SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રતાવ ૧ આ સર્વ હકીકત આ જીવના સંબંધમાં પણ એવી જ રીતે બને છે તે આવી રીતે ધ્યાનમાં લેવી. ઘર વિગેરે દ્વોને આત્મભાવ ભાવપૂર્વક ત્યાગ કરેલ હોવાથી રાગ વિગેરેથી - રમણતા. ત્પન્ન થતી પીડા આ પ્રાણીને થતી નથી, કારણ કે કારણ વગર કઈ કાર્ય થતું નથી અને અહીં કંઠના ત્યાગથી સમાનભાવ આવી જાય છે એટલે રાગ દ્વેષ વિગેરે વિકારે કઈ પ્રકારે જોર કરી શકતા નથી. કદાચ પૂર્વ કર્મોના ઉદયથી કે વખત સહેજસાજ પીડા થઈ આવે છે તો તે બહુ થોડા વખત ટકતી હતી, તે બહુ લાંબે વખત કદિ ચાલતી નહિ. વળી આ પ્રાણી લોકવ્યાપારની કઈ પણ પ્રકારની અપેક્ષા, ઇચ્છા કે દરકાર રાખતો નહિ હોવાથી તે તે આખો વખત વાચના (વાંચન), પૃચછના (પ્રશ્નો પૂછવા-જવાબ લેવા દેવા વિગેરે ચર્ચા), પરાવર્તના (પાછળનું ભણેલું યાદ કરી જવું-રીવીઝન), અનુપ્રેક્ષા (અભ્યાસ કરેલી બાબત પર વિચાર કરવો-તેના પર ચર્વણુ કરવું) અને ધર્મથ (ધર્મની બાબતમાં જ્ઞાનગોષ્ટિ અને જ્ઞાનચર્ચા કરવી) કરવામાં રોકાઈ રહીને પિતાના જ્ઞાનમાં વધારો કરે છે, જૈન શાસનની શોભા વધારે અને ઉન્નતિ કરે એવા શાસ્ત્રના વિશાળ અને વિસ્તીર્ણ અભ્યાસથી પોતાના દર્શન ગુણને સારી રીતે સ્થિર કરે છે અને ઉત્તમ પ્રકારનાં તપ નિયમ વિગેરેથી પિતાની જાતને સુંદર પ્રવૃત્તિમાં સારી રીતે રોકી ચારિત્રને પણ પિતાના આત્માની સાથે એક કરી નાખે છે એટલે પોતે ચારિત્રમય બની જાય છે. આ હકીકત ભાવપૂર્વક ત્રણે ઔષધોને સેવવા બરાબર સમજવી. ત્યારપછી એ પ્રાણીની એ પ્રકારની પરિણતિ થવાથી તેનામાં બુદ્ધિ, ધીરજ, સ્મૃતિ (યાદશક્તિ), બળ વિગેરે ગુણે પ્રગટ થાય છે. માત્ર અગાઉના ભાવમાં સંચય કરેલાં કર્મોના જોરથી તેનામાં હજુ કઈ કઈ વખત રાગ દ્વેષાદિ ભાવ રોગો જોર કરી આવતા હતા અને તેથી તે તદ્દન નીરોગી થયે નહોતે તેપણું તેના વ્યાધિઓ ઘણું નરમ ( હલકા) પડી ગયા હતા. પરિણામ એ થયું કે અત્યાર સુધી તેને અનાર્ય (ખોટું ) કાર્ય કરવામાં પ્રીતિ ૧ શીત અને ઉષ્ણ, સુખ અને દુઃખ એ સર્વને કંદ કહેવામાં આવે છે. આ પ્રાણને સુખ દુખ પર કે એવા પરસ્પર વિરોધી ભાવો પર સમાનભાવ થાય તે દશા બહુ પસંદ કરવા યોગ્ય–આદરવા યોગ્ય છે. ઘરની બાબતમાં પોતાનું અને પારકું ઘર એવો ભાવ લઇ શકાય, પણ અહીં તે ઘટતો નથી. અહીં ગૃહપતિપણું અને ઘરરહિતપણું ગૃહપતિપણું તજેલું તે સમજવું. અથવા વંદ્વ એટલે કલેશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy