SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૧ ભરવા-પૂરવા અરાબર સમજવું. જ્યારે ગુરુ મહારાજના ઉપદેશથી આ પ્રાણી દીક્ષા લે છે ત્યારે અનેક ભવ્ય પ્રાણીઆનાં ચિત્તને આહ્લાદ થાય તેટલા માટે સંઘપુજા, ચૈત્યપૂજા વિગેરે શુભ પ્રવૃત્તિના કારણભૃત માટે। મહાત્સવ થાય છે. · આ પ્રાણીને અમે સંસારઅટવીથી પાર ઉતાર્યાં' એવા વિચારથી ગુરુ મહારાજના મનમાં પણ સંતાય થાય છે. અને લઇને આ પ્રાણી તરફ ગુરુ મહારાજની દયા વધારે વૃદ્ધિ પામે છે, એ દયાના પ્રભાવથી આ પ્રાણીની સત્બુદ્ધિ વધારે નિર્મળ થાય છે. અનાં આવાં સુંદર અનુષ્ઠાને વ્હેવાથી લેાકેામાં પણ તેને વિષે કાંઇક સારા વિચાર બંધાય છે અને જૈન શાસનની ઉન્નતિ થાય છે. આ સર્વ હકીકત કહી તે મૂળ કથામાં કહેલા નીચેના ક્લાક બરાબર સમજવી. ૨૦૪ દીક્ષાથી આનંદનું વાતાવરણ. धर्मबोधकरो दृष्टस्तद्दया प्रमदोद्धुरा, सद्बुद्धिर्वर्धितानन्दा मुदितं राजमन्दिरम् । k • આ બનાવથી ધર્મબેાધકર ખુશી થયા, તડ્યા હર્ષઘેલી થઇ ગઇ, સમુદ્ધિના આનંદ વૃદ્ધિ પામ્યા અને આખું રાજમંદિર ખુશી થયું.’ એ ખાખતના આશય આવી રીતે વધારે સ્પષ્ટ થાય છે. ત્યારપછી આ પ્રાણીએ મેરૂ પર્વત જેવડા વિરતિના મોટા ભાર ઉપાડ્યો તે જોઇને ભક્તિના ઉભરાથી ઉભરાઇ જઇને અને આખા શરીરે રેશમાંચ યુક્ત થઇને ભવ્ય પ્રાણીએ તેનાં વખાણ કરવા લાગ્યા અહા ! આ ભાઇને ધન્ય છે! એ ખરેખરા કૃતાર્થ થયો છે! એ મહાત્મા પોતાના જન્મને ખરેખર સાર્થક કરે છે! એ ભાઇશ્રીની સારી પ્રવૃત્તિ જોવાથી એમ ખાત્રીપૂર્વક જણાય છે કે ભગવાને એના ઉપર કૃપાનજર કરી છે, એના ઉપર શુદ્ધ ધર્મના ઉપદેશ આપનાર ગુરુ મહારાજની મહેખાની થઇ છે, એના પરિણામે એનામાં સારી બુદ્ધિ ઉત્પન્ન થઇ છે, એ સદબુદ્ધિને પરિણામે એણે બાહ્ય અને અંતરંગ સંગના ત્યાગ કર્યો છે એટલે મહારથી વિષય ધન આદિ પદાર્થોના અને અંતરંગથી ક્રોધ માન વિગેરે કાયા ત્યાગ કર્યો જણાય છે, એણે જ્ઞાન દર્શન ચારિત્રના સ્વીકાર કર્યાં છે અને રાગ દ્વેષ વિગેરે વિકારી ભાવાને દળી નાખ્યા છે. મહા પુણ્યશાળી પ્રાણી હોય તેનેજ આ પ્રમાણે થવું સંભવે છે!” ત્યારપછી લોકો તેનું નિપુણ્યક નામ બદલીને સપુણ્યક એવા નામથી ૧ જેણે પેાતાનું કામ સાધ્યું છે તેવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy