈક ઉદાર ચિત્તવાળે થયો તેવીજ રીતે આ જીવ પણ જ્ઞાન દર્શન ચારિત્રને આદરવાથી પિતાને અનાદિ કાળથી જેની સાથે પરિચય થયેલો હતો એવા તુચ્છતા વિગેરે વિકારી ભાવોને દૂર કરીને થોડે થોડે ઉજજવળ મનવાળો છે. આવી રીતે આ પ્રાણીને ભાવરોગ નવા ઉત્પન્ન થતા બંધ થઈ ગયા અને પૂર્વ કર્મના જોરથી કેઈ ઉદય આવતા તો તેને તે વધારે વધવા દેતો નહતો, ઔષધના સેવનથી તરતમાં જ મટાડી દેતો હતો. એકંદરે ઔષધના પ્રભાવથી તેના શરીરે ઘણું સ્વસ્થતા થઈ આવી. ઔષધદાન-ગ્રંથઉત્પત્તિ, ત્યારપછી કથાપ્રસંગમાં આગળ કહેવામાં આવ્યું છે કે એક દિવસ અત્યંત આનંદમાં આવી જઈને બુદ્ધિને તેણે દાન કરવા- પૂછયું “ભદ્ર! આ સુંદર ત્રણે ઔષધે મને કયા નો નિર્ણય. કર્મના યોગથી મળ્યા?” બુદ્ધિએ જવાબ આપ્યો ભાઈ! અગાઉ જે આપ્યું હોય તે જ પાછું મળે છે એમ લોકોમાં કહેવાય છે તેથી એમ જણાય છે કે અગાઉ તે કઈ વખત અન્યને તે વસ્તુઓ આપી હશે.” બુદ્ધિને આવો જવાબ સાંભળીને સપુણ્યક વિચાર કરવા લાગ્યો “જે કેઈને દીધેલું હોય તે પાછું મળતું હોય તે અનેક પ્રકારે કલ્યાણ કરનાર આ ત્રણે ઔષધો ગ્ય પાત્રને સારી રીતે ખૂબ આપું કે જેથી ભવિષ્યમાં અન્ય જન્મમાં તે ન ખુટે તેટલાં મને મળ્યાં કરે.” આ જીવના સંબંધમાં પણ તેવું જ બને છે તે આપણે હવે જોઈએ. જ્ઞાન દર્શન ચારિત્રના વિશેષ વિશેષ સેવનથી આ પ્રાણના મનમાં શાંતિનું સુખ થાય છે તેને અનુભવ કરતાં સબુદાન અને પ્રા- દ્ધિના પ્રભાવથી આ પ્રાણીને જણાય છે કે સર્વ પ્રહિને સંબંધ. કારનાં કલ્યાણની પરંપરાને મેળવી આપનાર અને સાધારણ રીતે મળવાં પણ મુશ્કેલ આ જ્ઞાન દર્શન ચારિત્ર સર્વને બહુ મુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે તે મને મળી ગયાં છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy