SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ] કસોટી પછી આખરે સર્વસંગત્યાગ. ૨૦૩ તેવી રીતે સર્વસંગત્યાગરૂપ મહારાજ્ય પ્રાપ્ત કર્યા પછી કચરા જેવા વિષયો કે જે ચંડાળપણું સાથે સરખાવવા ગ્ય છે તેને ભેગવવાની કયા ડાહ્યા પ્રાણુને ઈચ્છા થાય? માટે મારે એ સર્વ ધન વિષય સ્ત્રી વિગેરેનો ત્યાગ કરવો જ જોઈએ. એને તજી દેવામાં કઈ પ્રકારની મુશ્કેલી આવવાની નથી.” આવી રીતે પિતાના મનમાં આ પ્રાણ ચોક્કસ નિર્ણય કરે છે. ત્યારપછી તે બુદ્ધિ સાથે વિચાર કરીને નિર્ણય કરે છે કે આ ઘણું મહત્ત્વની બાબત છે તેથી તે સંબંધમાં પ્રગતિની ભાવ- સદ્ગુરુ મહારાજને પણ પૂછવું ઠીક છે. ત્યારપછી નાની કસોટી. ગુરુ મહારાજની પાસે જઈને તે નિપુણ્યક પોતાને સર્વ વિચાર વિનયપૂર્વક તેમને જણાવે છે. ગુરુ મહારાજ નિપુણ્યકે બતાવેલા સર્વે વિચારે ધ્યાન આપીને સાંભળે છે, પછી તેને કહે છે “ભદ્ર! બહુ સારું ! તારે વિચાર ઘણે ઉત્તમ છે, પરંતુ તારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે આ રસ્તેથી મોટા પુરુષો પસાર થઈ ગયા છે અને બીકણ માણસોને એ રસ્તે જતાં ભય ઉત્પન્ન થાય છે. તારી આ રસ્તે ચઢવાની ઈચ્છા થઈ છે તે તારે ખૂબ પૈર્ય ધારણ કરવું. જે પ્રાણીઓને અતિ ઊંચા પ્રકારના ચિત્તનો આશ્રય મળી શકતા નથી તેઓ આ માર્ગના બીજા છેડા સુધી પહોંચી શકતા નથી; માટે તારે જે આ માર્ગ આદરવો હોય તો પ્રથમ પરિપૂર્ણ વિચાર કરજે.” આવા પ્રકારના વિચારો ગુરુ મહારાજે બતાવ્યા તે દરિદ્રીની કસોટી કરવા બરાબર સમજવા. તે હકીકત સાંભળીને આ પ્રાણુ ગુરુ મહારાજનાં વચન ભાવપૂર્વક અંગીકાર કરે છે. ત્યારપછી ગુરુ મહારાજ આ પ્રાણીની સારી રીતે પરીક્ષા કરે છે, પોતાની સાથે બીજા ગીતાર્થ સાધુઓ હોય છે તેઓની સાથે આ પ્રાણીની ગ્યતાના સંબંધમાં વિચાર ચલાવે છે અને ત્યારપછી તેને દીક્ષા આપે છે. આ પ્રમાણે સર્વ વસ્તુસંબંધને ત્યાગ કરવો તે પેલા નિપુણ્યકના ખરાબ ભજનના સંપૂર્ણ ત્યાગ બરાબર સમજવું. આ ભવમાં આ પ્રાણીએ જે જે પાપ કર્યા હોય તે સર્વ શોધી શોધીને તે દરેકને માટે ત્યારપછી ગુરુ મહારાજ તેને પ્રાયશ્ચિત્ત આપે છે તે શુદ્ધ પાણીથી આ પ્રાણુનું ભિક્ષાપાત્ર સાફ કરવા બરાબર સમજવું. ભિક્ષાપાત્ર તે જીવિતવ્ય (મનુષ્યભવ) છે એમ અગાઉ જણાવી દીધું છે. ત્યારપછી ચારિત્ર આપવું-દીક્ષા આપવી તે ભિક્ષાપાત્રને સુંદર ભેજનથી ૧ આલોયણું, પાપની શિક્ષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy