SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠબંધ ] પ્રતિકુળ બનાવાથી અનુકૂળ માર્ગ ૨૦૧ જ્યારે આ પ્રાણીને શાંતિમાં પ્રશમ સુખ કેવા પ્રકારનું પ્રાપ્ત થાય છે તેની અરાર ખબર પડે છે અને આ સંસારના પ્રપંચ ઉપરથી જ્યારે તેનું મન ઊંચું થઇ આવે છે છતાં પણ કોઇ કોઇ મ્હાનાંના આશ્રય કરીને તે ઘરમાં પડ્યો રહે છે, સંગત્યાગ કરતા નથી ત્યારે કોઇ વિશિષ્ટ પ્રકારનાં તપ અથવા બીજા નિયમેા ધારણ કરીને તે કાંઇ કાંઇ પ્રગતિ કર્યાં કરે છે-આ સુંદર ભોજનનેા તે પ્રાણી વધારે વધારે ઉપયાગ કરે છે તેની બરાબર સમજવું. એવી અવસ્થામાં વર્તતા હાય ત્યારે પણ તે અર્થ ઉપાર્જન કરે છે અને કામનું સેવન કરે છે; તેમાં જો કે તેના બહુ આદર હોતા નથી તેાપણુ તેવાં કાર્યો કરે છે તે લીલા માત્રથી ખરાબ ભાજન ખાવા બરાબર સમજવું. વિશેષ શુદ્ધ અનુષ્ઠાન. આવી રીતે ગૃહસ્થાવસ્થામાં વર્તતા હોય જ્યારે કોઇ વખત સ્ત્રી (ભાર્યા, પતી) કાંઇ વિરૂદ્ધ આચરણ કરે, છેકરા બાપાનું ( પેાતાનું ) કહ્યું ન કરે, દીકરી યાગ્ય મર્યાદાની હદ ઓળંગી જાય, બહેન વિપરીત આચરણા કરે, પાતે ધર્મની બાબતમાં પૈસા ખરચતા હોય તે ભાઇને બહુ પસંદ ન આવે, આ ભાઇ તે। હવે ઘરની બાબતમાં તદ્દન ઠંડા થઇ ગયા છે એમ પેાતાનાં મા આપ બીજાની પાસે ફરિયાદ કરે, ભાઇઓ પેાતાની સાથે દગા રમે, નાકરવર્ગ આજ્ઞાનું ઉલ્લંઘન કરે–હુકમ ન માને, પેાતાના શરીરની અનેક પ્રકારે લાલના પાલના કરવામાં આવે તે પણ તે કૃતવ્ર માણસની પેઠે રોગ વિગેરેના વિકારા બતાવે અથવા જ્યારે પૈસાના ભંડાર વિજળીના ઝબકારાની પેઠે અચાનક નાશ પામી જાયવિસરાળ થઇ જાય તે વખતે આ પ્રાણી જે સુંદર ભાજન ખાઇને ધરાયલા હાય છે તેને જણાય છે કે એ સર્વ ખરાબ ભાજન છે અને ટુંકા વખતમાં નાશ પામે તેવું છે; તે વખતે આખા સંસારના વિસ્તાર તેના યથાસ્થિત સ્વરૂપે આ પ્રાણીના લક્ષ્યમાં આવે છે અને તેને ખરેખર ભાસ થાય છે. આ સંસારના સ્વરૂપને બરાબર ભાસ થવાથી તેનું મન સંસારથી જુદું પડી જાય છે અને અત્યંત વિરાગ થવાથી તેના મનમાં સંવેગ ઉત્પન્ન થાય છે. ત્યારપછી તે પેાતાના મનમાં વિચાર કરે છે– અહા! મારૂં પોતાનું ખરૂં હિત ક્યાં છે અને કેવી રીતે સાધી શકાય તેમ છે તે સંબંધી સર્વ પરમાર્થ જાણવા છતાં જેની ખાતર હું મારા પેાતાના કામની દરકાર ન કરતાં ઘરમાં પડ્યો રહ્યો છું ( સંસારમાં રહું છું-દીક્ષા લેતા નથી ) તેજ ધન, સગા, સંબંધી ૨૬ વૈરાગ્યના પ્રસંગેા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002144
Book TitleUpmitibhav Prapancha Katha Vivaran Prastav 1 2 3
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1921
Total Pages737
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy